કબજીયાતથી લઇને આ અનેક બીમારીઓમાં રાહત અપાવે છે આદુવાળું દૂધ, આ રીતે પીવો તમે પણ
તમે આદુના ફાયદા વિશે તો જાણો જ છો,દરરોજ આદુનું સેવન કરવાથી આપણે ઘણી બીમારીઓથી બચી શકીએ છે.જ્યારે પણ શરદી હોય ત્યારે તમે હંમેશાં આદુની ચા પીશો,પરંતુ શું તમે ક્યારેય આદુનું દૂધ પીધું છે ? જો અત્યાર સુધી તમે આદુવાળુ દૂધ નથી પીધું,તો જરૂરથી પીવો.આદુને દૂધમાં નાખીને પીવાથી તેના ફાયદા અનેકગણા વધી જાય છે.આદુમાં બળતરા વિરોધી અને એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે,જે તમને શરદી,વાયરલ ફ્લૂથી બચાવે છે.આદુનો એક નાનો ટુકડો લો અને તેને એકદમ બારીક પીસી લો.ત્યારબાદ 1 ગ્લાસ દૂધમાં પીસેલું આદુ નાખી તેને ધીમી આંચ પર થોડા સમય માટે ઉકાળો.ત્યારબાદ તેમાં થોડુંક મધ મિક્ષ કરીને ગાળીને પીવો.આ પીણું તમને અનેક રોગથી દૂર રાખશે.તો ચાલો અમે તમને જણાવીએ આદુવાળુ દૂધ પીવાથી થતા ફાયદાઓ વિશે.
કબજિયાતથી રાહત મળશે
જે લોકો હંમેશા કબજિયાતની ફરિયાદ કરતા હોય છે,તેઓએ નિશ્ચિતરૂપે આદુનું દૂધ પીવું જોઈએ.આ સિવાય આદુવાળુ દૂધ પીવાથી ગેસની સમસ્યા પણ ઓછી થાય છે.આદુમાં રહેલા બળતરા વિરોધી ગુણધર્મો પાચનને સુધારે છે.તે જ સમયે દૂધ કબજિયાત જેવી સમસ્યાઓથી રાહત આપે છે.તમારે દરરોજ સવારના નાસ્તામાં આ પીણું પીવું જોઈએ.સવારમાં આ પીણું પીવાથી તમને વધુ ફાયદો થશે.
ઇમ્યુન પાવર વધારે છે
બદલાતી ઋતુની સાથે ઘણી બીમારીઓ જેમ કે શરદી,ઉધરસ,કફ,ફલૂ,વાયરલ,તાવ વગેરે જેવા રોગો તમને ઘેરવાનું ચાલુ કરે છે.ખરેખર આ બધી બીમારીઓ શરીરમાં રોગપ્રતિકારક શક્તિના અભાવને કારણે છે,તેથી જેમનું શરીર ખૂબ નબળું છે,તેમને આ બીમારીની અસર સૌથી પેહલા થાય છે.તેથી જેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય,તેઓએ આદુનું દૂધ જરૂરથી પીવું જોઈએ.
પેટના દુખાવામાં રાહત
જો તમને પેટમાં દુખાવો હોય તો તમારે આદુવાળુ દૂધ જરૂરથી પીવું જોઈએ.તેમાં એન્ટીફંગલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણધર્મો પુષ્કળ પ્રમાણમાં હોય છે,જે પેટના દુખાવામાં રાહત માટે કામ કરે છે.
સંધિવાના દુખાવામાં રાહત આપે છે
દૂધમાં હાજર કેલ્શિયમ અને પોટેશિયમ હાડકાં માટે ખૂબ ફાયદાકારક છે.તેથી દૂધ તમારા હાડકાને મજબૂત બનાવે છે.તેવી જ રીતે આદુમાં બળતરા વિરોધી ગુણધર્મો છે,તેથી આદુ હાડકાની બળતરા ઘટાડે છે. સંધિવાના દર્દીઓ માટે આ પીણું ખૂબ ફાયદાકારક છે.આદુવાળુ દૂધ પીવાથી સંધિવાના દુખાવામાંથી ઝડપી રાહત મળે છે.
ગળામાં થતો દુખાવો દૂર કરે છે
જયારે ગળામાં દુખાવો થાય ત્યારે આદુનું દૂધ પીવું ખૂબ ફાયદાકારક છે.તે ગાળાના દુખાવામાં તો તરત રાહત આપે જ છે,પરંતુ ગળાના ચેપને પણ ઝડપથી મટાડે છે.જો તમને ગળામાં દુખાવો થઈ રહ્યો છે,તો રાત્રે સુતા પહેલા આદુનું દૂધ પીવો અને આદુનું દૂધ પીધા પછી એક કલાક સુધી પાણી ન પીવું.
કફની સમસ્યા દૂર કરે છે
તમે એવું કેહતા સાંભળ્યું જ હશે કે જેને કફની સમસ્યા હોય,તેઓએ દૂધથી દૂર રહેવું જોઈએ,પણ જો તમે આદુવાળુ દૂધ પીવો છો તો તે તમારા કફની સમસ્યા દૂર કરશે અને તરત જ તમને આરામ મળશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત