ફૂલ સ્લીવના કપડાં પહેરવાથી મચ્છર કરડતા નથી, જાણો 15 Myth & Fact

લોકો માને છે કે ફૂલ અને પેક કપડાં પહેરીને ફરવાથી મચ્છર કરડતા નથી. પણ તેનો ડંખ એટલો બારીક હોય છે કે તે સરળતાથી કપડાંની અંદર જઇને તમારું લોહી ચૂસી શકે છે. એવા મચ્છરના કરડવાથી મેલેરિયા થાય છે. બધા મચ્છર વ્યક્તિને જ કરડે છે અને ફૂલ કપડાં પહેરીને તેનાથી બચી શકાય છે, આવા અનેક ભ્રમ હોય છે, પણ તેનો કોઇ આધાર નથી. આ સિવાય પણ આ વાતો પર લોકોને વિશ્વાસ હોય છે. અમે આપને જણાવી રહ્યા છીએ મચ્છર સાથે જોડાયેલા આવા જ કેટલાક મિથ અને તેના ફેક્ટ્સ.

Myth

કપડાંની ઉપરથી નથી કરડતા મચ્છર.

Fact

image source

એવું નથી, તેના ડંખ એટલા બારીક હોય છે કે તે કપડાંની અંદર સરળતાથી જતા રહે છે.

Myth

દરેક મચ્છર માણસને જ કરડે છે.

Fact

ના, ફક્ત માદા મચ્છર જ કરડે છે, કારણ કે ઇંડાના વિકાસને માટે પ્રોટીનની જરૂર રહે છે.

Myth

મચ્છર ડાર્ક કલરની તરફ એટ્રેક્ટ થાય છે.

Fact

image source

ના, તેમને બરોબર દેખાતું નથી. તે કાર્બન ડાઇઓક્સાઇડ, હીટ, પરસેવો અને ભેજથી માણસની હાજરીની ખાતરી કરે છે.

Myth

મચ્છર સુગંધની તરફ આર્કષાય છે.

Fact

એવું નથી, પરફ્યૂમમાં ઓઇલ હોય છે જે મચ્છરને દૂર કરવામાં મદદ કરે છે.

Myth

મચ્છર AIDS ટ્રાંસમીટ કરી શકે છે.

Fact

હાલ સુધી તેનું કોઇ વૈજ્ઞાનિક કારણ મળ્યું નથી કે મચ્છર AIDS ટ્રાંસમીટ કરી શકે છે.

Myth

image source

માદા મચ્છર જ બજિંગ સાઉન્ડ કરે છે.

Fact

બજિંગ સાઉંડ ઉડતા મચ્છરની પાંખોના કારણે સંભળાય છે અને પંખ માદા અને નર બંનેને હોય છે.

Myth

મચ્છર જેટલું વધારે લોહી પીએ છે તેટલું મોટું નિશાન બને છે.

Fact

મચ્છરના લોહી પીવા અને તેના નિશાનની વચ્ચે કોઇ સંબંધ નથી, ડંખનું નિશાન ખરેખર ઇમ્યૂન સિસ્ટમની રિસ્પોન્સ કરવાની રીત છે.

Myth

image source

માર્કેટમાં મળતા મચ્છરથી બચવાના લોશન/ક્રીમ હાર્મફૂલ હોય છે.

Fact

ના. માર્કેટના કોઇપણ લોશન/ક્રીમ પર લખેલી ઇન્સ્ટ્રક્શનને ફોલો કરો તો તે સેફ હોય છે. તેને બાળકોથી દૂર રાખો.

Myth

મચ્છરને 47 દાંત હોય છે.

Fact

ના. મચ્છરોને દાંત હોતા નથી. મોઢાથી જોડાયેલા સોય જેવા ડંખ હોય છે જે લોહી પીવા માટે મચ્છર સ્ટ્રોની જેમ વાપરે છે.

Myth

મચ્છર O ટાઇપ બ્લડ ગ્રૂપને વધારે પસંદ કરે છે.

Fact

તેનું કોઇ વૈજ્ઞાનિક કારણ નથી, માદા નરને ફક્ત પ્રોટીન જોઇએ છે, જે દરેક બ્લડ ગ્રૂપમાં જોવા મળે છે.

Myth

લસણ અને કેળા ખાવાથી મચ્છર કરડતા નથી.

image source

Fact

એવું કોઇ વૈજ્ઞાનિક કારણ નથી કે તમે ભોજનમાં લસણનો ઉપયોગ કરશો કે કેળા ખાશો તો મચ્છર કરડશે નહીં.

Myth

મચ્છર ફક્ત પાણી વાળી અને ભીની જગ્યા પર થાય છે.

Fact

મચ્છર ગંદા અને ભરાઇ રહેલા પાણીમાં જોવા મળે છે. તે સિવાય તે સૂકી જગ્યા પર અડ્ડો જમાવે છે.

Myth

મચ્છર સાંજે જ કરડે છે.

Fact

મચ્છર સવારે અને સાંજે એક્ટિવ હોય છે. તેનો અર્થ એ નથી કે તે દિવસે કરડતા નથી.M

Myth

image source

મચ્છર ફક્ત માણસને જ કરડે છે.

Fact

એવું નથી, મચ્છરોની કેટલીક પ્રજાતિ એવી પણ છે જે પક્ષીઓ અને પ્રાણીઓનું લોહી પણ પીવે છે.

Myth

દરેક મચ્છરના કરડવાથી મેલેરિયા થાય છે?

Fact

image source

એવું નથી, ફક્ત જીનીસ એનોફિલિસ માદા મચ્છરના કરડવાથી મેલેરિયા થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત