Thyroid છે બીમારીઓનું જડ, જાણો શું ખાવાથી થાય છે ગંભીર નુકસાન…
ઘણા લોકો થાઈરોઈડની બિમારીથી પિડાતા હોય છે. થાઈરોઈડમાં વજન વધવાની સાથે હોર્મોન અસંતુલન પણ થઈ જાય છે. એક સ્ટડી અનુસાર, પુરુષોની તુલનામાં મહિલાઓમાં થાઈરોઈડ 10 ઘણો વધારે હોય છે. થાઈરોઈડ ગ્લેન્ડમાં હોર્મોનનું બેલેન્સ બગડવાના કારણે આ સમસ્યા થાય છે. થાઈરોઈડની સમસ્યા પુરુષોના મુકાબલે મહિલાઓમાં વધારે જોવા મળે છે. હાઈપરથાઈરોઈડિઝ્મમાં (hypothyroidism) વજન ઘટવું, ગરમી સહન ન કરી શકવી, સારી ઉંઘ ન આવવી, તરસ લાગવી, વધારે પરસેવો આવવો, હાથ ધ્રુજવો, હૃદય જોરથી ઘડકવું, કમજોરી, ચિંતા અને અનિદ્રા જેવા લક્ષણો સામેલ છે. આજે અમે તમેન ખાવાની એવી અમુક વસ્તુઓ વિશે જણાવીશું જે થાઈરોઈડની સમસ્યાને વધારવાનું કામ કરે છે. શુ છે થાયરોઈડ
થાઈરોઈડ ગ્લેન્ડ આપણા ગળાના નીચેના ભાગમાં હોય છે. જેમાંથી ખાસ પ્રકારના હોર્મોન ટી-3, ટી-4 અને ટીએસએચનો સ્ત્રાવ થાય છે. જેની માત્રામાં અસંતુલન આપણી તંદુરસ્તી પર ખરાબ અસર નાખે છે. શરીરની બધી કોશિકાઓ યોગ્ય રીતે કામ કરી શકે. એ માટે આ હોર્મોંસની જરૂર હોય છે. આ ઉપરાંત મેટાબોલ્જિમની પ્રક્રિયાને નિયંત્રિત કરવામાં પણ ટી-3 અને ટી-4 હોર્મોનનુ મોટુ યોગદાન હોય છે.
તેથી તેના સ્ત્રાવમાં કમી કે અધિકતાની સીધી અસર વ્યક્તિની ભૂખ. ઉંઘ અને મનોદશા પર જોવા મળે છે.
વધારે ઘી-તેલ
જે પદાર્થોમાં તેલ-ઘી વધારે હોય છે તેનું સેવન કરવાથી ગળામાં તેલ-ઘીનું પાતળું લેયર જામવા લાગે છે. આ લેયર મોટું થતા તે થાયરોઈડને પ્રભાવિત કરે છે. આ કારણે થાયરોઈડ વધી શકે છે. જેથી થાઈરોઈડનાં દર્દીઓએ તેનું સેવન ઓછું કરવું જોઈએ.
કોલ્ડડ્રિંક
થાઈરોઈડનાં દર્દીઓએ કોલ્ડડ્રીંકનું સેવન કરવું જોઈએ નહી. હેલ્થ એક્સપર્ટની વાત માનીએ તો, કોલ્ડ ડ્રીંકમાં બહુજ વધારે માત્રામાં શુગરી એસિડ હોય છે. તેને કારણે થાઈરોઈડનાં દર્દીઓ ગળામાં દર્દ અને સોજાની ફરિયાદ કરે છે. જેથી થાઈરોઈડનાં દર્દીઓએ કોલ્ડડ્રિંકની જગ્યાએ છાશ, દૂધ, લસ્સી અને જલજીરાનું સેવન કરવું જોઈએ.
જંક ફૂડ
જંક ફૂડ દરેક ઉંમરમાં નુકસાનકારક હોય છે. પરંતુ લોકો તેનાં સ્વાદ માટે સ્વાસ્થ્ય સાથે રમત કરે છે. જે ખોટું છે. દરેક થાઈરોઈડનાં દર્દીઓએ જંકફૂડનું સેવન કરવું જોઈએ નહી. જાણકારોનું માનીએ તો આ ફૂડનાં સેવનથી ગાળની સાથે હાર્ટને પણ નુકસાન થાય છે.
કોબી કે ફુલાવર
આ બન્ને પ્રાકારના શાકની અંદર ગાઈટ્રોગન (guitornoids) નામનું તત્વ ખૂબ વધારે માત્રામાં હોય છે. આ થાઈરોઈડની સમસ્યાને વધારે છે. માટે તેનું સેવન ન કરો.
સોયાબીન
સોયાબીનનો ઉપયોગ મોટાભાગે શાકની રીતે કરવામાં આવે છે. પરંતુ તેનું તેલ પણ મળે છે. જેને આપણે ખાવામાં ઉપયોગ કરીએ છીએ. પરંતુ શું તમને એ વાતની જાણકારી છે કે સોયાબીનમાં પણ ગોઈટ્રોગન હોય છે જે થાઈરોઈડ રોગ માટે જવાબદાર હોય છે. માટે જો તમે સોયાબીન ખાઓ છો તો તમારા શરીરમાં થાયરોક્સિન વધાવાનું કામ થાય છે. થાયરોક્સિનના વધવાનું આ કામ થવાથી થાયરોઈડની બિમારી થાય છે. જે આપણી બોડી માટે બિલકુલ પણ સારૂ નથી.
મીઠુ
કદાચ તમને આ વાતની જાણકારી ન હોય કે થાઈરોઈડ ગ્લેન્ડ મીઠાનો ઉપયોગ કરીને થાયરોક્સિન હોર્મોન બનાવે છે. માટે જ્યારે પણ આપણી બોડીમાં આયોડીનની કમી હોય છે તો થાયરોઈડ ગ્લેન્ડ લાગે છે. માટે આયોડીન મીઠુ પર્યાપ્ત માત્રામાં ખાવાની સલાહ આપવામાં આવે છે. સિંધવ મીઠુને પોતાના ડાયટમાં શામેલ કરો.