શું તમે પ્રેગનન્ટ છો અને તમે કરી રહ્યા છો ઘરના આ 5 કામ? તો હવેથી કરી દેજો બંધ, નહિં તો બાળકને થશે નુકસાન
માતા અને શિશુના સ્વાસ્થ્ય સંબંધિત સમગ્ર વિશ્વભરમાં એ જ અનુભવ છે કે જ્યાં પણ નિયમિત તપાસ (એન્ટીનેટલ કેર) અને દેખભાળની સુવિધાઓ છે ત્યાં માતાનું સ્વાસ્થ્ય સારું રહેતું હોય છે તેમ જ શિશુ પણ સારા અને સ્વસ્થ રહે છે. જ્યાં તપાસ નથી થતી ત્યાં શિશુ અને માતામાં કોમ્પ્લિકેશન્સ તેમ જ મૃત્યુ દર વધારે હોય છે. ગર્ભાવસ્થા લગભગ નવ મહિના અને સાત દિવસ (280 દિવસ)ની હોય છે. આ સમયગાળા દરમિયાન નાની-મોટી તકલીફ રહેવી સામાન્ય વાત છે અને તેની ઉપર અનેક વિષય ઉપર સલાહ, માર્ગદર્શન, ઈલાજ, નિયમિત તપાસ લેવી જરૂરી હોય છે.
પહેલાં 3 મહિના ( 0 -3 મહિના )શું કરવું
માસિક ચુકી ગયાના 1 અઠવાડિયામાં સંપર્ક કરવો.
પ્રેગ્નનસી ચકાસવા યુરિન ટેસ્ટ કરવો
સોનોગ્રાફી ગર્ભનો વિકાસ અને ધબકારા જાણવા
ફોલિક એસિડ અને વિટામિન બી-12 ની દવા લેવી
antienatal profile (લોહી અને પેશાબ ની તપાસ)
શું ન કરવું
પ્રવાસ ન કરવો
તીખું તથા બહારની વસ્તુ ન ખાવી
સબંધ ન બાંધવો
ભારે કામ અને કસરત ન કરવું
બીજા 3 મહિના (3-6 મહિના) શું કરવું
સોનોગ્રાફી 20 થી 22 અઠવાડિયે બાળક માં ખોડખાપણ તપાસવા માટે (3ડી -4ડી)
ધનુરની રસી મહિનાના અંતરે બે લેવી
લોહી અને પેશાબના રિપોર્ટ કરાવવા (અન્ટિનેન્ટલ પ્રોફાઈલ)
હળવી કસરત અને પ્રાણાયામ કરવા
આર્યન કેલ્શિયમ અને પ્રોટીન ની દવા સલાહ મુજબ લેવી.
ત્રીજા ત્રણ મહિના ( 6- 9 મહિના )
ડોક્ટર ની સલાહ મુજબ કસરત કરવી
ફલૂનીરસીલેવી
Growth સોનોગ્રાફી 7 મહિનેકરાવવી
કલર ડોપ્લર સોનોગ્રાફી નવમાં મહિને (36 અઠવાડિયે )કરાવવી
બાળકને મળતા ઓકસિજન ની જાણકારી
બાળકની 10 મુવમેન્ટ જોવી (સવારે 8 થી રાતના 8 સુધી)
શું ન કરવું
પ્રવાસ ન કરવો (ડોક્ટર ની રજા મુજબ પ્રવાસ કરવો )
ગર્ભવતી સ્ત્રીઓ માટે થોડી સલાહ
● ગર્ભવતી સ્ત્રીએ ખાવાપીવામાં ધ્યાન રાખવું જેથી તે તંદુરસ્ત રહી શકે. તે શું શું ખાઈ શકે? તેણે ફળો, શાકભાજી (ખાસ કરીને લીલા, નારંગી અને લાલ), કઠોળ (જેમ કે ચણા, સોયાબીન, મસુર, વટાણા વગેરે), અને મકાઈ, ઘઉં, જવ જેવું અનાજ લેવું જોઈએ. મીટ ખાતા હોય તો, ફીશ, ચીકન, બીફ, ઈંડા, ચીઝ અને દુધ લેવું જોઈએ. ઘી, ખાંડ, નિમક જેવી ચીજો બહુ ખાવી ન જોઈએ. પુષ્કળ પાણી પીવું જોઈએ. કેફી પીણા ઓછા કરી નાખવા જોઈએ, જેમ કે ચા અને કોફી. તેઓએ કલર કે ફ્લેવર ઉમેરેલા કેમિકલયુક્ત ખોરાક પણ ટાળવા જોઈએ. સ્ટાર્ચ, માટી અને બીજી પચે નહિ એવી ચીજો ખાવાથી બીમાર પડાય છે.
● તમે કેવા વાતાવરણમાં છો એનું પણ ધ્યાન રાખવું જોઈએ. દાખલા તરીકે, જ્યાં એક્સ-રે લેતા હોય ત્યાં જવું ન જોઈએ. અથવા ખતરનાક કેમિકલ્સથી પણ દૂર રહેવું જોઈએ. ઘરે કોઈ પણ જાતના સ્પ્રે અને બીજી કોઈ સાફસફાઈની દવા વાપરવાનું ઓછું કરી દેવું. તમે સખત ગરમીમાં ન રહો. જો કસરત કરતા હો તો શરીરમાં ગરમી ન ચડવી જોઈએ. બહુ વખત ઊભા પગે ન રહો તેમ જ વધારે પડતો આરામ પણ ટાળવો જોઈએ. મુસાફરી કરતી વખતે બેઠા હોય તો સીટ બેલ્ટનો ઉપયોગ બરાબર કરવો જોઈએ.
આ ઉપરાંત વજન ઉંચકવું, ઉભા રહીને વધુ કામ કરવું, ઉંચે ચઢીને કરવાના કામો, બાથરૂમ ધોવા તેમજ ઘરની સાફ સફાઇ જેવા કામો ન કરવા જોઇએ.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત