સવારે ખાલી પેટ નવશેકા પાણીમાં લીંબુનો રસ નાખીને પીવાથી થાય છે આટલા બધા ફાયદાઓ, જાણો તમે પણ
ગરમીની સિઝનમાં શરીરને પ્રવાહીની વધારે જરૂર પડે છે અને આ માટે લોકોનું મનપસંદ પીણું લીંબુ શરબત છે. લીંબુ પાણી શરીર માટે ઘણું જ ઉપયોગી સાબિત થાય છે. લીંબુ પાણીમાં ઘણા પ્રકારના પોષક તત્વો રહેલા હોય છે જે શરીરના સ્વસ્થ અને તાજગીભર્યું બનાવી રાખવામાં મદદ કરે છે.સવારે ખાલી પેટે લીંબુ પાણી પીવું શરીર માટે ઘણું જ અસરદાર હોય છે. તેનાથી પાચનતંત્ર યોગ્ય રીતે કામ કરે છે અને રોગ પ્રતિકારક ક્ષમતા પણ મજબૂત બને છે. આ ઉપરાંત સવારે ખાલી પેટે લીંબુ પાણી પીવાથી ઘણી બીમારીઓ દૂર કરી શકાય છે.એવુ ક્યું ઘર છે જ્યાં રસોઈમાં લીંબુ ન મળે. પેટ ખરાબ હોવાથી અથવા ઉલ્ટી મેહસુસ હોવા પર ઘણીવખત લોકો લીંબુનો સહારો લેતા હોય છે. તો શું તેનો મતલબ એ થયો કે, લીંબુ ઉબકા આવે તેમાંથી છુટકારો અપવવા માટે સારુ છે. લીંબુના ગુણ વિશે જાણીને તમે હેરાન થઈ શકો છો. આ પેટથી જોડાયેલી ઘણી સમસ્યાઓ સિવાય પોષક તત્વોથી ભરપૂર, ડાયાબિટિસમાં લાભદાયક અને વજન નિયંત્રણમાં કારગાર હોય છે. એક નજર લીંબુના ફાયદાઓ પર નાખીએ છીએ.
આપણને બધાને પાચનશક્તિ સાથે જોડાયેલી ઘણી અસર રહે છે, પરંતુ લોકો નવશેકા પાણીમાં લીંબુ નીચવીને પીવે છે. તેમને આ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. દરરોજ સવારે દિવસની શરૂઆત આ પાણીની સાથે કરો.
તમને જાણીને હેરાની થઈ શકે છે, પરંતુ એ સાચુ છે કે, નવશેકા પાણીમાં લીંબુ નીચવી નિયમિત રૂપથી સેવન કરવા પર તમાને કોમન કોલ્ડ, શરદી, ઉધરસ અને ગળા સંબંધિત રોગ હોતા નથી. આવુ એટલા માટે કારણ કે, લીંબુમાં હાજર સાઈટ્રિક એસિડ તમારા ગળામાં કોઈ પ્રકારના સંક્રમણને ઉછરવા દેતા નથી.
જો તમે દરરોજ સવારના સમયે બે લીંબુના રસને નવશેકા પાણીમાં મિક્સ કરી તેનુ સેવન કરો છો તો, તમારે કિડની સ્ટોન્સની સમસ્યા હોતી નથી. કારણ કે, સાઈટ્રિક એસિડ શરીમાં સ્ટોન્સને ઉછરવા દેતા નથી.
શરીરમાં ડિહાઈડ્રેશનની સમસ્યા હોવા પર વારંવાર મોઢુ સૂકાઈ જવુ, વારંવાર તરસ લાગવી અને પાણી પીતા જ યૂરિન આવવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ બધી પરિસ્થિતિઓથી બચવામાં લીંબુ એક પ્રભાવી રીત છે.
વધેલુ જાડાપણુ તમને ઘણા પ્રકારની બીમારીઓનો શિકાર બનાવી શકે છે. તેમાં હાઈપરટેંશન, હાઈ સ્ટ્રોક અને અન્ય કાર્ડિયોવસ્કુલર ડિજીજ પણ સામેલ છે, પરંતુ નિયમિત રૂપથી લીંબુનું સેવન કરવા પર તમારુ વજન નિયંત્રિત રહે છે.
રોજ સવારે લીંબુનું સેવન કરવાથી ત્વચામાં ચમક આવે છે. દરરોજ લીંબુ પાણીના સેવાનથી ચહેરા પરના ડાઘ દૂર થાય છે. જ્યારે વધતી ઊંમરની કરચલીઓને પણ ઘટાડી શકાય છે. ચમકદાર ત્વચા માટે લીંબુ પાણી ઘણું મદદરૂપ થાય છે.
લીંબુમાં વિટામીન સીનું પ્રમાણ ઘણું જ હોય છે જેનાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિને વધારવામાં મદદ મળે છે. સવારે ખાલી પેટ લીંબુ પાણી પીવાથી રોગ પ્રતિકારક ક્ષમતા વધારી શકાય છે.
ઊનાળાની સિઝનમાં લીંબુનો આ ગુણ સૌથી વધારે મહત્વનો બની જાય છે. ગરમીથી કંટાળીને થાકી ગયા બાદ જો શરીરમાં ફરીથી જાદગી લાવવી હોય તો લીંબુ પાણી રામબાણ ઈલાજ છે. રોજ સવારે લીંબુ પાણી પીવાથી શરીરમાં તાજગી આવી જાય છે. લીંબુ પાણીથી મૂડ પણ સારો બની જાય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત