ખીલની સમસ્યાથી કંટાળી ગયા છો? તો અપનાવો આ ઉપાયો અને મેળવો આમાંથી છૂટકારો

યુવાનની ઉંમર સાથે, કેટલાક લોકોને નાના તો કેટલાક લોકને મોટા મોટા ખીલની સમસ્યા થાય છે.તેને જયારે હાથ દ્વારા અડકવાથી, ખંજવાળવાથી અથવા વારે વારે ઘસવાથી ત્વચા પર ખાડા બની જતા હોય છે, તેથી તેને હાથ અડકતા ટાળવું જોઈએ. આજે અમે તમને કેટલીક ઘરેલું ટીપ્સ શેર કરી રહ્યાં છીએ, જેથી તમે તેનાથી છૂટકારો મેળવી શકો.

આ ઘરેલું ઉપાયને અનુસરો:

– આંખોમાં તમે જે આંખના ટીપાનો ઉપયોગ કરો છો તે પિમ્પલ્સ પર પણ લગાવી શકાય છે. આ પિમ્પલ્સમાં થતી પીડા અને બળતરાને દૂર કરી શકે છે.

image source

– કાળા મરીની પેસ્ટ તૈયાર કરો. ચહેરા પર જ્યાં પણ ખીલ હોય છે ત્યાં મરીના દાણાની પેસ્ટ સારી રીતે લગાવો. થોડો સમય સુકાવા દો. તે પછી ચહેરો ધોઈ લો. આ ઉપાય દ્વારા તમારા ચેહરા પરના ખીલ થોડા સમયમાંજ અદૃશ્ય થઈ જશે.

image source

– લીમડાનું પેસ્ટ ખીલથી રાહત આપે છે. લીમડાના પાન પીસી લો. થોડું પાણી ઉમેરો અને ચહેરા પર લગાવો. જ્યારે તમે સતત તેનો ઉપયોગ કરો છો ત્યારે તે ખીલને ઓછા કરવાનું શરૂ કરી દેશે.

– જાયફળના પાવડરને દૂધમાં મિક્સ કરી પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને ખીલ પર સારી રીતે લગાવો. જયારે પેસ્ટ સુકાઈ જાય ત્યારેચહેરાને પાણીથી ધોઈ લો. તમે તેને રાતના સમયે ચહેરા પર લગાવી શકો છો અને સૂઈ શકો છો.

image source

– તમારા ચેહરા પર થોડું મધ લગાવો અને ખીલ ઉપર હળવા હાથે માલિશ કરો. એક કલાક પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો. મધના નિયમિત ઉપયોગથી છિદ્રો ખુલે છે. ઉપરાંત, ત્વચા પર ખીલ દૂર કરી શકાય છે. મધમાં કુદરતી મીઠું હોય છે જે ત્વચાનું ભેજ જાળવી રાખે છે અને તેને નરમ બનાવે છે.

– તમે તો જાણતા જ હસો કે એલોવેરા ત્વચા માટે ઘણું ફાયદાકારક છે. એલોવેરામાં મળતા તેના એન્ટીઓકિસડન્ટ અને એન્ટીબેક્ટેરિયલ ગુણ ત્વચાકોષીય રોગોને મટાડવામાં અસરકારક છે. તેને ખીલ પર લગાવો અને હાથથી હળવા હાથે મસાજ કરો. તેને આખી રાત લગાવી રાખો અને સવારે ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો. એક મહિના સુધી આ રીતે કરવાથી ખીલની સમસ્યામાં ફાયદો થાય છે.

image source

– ચંદન પાવડર અને ગુલાબ જલ ત્વચાને ઠંડક આપે છે. ચંદનના પાવડરમાં ગુલાબજળ મિક્સ કરીને ચહેરા પર લગાવો. સૂકાયા પછી ઠંડા પાણીથી ધોઈ લો. તે તમારી ત્વચાનું તેલ શોષી લે છે.

image source

– લીલા મેથીના પાન ધોઈ લો અને તેને સારી રીતે છૂંદીને તેનો રસ કાઢો. હવે આ રસને કોટનની મદદથી ચહેરા પર લગાવો. અડધા કલાક પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો. મેથીના પાંદનો ઉપયોગ બીજી રીતે પણ કરી શકાય છે. દહીં અને મેથીના પાનને ગ્રાઇન્ડરમાં નાખીને એક પેસ્ટ બનાવો. ચહેરાના અસરગ્રસ્ત ભાગ પર આ પેસ્ટ લગાવો પછી થોડા સમય માટે તેને રહેવા દો. તેથી તે પેસ્ટ સુકાઈ જાય. આ પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો. તમે અઠવાડિયામાં એક કે બે વાર આ કરી શકો છો.

– તાજા ગાયના દૂધમાં એક ચમચી ચિરોંજીને પીસીને ચહેરા પર લગાવો અને મસાજ કરો. સુકાઈ જાય પછી તેને ઠંડા પાણીથી ધોઈ લો. આ રીતથી તમારા ચેહરા પરના ખીલ થોડા દિવસોમાં જ દૂર થઈ જશે.

image source

– મસૂરની દાળ 2 ચમચી લો અને તેને બારીક પીસી લો. તેમાં થોડું દૂધ અને ઘી નાખીને તેને બરાબર મિક્સ કરી લો અને પાતળી પેસ્ટ બનાવો. આ પેસ્ટને તમારા ખીલ પર લગાવો. આનાથી તમારી ખીલ ની સમસ્યામાં ઘણો ફાયદો થાય છે.

image source

– મુલતાની માંટ્ટી લો અને તેમાં થોડું ગુલાબજળ નાખીને તેની એક પેસ્ટ બનાવો. આ પેસ્ટ તમારા ચેહરા પર લગાવો. તે સુકાઈ જાય પછી ઠંડા પાણીથી તમારો ચેહરો ધોઈ લો, અથવા તમે આ પેસ્ટ આખી રાત પણ રાખી શકો છો. મુલતાની માંટ્ટી ચેહરા માટે ખુબ અસરકારક માનવામાં આવે છે તે ખીલ તો દૂર કરશે પણ તમારા ચેહરાનો નિખાર પણ વધારશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત