પીડિતાની બહેનનો દાવો- 8-10 પોલીસકર્મીઓએ રૂમમાં બંધ કરી માર માર્યો, લાશને પંખા પર લટકતી જોઈ
યુપીમાં ફરી એકવાર પોલીસ સવાલોના ઘેરામાં ઉભી છે. ચંદૌલીમાં હિસ્ટ્રીશીટરની પુત્રીના મોતનો મામલો જોર પકડી રહ્યો છે. હવે આ કેસમાં મૃતકની નાની બહેનનું નિવેદન આવ્યું છે. નાની બહેને પોતાના નિવેદનમાં પોલીસ કર્મચારીઓ પર ગંભીર આરોપ લગાવ્યા છે.
મૃતકની નાની બહેને કહ્યું, “પોલીસ અમારા ઘરમાં ઘૂસી ત્યારે અમે બંને એકલા હતા, ત્યારપછી પોલીસે અમને મારવાનું શરૂ કર્યું. બે મહિલા પોલીસકર્મીઓ અને 8-10 પુરુષ કર્મચારીઓ મારી બહેનને રૂમમાં લઈ ગયા અને માર માર્યો. પોલીસે લગભગ એક કલાક પછી જતી રહી. જે પછી હું તે રૂમમાં ગઈ અને મારી બહેનને પંખાથી લટકતી જોઈ.”
અખિલેશ યાદવે પણ આ મામલે ટ્વિટ કરીને ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે. જેમાં તેણે લખ્યું હતું કે, “ભાજપના રાજમાં 2.0…”. આ ટ્વીટમાં તેણે એક ફોટો પણ શેર કર્યો છે. જેમાં લખ્યું છે કે, “ચંદૌલીમાં દરોડા દરમિયાન બાળકીના મોતને લઈને હંગામો. પોલીસના મારથી મોતનો આરોપ, ગ્રામજનોએ પોલીસકર્મીને માર માર્યો, વાહનોના કાચ તોડી નાખ્યા, ઈન્સ્પેક્ટર સસ્પેન્ડ.”
Nisha, daughter of gangster Kanhaiya Yadav was found dead in her house. The deceased was allegedly thrashed by SHO Saiyyedraja after which she died, the SHO was suspended and process is underway to lodge FIR on getting complaint from family of deceased:Sanjeev Singh, DM Chandauli pic.twitter.com/MY7mDvDINV
— ANI UP/Uttarakhand (@ANINewsUP) May 2, 2022
તમને જણાવી દઈએ કે મામલો ચંદૌલીના મનરાજપુર ગામનો છે. આરોપ છે કે દરોડા પાડવા ગયેલી પોલીસે કથિત ગેંગસ્ટર કન્હૈયા યાદવની દીકરીઓને ખરાબ રીતે માર માર્યો હતો. પોલીસ હુમલાને કારણે કન્હૈયા યાદવની પુત્રીનું શંકાસ્પદ સંજોગોમાં મોત થયું હતું. આ કેસમાં આરોપી પોલીસ કર્મચારીઓ સામે એફઆઈઆર નોંધવાના આદેશ આપવામાં આવ્યા છે. આ સિવાય સૈયદ રાજા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ આરોપી ઉદય પ્રતાપ સિંહને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.