સાવરકુંડલાના એક ગામમાં ત્રણ સિંહ આવતા ફફડાટ, 6 પશુને ફાડી ખાધા, CCTVમાં શિકાર કેદ થઈ ગયો

અમરેલી જિલ્લામાં જંગલ નજીકના ગામડાંમાં સિંહના આંટાફેરા સામાન્ય બન્યા છે. ત્યારે સાવરકુંડલા તાલુકાના કૃષ્ણગઢ ગામમાં ગત રાત્રિએ ઘૂસી આવેલા ત્રણ સિંહે 6 પશુનો શિકાર કરતાં ગામલોકોમાં ફફડાટ ફેલાયો છે. ગામમાં સિંહે કરેલા શિકારના લાઈવ દૃશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા, જે હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે.

image source

સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહેલ વિડીયોમાં એક પશુ ત્રણ સિંહનો સામનો કરતું નજરે પડી રહ્યું છે. જોકે પશુએ સિંહથી દૂર ભાગવાનો પ્રયાસ કરતાં જ સિંહે એક તરાપ મારી એનો શિકાર કર્યો હતો. ગીર વિસ્તારને અડીને આવેલાં ગામડાંમાં સિંહના આંટાફેરા સામાન્ય બન્યા છે. ખોરાક અને પાણીની શોધમાં સિંહ ગામડાંમાં આવી પહોંચે છે. ત્યારે ગામલોકોમાં ફફડાટ ફેલાયો છે. વન વિભાગ ગામડાં સુધી આવી પહોંચતા સિંહને દૂર રાખે એવી ગામલોકો માગ કરી રહ્યા છે.

 image source