જો ઉનાળામાં ખાઈ લેશો આ એક ફ્રૂટ તો યાદશક્તિની સાથે હેર કેરમાં પણ થશે ફાયદો
કાળા રંગની દ્રાક્ષ સ્વાદમાં તો મીઠી લાગે છે પણ હેલ્થને લઈને પણ કોઈ વરદાનથી ઓછી નથી. કાળી દ્રાક્ષમાં ગ્લૂકોઝ, મેગ્નેશિયમ અને સાઈટ્રિક એસિડ જેવા પોષક તત્વો હોય છે જે વ્યક્તિને અનેક બીમારીથી દૂર રાખે છે. કાળી દ્રાક્ષનું નિયમિત સેવન ન તમને વજન ઘટાડવાની સાથે સાથે ડાયાબિટિસ, બ્લડ પ્રેશર, દિલની બીમારીઓ, સ્કીન અને વાળની સાથે જોડાયેલી સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. તો જાણો કાળી દ્રાક્ષનું સેવન કરવાથી કયા અગણિત ફાયદા મળે છે.
વજન ઘટાડવામાં કરે છે મદદ
કાળી દ્રાક્ષનું સેવન કરવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. વજન ઘટાડવાની ઈચ્છા રાખનારા લોકોએ તો કાળી દ્રાક્ષનું સેવન કરવું. તે લોહીમાં કોલેસ્ટ્રોલનું નિર્માણને રોકવામાં અને મોટાપાની સમસ્યાથી પણ બચાવે છે.
યાદશક્તિ કરે છે સારી
કાળી દ્રાક્ષનું સેવન કરવાથી વ્યક્તિની એકાગ્રતા અને યાદશક્તિ વધે છે. એટલું જ નહીં કાળી દ્રાક્ષ ખાવાથી મગજની ગતિવિધિઓ સારી થાય છે અને માઈગ્રેન જેવી બીમારીથી રાહત મળી શકે છે.
ડાયાબિટીસના દર્દીને માટે કરે છે ફાયદો
કાળી દ્રાક્ષનું સેવન કરવાથી ડાયાબિટીસને ક્યોર કરવામાં મદદ મળે છે. કાળી દ્રાક્ષમાં રેસવાર્ટલ નામનો પદાર્થ જોવા મળે છે. જે લોહીમાં ઈન્સ્યુલિનનું સ્તર વધારીને શરીરમાં શુગરના પ્રમાણને સંતુલિત રાખવામાં મદદ કરે છે.
વાળને કરે છે ફાયદો
વાળ સાથે જોડાયેલી કોઈ પણ સમસ્યા છે તો તમે કાળી દ્રાક્ષનું સેવન કરી શકો છો. તેમાંથી મળતું વિટામીન ઈ વાળની હેલ્થને માટે ફાયદો કરે છે. કાળી દ્રાક્ષમાં વિટામિન ઈ વાળની સમસ્યાથી જેવી કે ખોડો, વાળનું ખરવું, સફેદ થવું સારું કરે છે. તેના સેવનથી સ્કેલ્પને મજબૂતી મળે છે. વાળ લાંબા, મુલાયમ અને મજબૂત બને છે.
ઈન્ફેક્શનથી રાખે છે દૂર
કાળી દ્રાક્ષમાં રહેલા રેસવેરોટલ બેક્ટેરિયા અને ફંગસને મારવામાં મદદ કરે છે. જે શરીરમાં પહોચીને કોઈ પણ પ્રકારનું ઈન્ફેક્શન જન્માવે છે. આ પોલિયા અને હર્પ્સ જેવી બીમારીથી લડવામાં મદદ કરે છે. કાળી દ્રાક્ષમાં વાયરસની સામે લડવાની શક્તિ પણ હોય છે. તે ફેફસામાં ભેજને કાયમ રાખે છે અને અસ્થમાને પણ સાજો કરે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,