આ બે સામાન્ય દાણા જીવનભર ગેસ, એસિડિટી અને ઉધરસની સમસ્યા નહિ થવા દે, એકવાર વાંચો આ લેખ અને જાણો…
આયુર્વેદમાં મરીને ‘મરીચ’ કહેવામાં આવે છે. આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં તેને ‘તીખા’ કહે છે. ઔષધ તરીકે આ મરીનો ચરક-સુશ્રુતનાં કાળ થી બહોળો ઉપયોગ થતો આવ્યો છે. રામાયણ જેવા પ્રાચીન ગ્રંથોમાં પણ તેનાં ઉલ્લેખ મળી આવે છે. કાળી મરીનો ઉપયોગ પુલાવ અને અન્ય શાકભાજીનો ટેસ્ટ વધારવા માટે થાય છે, પણ તે સ્વાદ વધારવાની સાથે તંદુરસ્તી માટે પણ શ્રેષ્ઠ છે.
આ વસ્તુને ભોજનમાં સામેલ કરવાથી ઘણી સમસ્યાઓને દૂર રાખી શકાય છે. કાળી મરી ભારતીય રસોઈના ખાસ મસાલામાંથી એક છે. અમે તમને કાળી મરીના ફાયદા અને ટિપ્સ ના વિશે જણાવીશું. પાકવા ના પહેલા કાળા મરી સફેદ હોય છે. સફેદ મરી વધારે પડતી થડું કે લાડુ બનાવવામાં કામ આવે છે. જ્યારે કાળા મરી વધારે પડતી શાકભાજીમાં નાખવામાં આવે છે.
હાઈ બલ્ડપ્રેશર ની સમસ્યા દૂર થાય :
કાળા મરી બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા ખૂબ જ લાભદાયી સાબિત થાય છે. શરીરને આરામ અપાવવામાં ઘણા ફાયદાકારક છે. જો તમે હાઈબ્લડ પ્રેસર ની સમસ્યા થી પીડાતા હોવ તો નિયમિત જમ્યા બાદ એક ચમચી કાળામરી ને એક ગ્લાસ પાણી સાથે પીવો જેથી તમારું બ્લડ પ્રેસર નિયંત્રિત દૂર થાય.
ગેસની તકલીફમાં રાહત આપે :
કાળા મરી ની પ્રકૃતિ ગરમ હોય છે, અને ગરમ પ્રકૃતિની વસ્તુ વાયુ નું શમન કરે છે. પેટ માં ઉત્પન થનાર ગેસ વાયુ દોષ ની જ એક ઉત્પતી છે. કાળા મરી નો ઉપયોગ ગેસના રોગને શાંત કરવા માટે ઘણી આયુર્વેદિક દવાઓમાં લાભ કરે છે. એટલા માટે જો બે દાણા કાળા મરી નું સેવન રોજ સવારે ખાલી પેટ હુફાળા પાણી સાથે કરવામાં આવે તો આ ગેસના જુ ના રોગમાં પણ ખુબ જ સારો લાભ કરે છે. એક વખત તેને જરૂર અજમાવો.
સાંધા ના દુઃખાવામાં :
સાંધા ના દુઃખાવો થવાનું મુખ્ય કારણ તો પહેલું વાત નો પ્રકોપ અને બીજું યુરિક એસીડ નું વધી જવું જેને ગઠીયા બાય પણ કહે છે. આ બન્ને ઉપર કાળા મરીના બે દાણા ખુબ જ ફાયદો કરે છે. આયુર્વેદીક જણાવે વે છે કે શરીરમાં કોઈપણ જગ્યાએ દુઃખાવો થાય તે જગ્યાએ વાત દોષ જરૂર હોય છે. કાળા મરી વાત દોષનું શમન કરે છે, જેના કારણે વાયુના રોગ ને તે ઓછો કરે છે. યુરેક એસીડ વધી જવાના કારણે થનાર ગઢિયાના દર્દમાં પણ લાભ થાય છે.
ઉધરસ દૂર થશે :
ઉધરસ ની સમસ્યા થાય ત્યારે અડધી ચમચી કાળા મરી નું ચૂર્ણ અને અડધી ચમચી મધ મિક્સ કરીને એને દિવસમાં ત્રણ થી ચાર વખત ચાટવું, આમ કરવાથી તમારી ઉધરસ ની સમસ્યા દૂર થઇ જશે. કાળા મરીની તીખાસ ગળા અને નાકની સમસ્યાને થોડા સમયમાં દૂર કરી દે છે. કાળામરી શરદીમાં ખુબ જ ફાયદાકારક હોય છે, એટલા માટે દૂધમાં કાળામરી નાખીને નિયમિત પીવાથી શરદીની સમસ્યા દૂર થાય છે.
પેટ સંબંધિત(કરમિયા, કીડા) સમસ્યા :
જો તમે પેટ સંબંધિત કોઈ સમસ્યાથી પીડાતા હોવ તો થોડી માત્રામાં કાળા મરીના પાઉડર ને એક ગ્લાસ છાસમાં મિકસ કરીને તેનું સેવન કરી લો. આ ઉપરાંત દ્રાક્ષની સાથે કાળી મરી નું દિવસમાં ત્રણ વાર સેવન કરવું જેથી તમને આ પેટની સમસ્યામાંથી મુક્તિ મળશે તથા તમારા પેટના તમામ કીડા મરી જશે. આ સિવાય જો પેટમાં ગેસ અને એસીડીટી ની સમસ્યા ઉદભવી રહી હોય તો તુરંત લીંબુના રસમાં કાળામરી નો પાવડર અને નમક મિકસ કરી તેનું સેવન કરી લો. આ ઉપચાર તમારી અપચો અને ગેસ ની સમસ્યાને પણ થોડા સમયમાં દૂર કરી નાખશે.
અનિયમિત માસિક :
અનિયમિત માસિક ધર્મમાં એક ચમચી મધ તથા કાળી મરી ભેળવીને બે મહિના સુધી લગાતાર ખાવ આનાથી અનિયમિત માસિક ધર્મ તથા આનાથી જોડાયેલી સમસ્યાઓથી છુટકારો મળે છે.