નારંગીના રસમાં મિક્સ કરો આ વસ્તુઓ અને પછી આ રીતે લગાવો ચહેરા પર, સ્કિન થઇ જશે સુંવાળી અને સોફ્ટ
દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેની ત્વચા ચમકતી અને કોમલ લાગે. દરેક વ્યક્તિ તેના માટે ખૂબ મહેનત પણ કરે છે. તેઓ સૌથી મોંઘા પ્રોડક્ટનો પણ ઉપયોગ કરે છે. પરંતુ આ પ્રોડક્ટમાં વધુ પડતો કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. તો થોડા દિવસોની સુંદરતા મળે છે, પરંતુ થોડા સમય પછી તમારા ચહેરા પરની કુદરતી ચમક પણ ગાયબ થઈ જાય છે.
બીજી તરફ જ્યારે ઘરેલું ઉપાયોની વાત આવે છે, ત્યારે તેમાં થોડો સમય લાગે છે, પરંતુ તે તમને કાયમ માટે કુદરતી સુંદરતા આપે છે. તે પણ વધારે પૈસા ખર્ચ્યા વિના. જો તમે પણ ચમકતો ચહેરો રાખવા માંગો છો, તો તમે નારંગીનો પણ ઉપયોગ કરી શકો છો. વિટામિન સી, એન્ટિ ઓક્સિડન્ટથી ભરપૂર નારંગી, આપણા સ્વાસ્થ્ય તેમજ ત્વચાને સુધારવામાં મદદ કરે છે. તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણીએ.
ફેસ પેક બનાવવા માટેની સામગ્રી
એક ટીસ્પૂન ચોખાનો લોટ, એક ટીસ્પૂન નારંગીનો રસ, બે ટીસ્પૂન મધ અને ચપટી જેટલી હળદર.
તેનો ઉપયોગ કરવાની રીત
આ બધી વસ્તુઓને એક બાઉલમાં મૂકો, અને તેને સારી રીતે મિક્સ કરો. પછી તેને તમારા ચહેરા પર સારી રીતે લગાવો. હળવા હાથથી એક થી બે મિનિટ સુધી સ્ક્રબ કરો. ત્યારબાદ પાંચ થી દસ મિનીટ તેને તમારા ચહેરા પર લગાવી રાખો. ત્યાર પછી સ્વચ્છ પાણીથી ચહેરો ધોઈ લો. અઠવાડિયામાં એક થી બે વાર તેનો ઉપયોગ કરો. આ તમને તમારી ત્વચામાં ચમક મેળવવામાં તેમજ ત્વચાની દરેક સમસ્યાથી છૂટકારો મેળવવામાં મદદ કરશે.
આ ફેસપેક ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે
નારંગી :
નારંગીના રસમાં એન્ટિ ઓક્સિડન્ટના ગુણ હોય છે. જે આપણી ત્વચાને સુધારવાનું કામ કરે છે. જો તમે ચમકતી અને નિખારવાળી ત્વચા મેળવવા ઇચ્છો છો, તો તમે પણ તેનો ઉપયોગ કરી શકો છો.
ચોખાનો લોટ :
ચોખાનો લોટ ત્વચા માટે એકદમ સારો માનવામાં આવે છે. ચોખાનો લોટ સનબર્ન અને ટેન જેવી ત્વચાની સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. તેમાં એલેન્ટોઇન ઇ અને ફેરુલિક એસિડ હોય છે, જ્યારે આપણી ત્વચાને સૂર્યમાંથી નીકળતા હાનિકારક કિરણોથી બચાવે છે. તે વિટામિન બી નો સારો સ્ત્રોત પણ છે. જે ત્વચાના નવા કોષો બનાવવામાં મદદ કરે છે.
મધ :
ઔષધીય ગુણોથી ભરપૂર મધ તમારી ત્વચા માટે પણ ખૂબ ફાયદાકારક છે. તે તમારી ત્વચાને મોઇશ્ચરાઇઝ કરે છે, તેમજ છિદ્રોમાં એકત્રિત ગંદકીને દૂર કરવામાં પણ મદદ કરે છે.
હળદર :
હળદરને સ્વાસ્થ્યની સાથે સાથે ત્વચા માટે પણ ખૂબ જ સારી માનવામાં આવે છે. હળદરમાં એન્ટીઓક્સિડન્ટ, એન્ટીબેક્ટેરિયા અને એન્ટીફંગલ તત્વો હોય છે, જે ત્વચાની સમસ્યાઓને દૂર કરે છે. તેમાં વિટામિન્સ અને મિનરલ્સ પણ મોટી માત્રામાં હોય છે. જે ત્વચાને સ્વસ્થ રાખવાની સાથે સાથે તેને સુંદર બનાવવામાં પણ મદદ કરે છે
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત