કોરોના કાળમાં ગળાની સમસ્યા તમારો લઇ શકે છે જીવ, જાણો કેવી રીતે મેળવશો આમાંથી છૂટકારો

ખોટી ખાવાની રીતો અને ઋતુના પરિવર્તનને લીધે ગળા સાથે સંકળાયેલી ઘણી સમસ્યાઓ ઘણીવાર થાય છે. આ સમસ્યાના કારણે ઘણીવાર ગળામાં દુખાવો થઈ શકે છે અને આ દુખાવાના કારણે ગળામાં સોજો,જાડો અવાજ,હળવી ઉધરસ, પીડા અને જમવામાં તથા પાણી પીવામાં પણ સમસ્યા થઈ શકે છે.આજે અમે તમને જણાવીશું કે તમે ગળાના ચેપથી કેવી રીતે છૂટકારો મેળવી શકો છો.

એક ગ્લાસ હૂંફાળા પાણીમાં 2 ચપટી મીઠું નાંખો અને આ પાણીથી દિવસમાં 3 થી 4 વખત કોગળા કરો.આ ઉપાય તમને ગળામાંથી દુખાવાથી છુટકારો મેળવવામાં મદદ કરી શકે છે.

image soucre

આમલીમાં વિટામિન સી હોય છે.ગળાના દુખાવાથી છૂટકારો મેળવવા માટે આમલીના પાણીથી કોગળા કરવું એ ફાયદાકારક રહેશે.ધ્યાનમાં રાખો કે તમારે માત્ર કોગળા કરવા પડશે આમલીનું પાણી પીવું નહીં.

ગળામાં થતા દુખાવા અને બળતરાથી છુટકારો મેળવવા માટે રાત્રે સૂતા પહેલા 1 ચમચી હળદર અને એક ચપટી કાળા મરીનું મિશ્રણ 1 ગ્લાસ ગરમ દૂધ સાથે પીવો.આ મિક્ષણ સવારે જ તમારા ગળાનો દુખાવો દૂર કરશે.

image soucre

જો તમને ગળામાં દુખાવો થાય છે,તો એલચીનું સેવન કરો.એલચીનું સેવન કરવાથી ગળામાં થતો દુખાવો તથા ગળાની દરેક સમસ્યા દૂર થશે.
એક કપ પાણીમાં 4 થી 5 કાળા મરી અને તુલસીના 5 પાન ઉકાળો અને એક ઉકાળો બનાવો.આ ઉકાળો રાત્રે સૂતી વખતે પીવાથી ફાયદો થશે.આ સિવાય જો તમે ખાવામાં માત્ર સાદી ચીજો જ ખાશો તો સારું રહેશે.

image soucre

પાલકના પાંદડા પીસીને પાટો બનાવો અને તેને ગળામાં બાંધી દો અને 15 થી 20 મિનિટ સુધી તેને પકડી રાખો. આ સિવાય કોથમીર લો અને તેનો પાઉડર બનાવો અને તેમાં ગુલાબજળ મિક્સ કરીને તેને ગળા પર લગાવો.આ ઉપાય પણ ગળામાં થતી બળતરા દૂર કરશે.

કાળા મારીને પીસી અને તેમાં થોડું ઘી ઉમેરી તેનું મિક્ષણ બનાવો.આ મિક્ષણ ચાટવાથી ગાળાની સમસ્યામાં રાહત મળે છે.તેમજ કાળા મરીને 2 બદામ સાથે પીસીને પીવાથી ગળાના રોગો મટે છે.

image soucre

લસણમાં એલિસિન નામનું એક વિશેષ તત્વ હોય છે,જે ગળામાં ચેપ પેદા કરનારા બેક્ટેરિયાને મારી નાખે છે.તેથી ગળામાં થતો દુખાવો અને બળતરા દૂર કરવા માટે લસણનું સેવન કરો.

image soucre

એક ગ્લાસ હૂંફાળા પાણીમાં એક ચમચી મધ અને લીંબુનો રસ મેળવીને રોજ ત્રણ વખત પીવાથી સુકી ઉધરસ અને ગળામાં થતી તકલીફની સમસ્યાથી રાહત મળે છે.મધ હાયપરટોનિક ઓસ્મોટિક હાયપરોનિક ઓસ્મોટિકની જેમ કાર્ય કરે છે,જે ગળામાં બળતરા અને પીડાને દૂર કરવામાં મદદ કરે છે.
મુલેઠી ચાવવાથી ગળાની સમસ્યામાંથી રાહત મળે છે.હવામાન પરિવર્તનને કારણે ગળાના દુખાવાથી અથવા ગળામાં થતી બળતરા દૂર કરવા માટે મુલેઠી ફાયદાકારક છે.

image soucre

લવિંગ એન્ટીબેક્ટેરિયલ ગુણથી ભરપુર છે.જ્યારે પણ તમને ગળામાં દુખાવો અથવા બળતરા થાય ત્યારે લવિંગ મોમાં રાખવાથી અને તેનો રસ ચૂસવાથી તમને ઘણો ફાયદો થશે.

image soucre

ગળામાં ભેજ જાળવવા માટે પાણી અને રસ જેવા પુષ્કળ પ્રવાહી પીવો.

હળવો,ઓટ્સ અને સૂપ જેવી નરમ ચીજો ખાઓ અને પીવો.

આદુ,એલચી અને કાળા મરીની ચા ગળાના દુખાવામાં ખૂબ રાહત આપે છે.આ ચામાં એન્ટીબેક્ટેરિયલ ગુણ પણ છે.આ ચા નિયમિત પીવાથી ગળામાં રાહત થાય છે અને દુખાવો દૂર થાય છે.

ધૂમ્રપાન ન કરો અને વધુ પ્રમાણમાં તૈલી-મસાલાવાળા ખોરાક ન લો.

image soucre

ખાવા પીવામાં ખાસ ધ્યાન રાખવું.ફ્રિજમાંથી ઠંડુ પાણી પીશો નહીં અથવા અન્ય ઠંડી વસ્તુઓના સેવનથી બચો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત