ટાલમાં વાળ લાવવા આજથી જ કરો રસોડામાં પડેલી આ વસ્તુનો ઉપયોગ, મળી જશે રિઝલ્ટ

વાળ એ આપણા ચેહરાની સુંદરતામાં વધારો કરે છે. વાળને લઈને છોકરો હોય કે છોકરી દરેક ચિંતામાં રહે છ્ ગરમી અને ઠંડીની મિક્સ સિઝનના આ સમયમાં વાળ ખરવાની સમસ્યા સામાન્ય બની ગઈ છે. તેવામાં જો તેની ખાસ કાળજી ન રાખવામાં આવે તો તે વધુ રુશ્ક થઈ જાય છે અને ખોડો તેમજ અન્ય સમસ્યાઓ પણ વધી જાય છે તેથી તેની યોગ્ય કાળજી જરૂરી છે. તો ચાલો આજે આપણે નજર કરીએ એવી ઘરગથ્થુ ટિપ્સ પર જેનો ઉપયોગ કરતાં જ વાળ ખરતા અટકશે.

image source

વર્તમાન સમયમાં છોકરોઓ અને છોકરીઓ પણ ખરતાં વાળ ખરવાની સમસ્યાથી પરેશાન હોય છે. ખરતાં વાળના કારણે નાની ઉંમરમાં જ ટાલ પડવાની સમસ્યા પણ સામાન્ય થઈ ગઈ છે. જેનુ મુખ્ય કારણ છે લાઈફસ્ટાઈલ અનિયમિત ખાણીપીણીની આદત અને સ્ટ્રેસના કારણે વાળ બેજાન થઈ જાય છે અને ખરવા લાગે છે.

image source

જો તમને પણ આવી પરેશાની હોય અને તેને તમારે દૂર કરવી હોય તો આદુનો આ નુસ્ખો તમારી મદદ કરી શકે છે. આદુ ટાલમાં પણ વાળ ઉગાડી દેશે. જાણૉ આ ઉપાય કેવી રીતે કરશો જેથી તમે પણ ઓછા વાળ કે ટાલને કારણે શરમની સ્થિતિથી બચી શકો.

ખરતા વાળ રોકવાની ટિપ્સ…

image source

આદુ એક એન્ટી બેક્ટેરિયલ ઔષધિ છે. આદુ એક એવી ઔષધિ છે જે એન્ટી ઓક્સીડેટ્સ ગુણોથી ભરપૂર હોવાને કારણે ખરતા વાળ અટકાવે છે. તેનાથી ટાલની સમસ્યાંથી પણ છુટકારો મળે છે. તેના માટે આદુના જ્યુસને લીંબૂના રસમાં મિક્સ કરીને વાળમાં લગાવો. આ ઉપાયથી વાળ ખરતા બંધ થઈ જશે. આ રસને 30 મિનિટ બાદ સાફ કરી લેવો. તમે આદુનો રસ અઠવાડિયામાં બે વાર લગાવી શકો છો.

image source

એક તાજા આદુની જડમાં મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ અને ઘણા બધા વિટામિન્સ હોય છે. જે તમારા વાળને પોષણ પ્રદાન કરે છે. સાથે સાથે મજબૂત પણ બનાવે છે. વાળને આદુ લગાવતી વખતે હંમેશા એક વાતનુ ખાસ ધ્યાન રાખો કે તેના જ્યુસનુ એસિડિક નેચર હોય છે. જે કારણે તેને લગાવ્યા પછી તમને વાળમાં ખંજવાળ આવી શકે છે. તેનાથી બચવા માટે જ્યારે પણ તમે આદુનુ જ્યુસ લગાવો તો હંમેશા તમારા વાળને સારી રીતે ધોવાનુભૂલશો નહી.

image source

તમે આદુનો રસ અઠવાડિયામાં બે વાર જરૂર લગાવો. આ ઉપરાંત તમારા ખાવામાં પણ આદુનો સમાવેશ કરો. તેનો નિયમિત ભોજનમાં ઉપયોગ કરવાથી પણ માથાના વાળ સ્વસ્થ રાખી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત