શર્મિલા ટાગોરના મુશ્કેલ સમયમાં કરીનાએ સાથ આપ્યો હતો, શર્મિલા ટાગોરે વહુના જોરદાર વખાણ કર્યા હતા.

કરીના કપૂર એક એવી અભિનેત્રી છે જે પોતાની પ્રોફેશનલ લાઇફની સાથે સાથે પર્સનલ લાઇફને કારણે પણ ચર્ચામાં રહે છે. કરીનાએ અભિનેતા સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા હતા. ફિલ્મ ટશનના શૂટિંગ દરમિયાન બંનેની નિકટતા વધી હતી અને ત્યારબાદ તેઓ લાંબા સમય સુધી લિવ ઇનમાં રહ્યા હતા. લાંબા સમય સુધી ડેટિંગ કર્યા પછી બંનેએ લગ્ન કરી લીધા અને દસ વર્ષ પછી પણ તેમનો સંબંધ ખૂબ જ મજબૂતીથી આગળ વધી રહ્યો છે.

image source

સૈફના પરિવારમાં કરીનાએ પોતાની ખાસ જગ્યા બનાવી છે. કરીના પટૌડી પરિવારના તમામ સભ્યો સાથે સારી રીતે રહે છે. સૈફની માતા શર્મિલા ટાગોર પણ કરીનાના વખાણ કરતાં થાકતી નથી. એક ઈન્ટરવ્યુમાં સાસુ શર્મિલા ટાગોરે તેમની વહુ કરીનાના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે જ્યારે મન્સૂર અલી ખાન પટૌડીનું અવસાન થયું ત્યારે કરીનાએ તે મુશ્કેલ સમયમાં તેમનો ઘણો સાથ આપ્યો હતો.

image source

શર્મિલા ટાગોરે કહ્યું હતું કે, 21 સપ્ટેમ્બરે કરીનાનો જન્મદિવસ હતો અને 22ના રોજ ટાઈગર (મન્સૂર અલી ખાન)નું મૃત્યુ થયું હતું. કરીના ત્યાં મારા બાળકો અને પરિવારના સભ્યો સાથે હતી. મને એ વાત હંમેશા યાદ છે. કરીના ખુબ અદ્ભુત અને શક્તિશાળી મહિલા છે.