ખાવામા ક્યારેય પણ ના કરવી ઉતાવળ નહીતર તમે પણ બની શકો છો બીમારીનો શિકાર, આજે જ જાણો..
અત્યારે આ દોડભાગ ભર્યું જીવન અને કામની વ્યસ્તતાને કારણે આજકાલ લોકો પાસે એટલો સમય પણ નથી હોતો કે તે બે ટંકનું જમવાનું પણ તે શાંતિથી બેસીને જમી શકે. ભાગદોડ વાળી જિંદગીમાં હવે લોકો ખાવાનું પણ ભાગંભાગ કરીને જ ખાવા લાગ્યા છે. અને જો ક્યારેક જમવાનો સમય મળી ગયો તો પણ લોકો તેને એક કામની જેમ તેને જલદી જલદીમાં પૂરું કરવાની તાલાવેલીમાં જ હોય છે.
પરંતુ, ઉતાવળે અને ઝડપથી ખાધેલો ખોરાક સ્વાસ્થ્યને ઘણી રીતે નુકસાન પહોચાડી શકે છે. આપણા વડીલો પણ ઘણી વાર આપણને ધીરે ધીરે અને ચાવીને ખાવાની સલાહ આપતા હોય છે. ઝડપથી ખાવું એ એક ખરાબ આદત માનવામાં આવે છે. જો તમને પણ આ આદત લાગી ગઈ છે, તો સમયયર તેને ચેતી જવું જરૂરી છે, નહીં તો તમારા સ્વાસ્થ્ય પર તેની ખરાબ અસર પડે છે.
ઓવરઈટિંગની સમસ્યા :
જલદી જલદી ખાવા જતા આપણે ઘણી વાર વધારે ખાઈ લેતા હોઈએ છીએ. અને આ ઓવર ઈટિંગને કારણે આપણું વજન પણ વધી જાય છે, અને આપણા શરીર પર અનેક બીમારી લાગુ પડી જાય છે. તેથી આપણે જ્યારે પણ જલદી જલદી ખાતા હોઈએ છીએ ત્યારે આપણા મગજ સુધી એ સંદેશો નથી પહોંચતો કે આપણું પેટ ભરાઈ ગયું છે કે નહીં.
ફેટી બોડી :
ઉતાવળથી ખાવાને કારણે શરીરનું વજન વધવાની સમસ્યા પણ હવે સામાન્ય બની ગઈ છે. જલદી ખાવાથી આપણા ડાયટનું સંતુલન જળવાતું નથી. ખોરાકને ધીરે ધીરે પૂરેપૂરો ચાવીને ખાવામાં આવે તો શરીર વધવાની સમસ્યા રહેતી નથી. અને ખોરાકને સારી રીતે પચવામાં પણ મદદ મળે છે.
પાચનતંત્ર પર અસર :
જલદી જલદી ખોરાક ખાતા લોકો હંમેશાં મોટા મોટા કોળિયા ભરતા હોય છે, અને તેને ચાવ્યા વગર આખે આખો આપણા પેટમાં ઉતારી દે છે. એટલું જ નહીં પણ ઘણીવાર જો તેઓ ખોરાક પેટમાં ન ઉતારી શકે તો પાણી અથવા કોલ્ડ ડ્રિંક્સનો પણ સહારો લેતા હોય છે. આ કારણે ખોરાક યોગ્ય રીતે પચતો નથી. ખોરાક પેટમાં બરાબર ન પચતા પેટમાં અનેક સમસ્યા ઉદ્ભવે છે.
ઈન્સ્યુલિન પ્રતિકાર :
ઉતાવળે ખાવાથી ઘણી વખત લોહીમાં સુગરની માત્રા પણ એકાએક વધી જાય છે. આ કારણે ઈન્સ્યુલિન પ્રતિકારની સમસ્યા રહે છે. સમય જતા આ જ સમસ્યા ડાયાબિટીસ જેવી મોટી બીમારીનું પણ રૂપ ધારણ કરી લે છે.
શ્વાસની દુર્ગંધ અને કેવિટીથી બચાવે છે :
ખોરાકને સારી રીતે ચાવીને ખાવાથી દાંત વચ્ચે ખોરાકના કણો ફસાતા નથી. તેમજ તેનાથી શ્વાસની દુર્ગંધ અને કેવિટી જેવી સમસ્યાઓથી પણ બચી શકાય છે. સારી રીતે ને શાંતિથી ચાવીને ખોરાક ખાવાથી મોઢામાં રહેલા બેક્ટેરિયા મરી જાય છે. અને લાંબા સમય સુધી ચાવીને ખાતા રહેવાથી મોઢામાં બનતી લાળ પણ બેક્ટેરિયાને મારી નાખે છે.
પેટમાં દુ:ખાવો :
ઘણી વખત ઉતાવળમાં ખાવાની આદતથી તમને ધ્યાન રહેતું નથી અને તમે કેટલું વધારે ખાઈ લો છો. જરૂર કરતાં પણ વધારે ખાવાથી તે પેટમાં પચતું નથી, અને પછી પેટમાં દુખાવાની સમસ્યા થવા લાગે છે.
હૃદયસંબંધી બીમારી ઉદ્ભવે છે :
ખાવાપીવામાં ઉતાવળ કરવાથી ઘણી વખત શરીરનું મેટાબોલિઝમ પણ ઓછું થવા લાગે છે. તેનાથી શરીરનું કોલેસ્ટેરોલ લેવલ વધી જાય છે, અને હાર્ટ એટેક અને સ્ટ્રોકનો ભય વધી જાય છે. ઉતાવળે ને જલદી જલદી ખાવાથી આપણું સ્વાસ્થ્ય પણ બગડે છે. માટે ઉતાવળે ખાવાની આદત હોય તો તેને સુધારવી અને ધીરે ધીરે ચાવીને જ ખોરાક ખાવાનો આગ્રહ રાખવો જોઈએ.