કેટલીક વસ્તુઓ એવી હોય છે જેમને ગરમ કરવાથી ઝેર જેવી બની જાય છે, જાણી લો એ વસ્તુઓ કઈ છે.
સામાન્ય રીતે આપણે ભારતીયો એક જ વસ્તુને બે વાર ઉપયોગમાં લેવાની આદત ધરાવતા હોઈએ છીએ, ખાસ કરીને ઘરની સ્ત્રીઓને આમાં મહારત હાસલ હોય છે. રસોડામાં અવારનવાર આમ થાય છે. જેમકે જમવાનું પત્યા પછી જો એ વધી જાય તો એને ફ્રિઝમાં સ્ટોર કરી દેવામાં આવે અને પછી બીજે ટાઈમ જમવામાં ફરી એનો ઉપયોગ કરવામાં આવે છે.
જો કે ઘણા લોકો તો એટલા આળસુ પણ હોય છે કે એક જ સમયે બંને ટાઈમનું જમવાનું સાથે બનાવી દેતા હોય છે. વર્કિંગ વુમન હોય ત્યારે આવું વધારે જોવા મળતું હોય છે. જો કે આપણે આવા સમયે બચાવવાના ચક્કરમાં ભૂલી જઈએ છીએ કે, બીજી વાર જમવાનું ગરમ કરવાથી એના પોષક તત્વો અને સ્વાદ બંનેના કંપોઝિશનમાં ફેરફાર થઇ જાય છે. કેટલીક વસ્તુઓ તો બીજી વાર ગરમ કરવાથી ઝેર જેવી બની જાય છે.
બટાકા
દરેકના ઘરમાં બટાકા અને ડુંગળીની જોડી લાંબો સમય સચવાતા શાકભાજી તરીકે હોય છે. જો કે લોકોને લાગે છે કે આ સાચવવા સરળ છે, અને ગમે ત્યારે તેને ગરમ કરીને ખાઈ શકાય. તો આપને જણાવી દઈએ કે બટાકામાં પોટેશિયમ, વિટામિન-B6 અને વિટામિન સી વધુ પ્રમાણમાં હોય છે, જેને વારંવાર ગરમ કરવાથી બોટુલિઝ્મ નામના બેક્ટેરિયા ઉદભવતા હોય છે.
ચોખા
ચોખા પણ આ લીસ્ટમાં છે એ જાણીને તમને નવાઈ લાગશે, જો કે એક સંશોધનમાં એવો ચોકાવનારો ખુલાશો થયો છે કે ચોખાને બીજી વાર ગરમ કરવાથી ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે. કાચા ચોખામાં જીવાણુઓ હોય છે, જે ચોખાને રાંધ્યા પછી એમાં જીવતા થાય છે. એમાં જો ચોખા બનાવી લીધા પછી રસોડા અથવા રૂમ ટેમ્પરેચર પર મૂકી દેવામાં આવે તો એ જીવાણુઓ બેક્ટેરિયામાં બદલાઈ જતા હોય છે, અને એ ચોખા જમ્યા પછી તમને ઉલ્ટી થવાનો ખતરો પણ રહે છે.
પાલક
શક્ય હોય ત્યાં સુધી પાલકને ગરમ કરવાનું ટાળવું જોઈએ. જે ભાજીમાં નાઈટ્રેટ હોય છે એને બીજી વાર ગરમ કરવાથી કાર્સિનોજેનિક પ્રોપર્ટિઝ નામનું નકારાત્મક તત્વ એમાંથી રિલીઝ થાય છે, આ તત્વના શરીરમાં જવાથી કેન્સર થવાની સંભાવના રહે છે.
બીટ
બીટને રાંધ્યાના થોડા સમયમાં જ ખાઈ લેવા જોઈએ. બીટને પણ ક્યારેય બીજી વાર ગરમ કરવા જોઈએ નહીં. જો કે શક્ય હોય ત્યાં સુધી બીટનો ઉપયોગ સલાડ તરીકે જ કરવો જોઈએ.
મશરુમ
તમે જાણતા જ હશો કે મશરુમમાં પ્રોટીનનું પ્રમાણ ઘણું વધારે હોય છે. જો કે આ મશરૂમ કાપવાની સાથે જ એમાં રહેલી પ્રોટીનની માત્રા પણ ઓછી થવા લાગે છે, આ દ્રષ્ટીએ બને ત્યાં સુધી એમને રાંધ્યાના થોડા સમયમાં જ જમી લેવા જોઈએ. મશરૂમને બીજી વાર ગરમ કરવા સારા નથી, જો બીજી વાર તમારે એ મશરૂમ ખાવા છે તો એને ઠંડા જ ખાઈ લો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત