શું તમને ખ્યાલ છે આ મસાલા કીડની માટે છે ખુબ જ ગુણકારી, આજે જ જાણો આ ફાયદા
ભારતમાં ખોરાકનો સ્વાદ વધારવા માટે આ મસાલાને વિશેષ મહત્વ આપ્યું છે. દરેક મસાલામાં તેના અલગ અલગ ફાયદા રહેલા હોય છે. પછી તે ગમે તે હોય શકે છે જેમ કે એલચી, તજ, મરી, કેસર વગેરે હોય છે. આ બધા મસાલામાં જાવિત્રીનો પણ ઉપયોગ થાય છે. આ જાવિત્રીમાં કેટલાક સ્વાથ્યને લગતા ફાયદા પણ આવેલા છે. તો ચાલો તેનાથી થતા ફાયદા વિશે જાણીએ.
પાચનમાં સુધારો કરે છે :
આ મસાલામા ફાયબર ભરપુર પ્રમાણમાં હોવાથી તે આપણી પાચનક્રિયા મજબુત કરે છે. ખોરાક પચતો ન હોય ત્યારે પેટ ફૂલવું , કબજિયાત ,ગેસ જેવી સમસ્યાને દુર કરે છે અને પાચનક્રિયાને સારી બનાવે છે અને તે વધુ સારી રીતે કાર્ય કરે છે અને પેટની લગતી બધી સમસ્યામાં ફાયદો કરે છે.
લોહી પરિભ્રમણ :
જાવિત્રી આપણા શરીરમાં રહેલા લોહીનું પરિભ્રમણ કરવામાં ખુબ લાભદાઈ છે.તેમાં રહેલા મેગેનીઝથી શરીરમાં રહેલા ઝેરી પદાર્થને તે દુર કરી અને લોહીનુ પરિભ્રમણ સારી રીતે કરે છે અને લોહીને પણ સ્વસ્થ રાખે છે.
કિડની :
જવીત્રીનું સેવન કિડની માટે ખુબ લાભદાઈ છે.તે આપણા શરીરમાં પથરીને થતી અટકાવે છે.તે કિડનીમાં થયેલી પથરીને ઓગળીને મૂત્ર સ્વરૂપે બહાર કાઢે છે. તેમાં રહેલા ખનિજો, મેગ્નેશિયમ અને કેલ્શિયમ જેવા તત્વો આમાં મદદ કરે છે અને કીડનીને પથરીના ચેપથી બચાવે છે.
ભૂખ વધારવી :
જો તમને ભૂખ ન લાગતી હોય ત્યારે તમારે જાવિત્રીનું સેવન કરવું જોઈએ. જાવિત્રીનું સેવન કરવાથી તમને ભૂખ લાગશે. તેમાં રહેલા ઝીંક તત્વો તમારી ભૂખ વધારવામાં મદદ કરે છે.તેથી તેનું સેવન કરવાથી તે વજનમાં વધારો કરે છે. જાવિત્રીનું સેવન કરવાથી આપણે ખોરાક પણ વધુ લેશું. જેનાથી આપણો વજન વધે છે.
કેન્સરમાં ફાયદાકારક
જાવિત્રીનું સેવન કરવાથી કેન્સરના દર્દીને રાહત થાય છે. એશિયન પેસિફિક જર્નલ ઓંફ ટ્રોપિકલ દવાના અધ્યયનમાં એવું કહેવાયું છે કે જાવિત્રીનું સેવ કરવાથી કેન્સર મટાડવામાં તેની ખુબ મોટી ભૂમિકા રહી છે. જવિત્રીમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ ફ્રી રેદીલ સામે રક્ષા કરે છે અને કેન્સરને રોકવામાં ખુબ ઉપયોગી બને છે.જાવિત્રીનું સેવન કરવાથી કેન્સરથી પીડાતા વ્યક્તિને ધણી રાહત મળે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત