પોષક તત્વોથી ભરપુર છે શેરડીનો રસ, જાણો આ ફાયદાઓ વિશે તમે પણ

જ્યારે રોગપ્રતિકારક શક્તિ નબળી હોય,ત્યારે વ્યક્તિ ચેપનો શિકાર બની બીમાર પડી જાય છે.જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો તો આ ઉનાળામાં પુષ્કળ શેરડીનો રસ પીવો.હા,શેરડીનો રસ સ્વાસ્થ્ય માટે વરદાન માનવામાં આવે છે.તો ચાલો જાણીએ શેરડીના રસ પીવાથી સ્વાસ્થ્યને થતા અદ્ભુત ફાયદા …

1. શેરડીનો રસ કાર્બોહાઈડ્રેટ,પ્રોટીન,આયરન,પોટેશિયમ અને અન્ય ઘણા આવશ્યક પોષક તત્ત્વોથી ભરેલો હોવાને કારણે વ્યક્તિના આરોગ્ય અને ઉર્જાના સ્તરને જાળવી રાખે છે.જેના કારણે વ્યક્તિનો થાક દૂર થાય છે અને શક્તિ મળે છે.

2. આયુર્વેદ મુજબ શેરડીનો રસ રેચક અને ક્ષારયુક્ત ગુણધર્મો દર્શાવે છે જેનાથી ઝાડામાં રાહત,પેટમાં બળતરા અને કબજિયાતથી રાહત થાય છે.

3. શેરડીનો રસ ખનિજોમાં ખૂબ સમૃદ્ધ માનવામાં આવે છે.તેમાં પોટેશિયમ અને ખનિજો શામેલ હોય છે,જે દાંતના સડો અને ખરાબ શ્વાસને રોકવામાં મદદ કરવા માટે એન્ટી બેક્ટેરિયા તરીકે કાર્ય કરે છે.આટલું જ નહીં, શેરડી ચાવવાથી મોમાં ઉત્તમ પ્રમાણમાં લાળ ઉત્પન્ન થાય છે.આ લાળ શેરડીમાં હાજર કેલ્શિયમ સાથે જોડાય છે,તે દાંતને મજબૂત બનાવે છે અને દાંતનો સડો દૂર કરે છે.

image source

4.શેરડી ફાયબરથી ભરપૂર હોય છે,તેથી તે શરીરમાં રહેલી વધારાની ચરબીને બાર કાઢે છે.ફાઈબર શરીરમાં ચરબીને નિયંત્રણ રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

5. શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તમે શેરડીનો રસ પી શકો છો.શેરડીનો રસ કુદરતી એન્ટીઓકિસડન્ટોથી ભરેલો હોય છે અને ચેપ સામે લડીને વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

image source

6. શેરડીમાં હાજર પોટેશિયમ પાચન તંત્રમાં સુધારો કરીને વ્યક્તિને ગેસ અને એસિડિટી જેવી સમસ્યાઓથી દૂર રાખવામાં મદદ કરે છે.

7.શેરડીનો રસ કેન્સર જેવા જીવલેણ રોગોને અટકાવે છે.તે ફ્લેવોનોઇડ્સથી ભરપૂર હોય છે,જે કેન્સર વિરોધી એજન્ટો તરીકે ઓળખાય છે.ફલાવોનોઇડ કોષોને સંતુલિત કરવા અને કેન્સરની અસરોથી બચાવવા માટે કાર્ય કરે છે.તમે ભવિષ્યમાં કેન્સરના જોખમને ટાળવા માટે શેરડીના રસને પી શકો છો.

IMAGE SOURCE

8.આપણે ઉપર જણાવ્યું છે તેમ,શેરડીના રસમાં એન્ટીઓકિસડન્ટ ગુણ હોય છે, જ આપણને શરીરમાં બેક્ટેરિયા,વાયરસ અથવા પરોપજીવીઓ દ્વારા થતાં ચેપ અને તાવથી બચાવે છે.

9.ગર્ભાવસ્થા દરમિયાન શેરડીનો રસ મહત્વપૂર્ણ હોય છે.તેમાં હાજર પોલિફેનોલ્સ ગર્ભાવસ્થા દરમિયાન ચયાપચય અને વજનને નિયંત્રણમાં લાવવાનું કાર્ય કરે છે.આ ઉપરાંત,શેરડીનું ઓછું ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઉર્જાના સ્તરને જાળવવામાં મદદ કરે છે.એક ગ્લાસ શેરડીનો રસ અને આદુનો રસ સગર્ભા સ્ત્રીઓમાં માંદગી ઘટાડવામાં મદદ કરી શકે છે.

image source

શેરડીનો રસ ગળાના દુખાવાને મટાડવા માટે પણ પી શકાય છે.એક અહેવાલ મુજબ,તેમાં એન્ટિઇંફ્લેમેટરી ગુણધર્મો રહેલા હોય છે,જે ગાળાના દુખાવાને દૂર કરે છે.

image source

પાચન તંત્રને સરળતાથી ચલાવવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે સાથે શેરડીનો રસ ઘાને પણ ઝડપથી મટાડવાનું કામ કરી શકે છે.શેરડી એન્ટીઓકિસડન્ટ ગુણધર્મોથી ભરપુર છે અને એન્ટીઓકિસડન્ટો ચેપગ્રસ્ત અને બિન-ચેપગ્રસ્ત ઘાને ઝડપથી મટાડવાનું કામ કરી શકે છે.આ ઉપરાંત,શેરડી રોગપ્રતિકારક શક્તિ વધારવાનું પણ કાર્ય કરે છે,જે શરીરને કોઈપણ પ્રકારના ઘા સામે લડવામાં મદદ કરે છે.

શેરડીના રસના સ્વાસ્થ્ય લાભોમાં સ્નાયુઓની શક્તિમાં વધારો થવો પણ શામેલ છે.શેરડીમાં ગ્લુકોઝનો સારો સ્રોત રહેલો હોય છે,જે સ્નાયુઓના આરોગ્ય માટે એક આવશ્યક તત્વ માનવામાં આવે છે.

image source

આંતરિક આરોગ્ય માટે શેરડીના રસના ફાયદાઓ જાણ્યા પછી,હવે આપણે એ જાણીયે કે શેરડીનો રસ ત્વચા માટે કેટલો ફાયદાકારક છે.શેરડીનો રસ આલ્ફા હાઇડ્રોક્સિ એસિડ (એએચએ) નો સ્રોત છે,તેથી તે ત્વચા માટે એક ખાસ ઘટક માનવામાં આવે છે.આલ્ફા હાઇડ્રોક્સિ એસિડ્સમાં ગ્લાયકોલિક એસિડ,લેક્ટિક એસિડ, મૈલિક એસિડ,ટાર્ટરિક એસિડ અને સાઇટ્રિક એસિડ હોય છે,જેનો ઉપયોગ કોસ્મેટિક ઉત્પાદનોમાં થાય છે.આ એસિડ્સ ખીલને દૂર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને તમારી ત્વચા પણ સુંદર બનાવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત