કાળઝાળ ગરમીમાં ભૂલ્યા વગર ડાયટમાં સામેલ કરો આ વસ્તુઓ, લૂથી લઇને અનેક સમસ્યાઓથી બચી જશો
ફળો અને શાકભાજીમાં ઘણા એવા પોષક તત્વો શામેલ છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે. તેમાં રહેલા વિટામિન અને ખનિજો શરીરમાં રહેલા ઝેરને બહાર કાઢવામાં મદદ કરે છે. ઉનાળાની ઋતુમાં, વધુ સૂર્ય-પ્રકાશથી ડિહાઇડ્રેશન, થાક અને અન્ય સમસ્યાઓ થઈ શકે છે. તેથી, આ સમય દરમિયાન શરીરને હાઇડ્રેટ રાખવા માટે પોષણની જરૂર છે. ઉનાળામાં રોગોથી બચવા માટે, આહારમાં વધુને વધુ પાણીયુક્ત ચીજો શામેલ કરો. એટલે કે વધુ ફાળો અને શાકભાજીનું સેવન કરો. ફળો અને શાકભાજીમાં હાજર તત્વો રોગો સામે લડવામાં મદદ કરે છે. સાથે ફળો અને શાકભાજીમાં હાજર પોષક તત્વો વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. તમારા માટે દરેક ફળ અને શાકભાજી ફાયદાકારક જ છે. પરંતુ ઉનાળા દરમિયાન અમુક ફળો કે જેમાં પાણી પૂરતા પ્રમાણમાં છે. આ ફળોનું સેવન ખુબ જ ફાયદાકારક છે. તો ચાલો અમે તમને જણાવીએ કે ઉનાળામાં કઈ વસ્તુઓ ખાવાથી ડિહાઇડ્રેશનથી બચી શકાય છે.
તરબૂચ
તડબૂચ એ પોષક તત્ત્વો અને પાણીનો મુખ્ય સ્રોત છે. ઉનાળાની ઋતુમાં માટે આ એકદમ યોગ્ય ખોરાક છે. દરરોજ તરબૂચ ખાવાથી શરીરમાં પાણીની ઉણપ દૂર થાય છે અને ત્વચા મોઇશ્ચરાઇઝ પણ રહે છે.
ખાટા ફળો
નારંગી, લીંબુ, દ્રાક્ષમાં વિટામિન સી, ફાઇબર, પોટેશિયમ અને ફોલેટ ભરપૂર માત્રામાં હોય છે. તેમાં ઘણા મહત્વપૂર્ણ પોષક તત્વો હોય છે. ઉનાળામાં આ ફળો ખાવાથી તમે તમારી જાતને હાઇડ્રેટેડ રાખી શકો છો.
બેરી
સ્ટ્રોબેરી, બ્લુબેરી, રાસબેરી એન્ટીઓકિસડન્ટોથી ભરપુર હોય છે. તમે જ્યારે પણ ઇચ્છો ત્યારે આ બેરીનું સેવન કરી શકો છો કેમ કે તેમાં કેલરી ઓછી હોય છે પરંતુ પોષક તત્વોથી ભરપૂર હોય છે. સાથે જાંબુ પણ એન્ટીઓક્સિડેન્ટથી ભરપુર છે જે ઝેરને બહાર કાઢવાનું કામ કરે છે અને ડિહાઇડ્રેશનની સમસ્યાને દૂર કરે છે.
શક્કરટેટી
બજારમાં ઘણા પ્રકારની શક્કરટેટી ઉપલબ્ધ છે. શક્કરટેટી ઉનાળામાં તરબૂચની જેમ જ ખૂબ ફાયદાકારક છે. તે વિટામિન અને અન્ય પોષક તત્વોથી ભરપૂર છે જે રોગપ્રતિકારક શક્તિને વેગ આપે છે. આ સિવાય શક્કરટેટી આપણને અન્ય રોગોથી પણ સુરક્ષિત રાખે છે.
કાકડી
કાકડીમાં 96 ટકા જેટલું પાણી હોય છે. ખોરાકના સ્વાદ વધારવા ઉપરાંત, તે શરીરને હાઇડ્રેટેડ રાખવામાં મદદ કરે છે. તમે આ શાકભાજીનો ઉપયોગ સલાડમાં સરળતાથી કરી શકો છો.
મૂળો
આ શાકભાજી ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે. મૂળાનું સેવન કરવાથી ત્વચાને મોઇશ્ચરાઇઝ્ડ રાખવા સિવાય ખીલ, પિમ્પલ્સ, શુષ્કતા અને ફોલ્લીઓ ઓછી થાય છે. મૂળા રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અને બેક્ટેરિયાને દૂર કરવામાં મદદ કરે છે.
પાલક
પાલક એ પૌષ્ટિક પાંદડાવાળા શાકભાજીમાંનું એક છે. તે આયર્ન, વિટામિન એ, કે, બી, ફોલેટ, મેંગેનીઝ, ઝીંક અને કોપરથી ભરપુર છે. તે ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આ શાકભાજીમાં પુષ્કળ પાણી હોય છે જે શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત