પિરિયડ્સમાં હોય ત્યારે સ્ત્રીઓને અથાણાં અડવાની ના પાડવામાં આવે છે, જાણી લો શું છે આ પાછળનું કારણ
આજે પણ ઘણી સ્ત્રી પીરિયડ્સ દરમિયાન અથાણાંને અડતી નથી. એ આવું કેમ કરે છે, એ એમને પોતાને પણ ખબર નથી. ઘરની વડીલ સ્ત્રીઓ આવું કરે છે એટલે એ પણ આ નિયમને અનુસરે છે. આખરે પીરિયડ્સના સમયે સ્ત્રીઓને અથાણાંને અડવાણી ના શા માટે પાડવામાં આવે છે?
પીરિયડ્સ દરમિયાન અથાણાંને અડવાની ના પાડવા પાછળ આ છે માન્યતા.
આપના દેશમાં આજે પણ ઘણી જગ્યાએ પીરિયડ્સ દરમિયાન સ્ત્રીઓ કિચન, મંદિર, અથાણું, છોડ વગેરેને અડતી નથી. એવું માનવામાં આવે છે કે પીરિયડ્સ દરમિયાન જો સ્ત્રીઓ આ વસ્તુઓને અડકે તો એ વસ્તુઓ અશુદ્ધ થઈ જાય છે. આપના દેશમાં આજે પણ ઘણી જગ્યાએ પીરિયડ્સ દરમિયાન સ્ત્રીઓ સાથે અછૂત જેવો વ્યવહાર કરવામાં આવે છે.
પીરિયડ્સ દરમિયાન અથાણું ન અડવા પાછળ આ છે હકીકત.
પહેલાના સમયના સ્ત્રીઓને પીરિયડ્સ દરમિયાન કિચન, મંદિર, છોડ વગેરેને ન અડવા દેવા પાછળ કારણ હતા. એ સમયે સ્ત્રીઓ પાસે શૌચાલય, સેનેટરી પેડ, સાબુ વગેરેની સુવિધાઓ નહોતી. સ્ત્રીઓ પીરિયડ્સ દરમિયાન કપડાનો ઉપયોગ કરતી હતી. એવામાં હાઈજિન જાળવી રાખવા માટે સ્ત્રીઓને કિચન, મંદિર, અથાણું, પાપડ વગેરેને અડવાની ના પાડવામાં આવતી હતી પણ લોકોએ ધીમે ધીમે એને અશુદ્ધ કહેવાનું શરૂ કરી દીધું. જો સ્ત્રીઓ સ્વચ્છતાનું પૂરેપૂરું ધ્યાન રાખે છે તો એમાં શુભ અશુભ જેવી કોઈ વાત જ નથી. પીરિયડ્સ દરમિયાન જો સ્ત્રીઓ હાઈજિનનું ખાસ ધ્યાન રાખે તો એ કોઈપણ વસ્તુને અડી શકે છે.
છોકરીઓ માને છે પીરિયડ્સને એક બીમારી.
હાલમાં જ ભારતમાં લગભગ એક લાખ છોકરીઓ પર શોધ કરવામાં આવી જેમાં જાણવા મળ્યું કે અડધી છોકરીઓને તો એ ખબર જ નથી કે પીરિયડ્સ શુ છે. જ્યારે આ છોકરીઓ પહેલી વાર પીરિયડ્સમાં થઈ તો રક્ત સ્ત્રાવ અને ભયાનક દુખાવાના કારણે ચિંતામાં મુકાઈ ગઈ હતી. એમાંથી અમુકને લાગ્યું કે એ હવે મરવાની છે કે પછી એમને કોઈ ગંભીર બીમારી થઈ ગઈ છે.
પીરિયડ્સને લઈને સમાજ તો સદીઓથી આવો જ હતો અને આવનારા સમયમાં પણ આવો જ રહેશે જ્યાં સુધી એનો હાઉ બનાવીને રાખવામાં આવશે અને એ વિશે ખુલીને વાત નહિ કરવામાં આવે. સ્ત્રીઓએ સમજવું પડશે કે આ રક્ત એ છે જે એમને જીવનનું સર્જન કરવાની શક્તિ આપે છે તો પછી એના માટે શરમમાં શુ કામ મુકાવું પડે. એમને આ વાત પર ગર્વ હોવો જોઈએ.
તો મારા દેશની છોકરીઓ હવે શરમમાં મુકાવાનો વારો એમનો છે જે પીરિયડ્સને અપરાધ માનીને છોકરીઓને સજા આપે છે. હિંમત કરો, પેડ્સ પોતે જાતે જ ખરીદો. અથાણાંને હાથ લગાવીને બતાવો કે પીરિયડ્સમાં એને અડવાથી એ ખરાબ નથી થતું. આ માન્યતાઓ તમારે જાતે જ તોડવી પડશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત