રણબીરનું દર્દ છલકાયું કહ્યું કે આલિયા બેડરૂમમાં મને નહીં, પણ અન્યને પ્રેમ કરે છે….
આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નને એક મહિનો થઈ ગયો છે. બોલિવૂડનું આ કપલ 2018થી એકબીજાને ડેટ કરી રહ્યું હતું. રણબીર કપૂરે ચાર વર્ષ સુધી ડેટિંગ કર્યા બાદ ગયા મહિને આલિયા ભટ્ટ સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન બાંદ્રામાં રણબીરના એપાર્ટમેન્ટમાં થયા હતા. આ લગ્નમાં કપૂર અને ભટ્ટ પરિવાર ઉપરાંત નજીકના મિત્રો અને સંબંધીઓ હાજર રહ્યા હતા.
રણબીર અને આલિયાના લગ્નની ઘણા સમયથી અટકળો ચાલી રહી હતી. તેમના લગ્ન સમારોહની શરૂઆત ભગવાન ગણેશની પૂજા સાથે થઈ હતી. આ પછી હલ્દી, મહેંદી જેવા ફંક્શન પણ કરવામાં આવ્યા હતા.રણબીર અને આલિયા બંનેએ લગ્નમાં સબ્યસાચીનો ડિઝાઈન કરેલો ડ્રેસ પહેર્યો હતો. આલિયાએ પોતાનો લુક ખૂબ જ સિમ્પલ રાખ્યો હતો, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. રણબીર આલિયાના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી હતી.
હવે લગ્નના એક મહિના બાદ રણબીર કપૂરની પીડા છલકાઈને બહાર આવી છે. વાસ્તવમાં, તાજેતરમાં જ રણબીરે આલિયા સાથે જોડાયેલા એક સવાલ પર આવો જવાબ આપતાં તે અચાનક જ ચર્ચામાં આવી ગયો છે. રણબીરે મીડિયાને જણાવ્યું હતું કે આલિયા રણબીર સિવાય અન્યને વધારે પ્રેમ કરે છે. ગભરાશો નહીં, રણબીર અહીં આલિયાની બિલાડી એડવર્ડ વિશે વાત કરી રહ્યો છે.
હા, રણબીરે મીડિયાને કહ્યું કે, આલિયા એડવર્ડને સૌથી વધુ પ્રેમ કરે છે, મારા કરતા પણ વધારે. તમને જણાવી દઈએ કે એડવર્ડે આલિયાના લગ્નમાં બ્રાઈડ ઓફ ઓનરનો અધિકાર પણ ભજવ્યો હતો. બીજી તરફ આલિયા અને રણબીરના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો બંને બ્રહ્માસ્ત્રમાં સાથે જોવા મળશે.