કપાળ બહુ કરચલીઓ પડી ગઇ છે? ઉંમર કરતા વધારે સ્કિન થઇ ગઇ છે ઘરડી? તો છૂટકારો મેળવવા માત્ર ફોલો કરો આ 2 ટિપ્સ
ચેહરા પરની અથવા તો કપાળ પરની કરચલીઓને વૃદ્ધાવસ્થાની નિશાની માનવામાં આવે છે,પરંતુ કેટલીકવાર કરચલીઓની સમસ્યા નાની ઉંમરે પણ શરૂ થઈ જાય છે.જો તમે પણ કપાળ પર કરચલીઓથી પરેશાન છો અને હંમેશા માટે આ કરચલીઓને બાય-બાય કેહવા માંગો છો,તો એક મહિના સુધી અહીં જણાવેલ કુદરતી ઉપાય અજમાવો.
કરચલીઓ ચહેરાની ત્વચાને નિસ્તેજ અને નિર્જીવ બનાવે છે.કારચીઓના કારણે ચહેરાની સુંદરતા ખોવાઈ જાય છે.કરચલીના કારણે આપનો દેખાવ નાની ઉંમરમાં જ વડીલો જેવા થઈ જાય છે.ઘણી વખત વધારે પડતો તાણ,સ્વાસ્થ્યવર્ધક આહાર,ત્વચાની બરાબર સંભાળ ન લેવી પણ કરચલીઓનું મુખ્ય કારણ હોઈ શકે છે. કેટલાક લોકોના કપાળ પર કરચલીઓ ખુબ જ આવે છે.શું તમને પણ કરચલીઓના કારણે મુશ્કેલી થાય છે અને તમે કપાળની કરચલીઓને મૂળમાંથી દૂર કરવા માંગો છો,તો પછી એક મહિના માટે કપાળની કરચલીઓ દૂર કરવા માટે અહીં જણાવેલ ઉપાય અજમાવો.
કપાળ પર કરચલી થવાના કારણો
ત્વચામાં કોલેજનની ઉણપ.
તમારી ત્વચા અલ્ટ્રાવાયોલેટ કિરણોના સંપર્કમાં આવવી.
બિનઆરોગ્યપ્રદ અને અસંતુલિત આહારનું સેવન કરવું.
ખૂબ ઓછી માત્રામાં પાણી પીવું.
વધુ ધૂમ્રપાન અને આલ્કોહોલનું સેવન કરવું.
કરચલીઓ તણાવ અને હતાશાને કારણે પણ થાય છે.
દરરોજ રાત્રે 6-7 કલાકથી ઓછી ઊંઘ લેવી.
અહીં જાણો કરચલીઓ દૂર કરવામાં સરળ ઉપાયો.
1. કપાળની કરચલીઓને દૂર કરવા માટે નાળિયેર તેલના ફાયદા.
નાળિયેર તેલમાં હાજર તત્વો કરચલીઓની સમસ્યા પર કાબૂ મેળવે છે.કપાળ પરની કરચલીઓ દૂર કરવા માટે તમારા કપાળ પર નાળિયેર તેલ લગાવો.બે મિનિટ સુધી તેની માલિશ કરો દરરોજ સુતા પહેલા થોડો સમય નાળિયેર તેલથી માલિશ કરવાથી કરચલીઓની સમસ્યા દૂર થઈ જશે.નાળિયેર તેલમાં રહેલા પોષક તત્વો ત્વચાને મોઇશ્ચરાઇઝ કરે છે.નાળિયેર તેલમાં હાજર એન્ટીઓકિસડન્ટો ત્વચામાં એકઠા થતા ફ્રી રેડિકલને દૂર કરે છે.ફ્રી રેડિકલ પણ કપાળ પર થતી કરચલીઓનું કારણ બને છે.
2. અળસીનું તેલ કરચલીઓ દૂર કરે છે.
અળસીના તેલમાં બનાવેલો ખોરાક બધા ખાય છે.અળસીના તેલનો ઉપયોગ સલાડમાં પણ થાય છે.એક મહિના સુધી સતત અળસીના તેલનું સેવન કરવાથી ત્વચા પરની કરચલીઓ દૂર થાય છે અને તમારા ચેહરાનો ગ્લો પણ વધે છે.અળસીનું તેલ એન્ટીઓકિસડન્ટોથી સમૃદ્ધ,ઓમેગા -3 ફેટી એસિડ્સ ત્વચાને નરમ પાડે છે.અળસીના તેલના સેવનથી ત્વચા શુષ્ક થતી નથી અને કપાળની કરચલીઓ ઓછી થાય છે.
3.બટેટાનો રસ કપાળ પરની કરચલીઓ દૂર કરે છે.
તમારા કપાળ પરની કરચલીઓ દૂર કરવા માટે તમે 2 નંગ બટેટાનો રસ કાઢો અને તેમાં થોડું ગરમ દૂધ નાખો અને અને થોડું પાણી નાખો.ત્યારબાદ આ મિક્ષણથી તમારા કપાળ પર મસાજ કરો અને થોડા સમય પછી ઠંડા પાણીથી તમારો ચેહરો સાફ કરો.જો તમે તમારા ચેહરા પરની કરચલીઓ પણ દૂર કરવા માંગો છો,તો આ મિક્ષણથી તમારા ચેહરા પર પણ મસાજ કરી શકો છો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત