કમર દર્દના કારણે પીડાઈ રહ્યા છો? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાયો, Painkiller લેવાની પણ નહીં પડે જરૂર
ઘણીવાર લોકો ઘર અને ઓફિસમાં કામ કરવા પર પીઠ દર્દની ફરિયાદ કરે છે. તે પોતાની પીડામાંથી છૂટકારો મેળવવા માટે અનેક પ્રકારના ઉપાયો કરતા હોય છે. પરંતુ ભાગ્યે જ લોકો જાણતા હોય છે કે આ પીડાની સારવાર તેમના રસોડા માંથી જ તમને મળી જાય છે. હા તમારા રસોડામાં પીઠના દર્દ માંથી છૂટકારો મેળવવાના ધણા ઉપાયો તમને તમારા રસોડામાં જ જોવા મળે છે. જેનો ઉપયોગ કરવાથી તમે આ સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો.
હીંગ :
જ્યારે પણ તમે ભોજન બનાવો, ત્યારે તેમાં હીંગ ઉમેરવાનું ક્યારેય ભૂલવું ન જોઈએ. તે જરૂરથી આપણા ખોરાકનો સ્વાદ વધારે છે. તે ઉપરાંત પેટમાં ગેસ થવો, ભૂખ ઓછી લાગવી જેવી અનેક સમસ્યાઓ પણ દૂર થાય છે. તેનો ઉપયોગ કોઈ પણ શાકમાં વધાર કરતી વખતે પણ કરી શકાય છે.
કુંવાર પાઠુ :
કોઈ પણ વ્યક્તિને પેટમાં દુખાવો કે સાંધાનો દુખાવો થતો હોય તો, તેમણે એલોવેરાના રસમાં થોડી હળદર અને સિંધાલુ મીઠું ઉમેરી તેનું સેવન કરવું જોઈએ.
ડુંગળી :
ડુંગળી દરેક દર્દમાં એક ઔષધીની જેમ ઉપયોગમાં આવે છે. શરીરના કોઈ પણ ભાગમાં દુખાવો કે મોચ હોય તો તરત જ તમારે ડુંગળીનું સેવન શરૂ કરી દેવું. જો મચકોડ કે બળતરા થાય તો ડુંગળીને તળીને તેની પેસ્ટ બનાવી. ત્યાર બાદ પીડા દાયક જગ્યા પર લગાવવી. આ ઉપાય કર્યા પછી તરત જ તમને તેમાં અસર જોવા મળે છે.
સરસવનું તેલ :
જો કોઈ પણ વ્યક્તિને શરીરના કોઈ પણ ભાગમાં દુખાવો થાય તો ત્યાં સરસવના તેલને થોડું ગરમ કરીને શરીરના તે ભાગ પર હળવા હાથે માલિશ કરવી. કાનમાં દુખાવો થાય તો તેને હળવું ગરમ કરી કાનમાં તેના ટીપા નાખી દો. તેનાથી તમને ધણી રાહત થાય છે.
મીઠું પાણી :
પીઠનો દુખાવો પણ કાળા મીઠાના દબાણથી મટાડવામાં આવે છે. તમારે કાળા મીઠાને બરાબર ગરમ કરવું જોઈએ. ત્યારબાદ આ મીઠાને કપડામાં બાંધી દો અને પીઠના ભાગ પર રાખો જ્યાં તમને દુખાવો થાય છે. મીઠું રાખવાથી સ્નાયુઓ હળવા થાય છે, અને ગમે તેવી પીડા દુર થાય છે.
સંકુચિત કરો :
ગરમ પાણી નો શેક કરવાથી પણ પીઠનો દુખાવો ઓછો થાય છે. તેથી જ્યારે પણ તમને પીઠનો દુખાવો થાય ત્યારે તમારી કમરને ગરમ પાણીથી શેકવી. ગરમ પાણી સિવાય, જો તમે ઈચ્છો તો, તમે તમારી કમરને બરફથી પણ સંકુચિત કરી શકો છો. બરફ સાથે સંકુચિત કરવા માટે, તમે થોડા બરફના ટુકડા લો, અને તેને એક કાપડમાં બાંધો. પછી આ કાપડથી તમારી કમર પર ઘસવું જોઈએ.
કસરત કરો :
કસરત શરીરને તંદુરસ્ત બનાવે છે, અને કમરના દુખાવામાં પણ રાહત આપે છે. જે લોકો દરરોજ કસરત કરે છે, તેમની કરોડરજ્જુ મજબૂત રહે છે, અને તેને દુખાવાની કોઈ ફરિયાદ રહેતી નથી. તેથી, તમારે દરરોજ થોડો સમય કસરત કરવી જ જોઇએ.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત