પેટ ના સ્વાસ્થ્ય માટે ત્રિફળા છે ખૂબ જ ફાયદાકારક, વાંચો આ લેખ અને જાણો સ્વાસ્થ્ય અંગેના લાભ…
ત્રિફલા એક પરંપરાગત દવા છે, જેનો હજારો વર્ષો થી આયુર્વેદમાં ઓષધિ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તેના સ્વાસ્થ્ય લાભો ને જોતા, આજે પણ તેનો ઉપયોગ દરેક ઘરમાં થાય છે. ત્રિફલા ત્રણ જડીબુટ્ટીઓ- આમળા, હરિતકી અને બ્લેક માયરોબલન ને ભેળવીને તૈયાર કરવામાં આવે છે. તેને પોલી હર્બલ મેડિસિન પણ કહેવામાં આવે છે.
હેલ્થશોર્ટ મુજબ, સંશોધનમાં જાણવા મળ્યું છે કે તે પેટ ને સ્વસ્થ રાખવામાં અને વજન ઘટાડવામાં ખૂબ ફાયદાકારક છે. તે એક શક્તિશાળી ડિટોક્સિફાયર તરીકે પણ કામ કરે છે જે ઝડપથી પેટ, નાના આંતરડા અને મોટા આંતરડા ને ડિટોક્સ કરે છે. તો ચાલો જાણીએ કે તેના રોજિંદા વપરાશ થી આપણે શું ફાયદા મેળવી શકીએ છીએ.
પેટ માટે ફાયદાકારક
ત્રિફળા ને કોલોન ટોનર તરીકે ઓળખવામાં આવે છે, જે શરીરમાં કોલોન ને શક્તિ પ્રદાન કરવામાં ખૂબ ફાયદાકારક છે. તે તમારા પાચનતંત્ર ને સ્વસ્થ રાખે છે. તેના સેવન થી કબજિયાત ની સમસ્યા પણ દૂર થાય છે.
બળતરામાં ધટાડો કરે છે
ત્રિફળામાં રહેલા એન્ટીઓક્સિડન્ટ શરીર ને અનેક રોગોથી બચાવે છે. તે તમને મુક્ત રેડિકલથી બચાવે છે અને તમને બળતરાથી પણ દૂર રાખે છે. ત્રિફળાનું નિયમિત સેવન તમને ડાયાબિટીસ, કેન્સર અને હૃદયરોગ થી બચવામાં મદદ કરી શકે છે.
ત્વચા માટે પણ ફાયદાકારક
તેના સેવન થી ત્વચા ને પણ ફાયદો થાય છે. તેમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી તત્વો ત્વચા ની સમસ્યાઓમાંથી રાહત આપે છે, અને તમારી ત્વચાના કોષોનું રક્ષણ કરે છે.
તણાવ અને ચિંતા ઘટાડો
તેના સેવન થી તમારું માનસિક સ્વાસ્થ્ય પણ સુધરે છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે ત્રિફળા તમને તણાવ અને ચિંતા થી બચાવવામાં મદદ કરે છે. તે તમારા મૂડને વધુ સારો રાખવામાં મદદરૂપ છે.
કમજોરી દૂર કરે
શરીરમાં કમજોરી ની સમસ્યા થવા પર તમે ત્રિફલા ચૂર્ણ નો ઉપયોગ કરો. અને એને ખાવાથી શરીર ને શક્તિ મળે છે, અને શરીર આસાની થી થાકતું નથી તમે એક ચમચી ચૂર્ણ લઇને ઘી કે સુગર અથવા મધ મેળવી ને એનું સેવન કરો. રોજ આનું સેવન કરવાથી શરીર માં શક્તિ આવી જશે તમે ઇચ્છો તો પાણી સાથે પણ લઈ શકો છો.
હાઈ બ્લડ પ્રેશરથી મળે રાહત
બ્લડ પ્રેશર ની સમસ્યા આજે ઘણા લોકોમાં જોવા મળે છે, વધારે બ્લડ પેશર થવા પર ત્રિફલાનું સેવન કરો. આને ખાવાથી બ્લડ પ્રેશર ઠીક થઈ જશે. જે લોકો બ્લડ પ્રેશર થી પરેશાન છે, એ લોકોએ રાત્રે સુતા સમયે દૂધ ત્રિફળા નું સેવન કરવું જોઈએ. એક વિક સુધી ત્રિફલા ખાવાથી બ્લડ પેશરની સમસ્યા દૂર થઈ જશે.