મેલેરિયા થાય તો ભૂલથી પણ ના ખાઓ આ વસ્તુ, જાણો શું સામેલ કરશો ડાયટમાં…

ચોમાસાની શરૂઆત થતાં જ ઘણા રોગો અને ચેપ વ્યક્તિને ઘેરી લે છે.ચોમાસાની ઋતુ દરમિયાન માણસો ઘણા ચેપના શિકાર બને છે અને આમાંના એક ચેપનું નામ મલેરિયા છે.ચેપગ્રસ્ત માદા એનાફિલેઝ મચ્છરના કરડવાથી મેલેરિયા થાય છે.આ એક એવો રોગ છે જેમાં વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ નબળી પડે છે.મેલેરિયાથી પીડાતા દર્દીમાં શરદી,માથાનો દુખાવો,ઝાડા,ઉલ્ટી જેવા લક્ષણો જોવા મળે છે.મેલેરિયાની સારવાર માટે તમારા ખોરાક અને આહાર પર વિશેષ ધ્યાન આપવું જોઈએ.તો ચાલો આપણે જાણીએ કે મેલેરિયાના દર્દીએ કઇ ચીજોનો તેમના ખોરાકમાં સમાવેશ કરવો જોઈએ અને કઈ ચીજોથી દૂર રેહવું જોઈએ.

જાણો મેલેરિયાના લક્ષણ

image source

બેક્ટેરિયા શરીરમાં પહોંચ્યા પછી 14 થી 21 દિવસની અંદર શરીરમાં મલેરિયા તાવ આવે છે.જ્યારે પરોપજીવી લોહીના કોષોમાંથી બહાર નીકળી જાય છે,ત્યારે દર્દીને ઠંડી અથવા શરદીનો અનુભવ થાય છે.ત્યારબાદ વધારે તાવ આવે પછી પરસેવો આવે છે અને દર્દીને નબળાઇ લાગે છે અને તેને ગરમીનો અનુભવ પણ થાય છે.

image source

મેલેરિયાના મુખ્ય લક્ષણોમાં તાવ,ઉલ્ટી,માથાનો દુખાવો,શરીરનો દુખાવો,હાથ-પગમાં ધ્રુજારી,તરસ અને ત્યારબાદ શરદી તાવનો સમાવેશ થાય છે તાવના 103-104 ડિગ્રી સુધી રેહવું,દર્દીને વારંવાર ધ્રુજારી આવવી,વારંવાર બોલ-બોલ કરવું અને ઉથલપાથલ કરતા રહે છે,પછી પરસેવો આવે છે અને tav utri jay છે ત્યારબાદ દર્દીને રાહત મળે છે.લાંબા સમય સુધી ચાલતો તાવ દર્દીની બરોળ અને લીવરની તકલીફમાં કરે છે.

આજકાલ મેલેરિયા ચેપમાં,ઉપર જણાવેલ લક્ષણો ઘણા કેસોમાં જોવા મળતા નથી.ઉદાહરણ તરીકે,શરદીને કારણે તાવને લીધે ફક્ત શરીરમાં દુખાવો અથવા માથાનો દુખાવો થાય છે અને દર્દીની તપાસ કર્યા પછી મેલેરિયા જોવા મળે છે.

image source

મેલેરિયા તાવ એક વખત સિવાય દિવસમાં ઘણી વખત આવે છે.

મેલેરિયા થવાથી દર્દીનું બરોળ વધે છે,લોહીનો અભાવ થાય છે.તેથી,મેલેરિયા રોગને સરળ ન માનશો.જો આવા લક્ષણો તમને કોઈમાં દેખાય અથવા તમારામાં અનુભવાય તો તરત જ ડોક્ટરની તાપસ કરવો અને તેમની સલાહ મુજબ સારવાર કરાવો.

મેલેરિયામાં દર્દીએ આ ચીજોને આહારમાં સમાવેશ કરવો જોઈએ

પૌષ્ટિક આહાર

image source

મલેરિયાથી પીડિત દર્દીએ એમના આહારમાં હંમેશા પૌષ્ટિક ખોરાકનો સમાવેશ કરવો જોઇએ.આ ઉપરાંત, દર્દીએ તેના આહારમાં ઉચ્ચ કાર્બોહાઇડ્રેટ ખોરાક લેવો જોઈએ.જેમ કે તાજા ફળો અને શાકભાજી મેલેરિયાના દર્દીઓ માટે ફાયદાકારક છે.

તાવ દરમિયાન તમારે વધુ માત્રામાં પ્રવાહી પીવું જોઈએ.જેમ કે તમે ગ્લુકોઝ પાણી,તાજા ફળોનો રસ,નાળિયેર પાણી,લીંબુ,મીઠું અને ખાંડવાળું પાણી અને શરબત પણ પી શકો છો.આ બધી વસ્તુઓ તમને ઝડપથી મલેરિયા દૂર કરવામાં સહાય કરી શકે છે.

પ્રોટીનનું સેવન-

image source

શરીર પેશીઓની મરામત અને ઉત્પાદન પ્રક્રિયા માટે પ્રોટીન લે છે.પ્રોટીનયુક્ત ખોરાક તમને તમારી પ્રતિરક્ષા વધારીને પરોપજીવી સામે લડવામાં મદદ કરશે.

વિટામિન સી સમૃદ્ધ ખોરાક-

વિટામિન સી અને એથી ભરપૂર ખોરાક જેમ કે પપૈયા,બીટરૂટ અને અન્ય ખાટાં સ્વાદથી ભરપૂર ખોરાક મલેરિયાના દર્દીના આહારમાં શામેલ હોવા જોઈએ.

શું ખાવાનું ટાળવું જોઈએ –

image source

મેલેરિયા દરમિયાન,ખોરાક સાથે સંબંધિત કેટલીક વિશેષ બાબતો ધ્યાનમાં રાખવી જ જોઇએ,કારણ કે તે તમારા સ્વાસ્થ્ય પર સીધી અસર કરે છે.મેલેરિયા દરમિયાન કોઈએ ઉચ્ચ ફાઇબરવાળા ખોરાક જેવા કે લીલા પાંદડાવાળા શાકભાજી,જાડા છાલવાળા ફળ અને આખા અનાજનું સેવન કરવાનું ટાળવું જોઈએ.

– ઠંડુ પાણી પીવું જોઈએ નહીં અથવા ઠંડા પાણીથી નહાવું નહીં.

– મેંદાના લોટનો ખોરાક અથવા વધુ મસાલેદાર ખોરાક ખાવાનું ટાળો.

– મેલેરિયાના દર્દીએ તેમના આહારમાં કેરી,દાડમ,લીચી,અનાનસ,નારંગી વગેરેનો સમાવેશ ન કરવો જોઇએ.

image source

– ઠંડા તાસીરના ફળો અને પદાર્થો જેવા કે દહી,શિકંજી,ગાજર,મૂળા વગેરે ન ખાવું જોઈએ.

જાણો મલેરિયાથી બચવાના ઉપાયો

મચ્છરથી દૂર રહો અથવા જે જગ્યાએ મચ્છર હોય ત્યાં કોઈપણ કપડું ઓઢીને સુવો.

image source

બાળકોને મચ્છરદાનીમાં અથવા કોઈ કપડું ઓઢાડીને સુવડાવો.

સરસવનું તેલ શરીર પર લગાવો,કારણ કે સરસવના તેલથી મચ્છર દૂર રહે છે.

ઘરની આસ-પાસના ખાડાઓ અથવા પાણીવાળી જગ્યાઓ બંધ કરાવો.કારણ કે આવી ગંદકીમાં જ મચ્છરો વધુ આવે છે.તેના કારણે રોગચાળો વધુ ફેલાય છે.

image source

ઘરની આસ-પાસની ખાલી જગ્યાઓમાં માંટ્ટીનું તેલ નાખો.માંટ્ટીના તેલથી પણ મચ્છરો દૂર રહે છે.

બારીઓ-દરવાજા પર મચ્છર જાળીઓ લગાવો.

લીમડાના પાંદડાઓનો ધુવાળો કરો.આ કરવાથી મચ્છર દૂર રહે છે અને તમારા ઘરમાંથી બીજા જીવ-જંતુઓ પણ દૂર થાય છે.

બજારોમાં મચ્છર વિરોધી ક્રીમ મળે છે,તેનો ઉપયોગ કરવાથી પણ મચ્છરો દૂર રહે છે.

image source

આપણે તે બાબતે પણ કાળજી લેવી જરૂરી છે કે માત્ર મલેરિયા જ નહીં,પણ ડેન્ગ્યુ,ફિલેરિયા વગેરે જેવા જોખમી રોગો પણ મચ્છરો દ્વારા જ ફેલાય છે.તેથી,જો આપણે મચ્છરોનો નાશ કરીએ તો આ રોગોથી પણ બચી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત