ગર્ભાવસ્થામાં ફાયદાકારક છે અજમો, જાણો સ્વાસ્થ્યને થતા આ અનેક લાભો વિશે તમે પણ

ગુણકારી અજમો

અજમાથી પાચનશક્તિ મજબુત થાય છે

અજમાથી ઉલટીમાં રાહત મળે છે

image source

અજમા ગર્ભાવસ્થામાં ગુણકારી છે

અજમાનું તેલ કાનની પીડામાં રાહત આપે છે

અજમા ખરજવામાં પણ લાભપ્રદ છે.

અજમાનું પાણી પીવાથી સંધિવામાં રાહત મળે છે

અજમાનું પાણી ઉધરસમાં રાહત આપે છે

image source

અજમા ખીલને દૂર કરે છે

આ ઉપરાંત પણ અજમાના ઘણા બધા ફાયદા છે.

અજમાથી દૂર થાય છે શરદી-ઉધરસથી લઈને લીવરની સમસ્યાઓ

આપણે આપણા રસોડામાં ઘણા બધા વ્યંજનોમાં અજમાનો ઉપયોગ કરીએ છીએ. તે ખુબ જ લાભપ્રદ હોવાથી આપણે ઇચ્છવા છતાં તેને અવગણી શકતા નથી. કેટલાક ઘરોમાં તો અજમાનો ખાટો-મીઠાવાળો મુખવાસ પણ બનાવી રાખવામાં આવે છે જેને હંમેશા જમ્યા બાદ લેવામાં આવે છે. તેનાથી પાચનતંત્ર સારું રહે છે. તો ચાલો જાણીએ અજમાના બેનિફિટ્સ.

image source

આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે – અજમા પાચક, તીખા, ગરમ, કડવા, શુક્રાણુઓ (સ્પર્મ)ના દોષને દૂર કરનારા, વીર્ય જનક, હાર્ટ માટે ગુણકારી, કફનો નાશ કરનારા, ગર્ભાશયને ઉત્તેજિત કરનારા, તાવ દૂર કરનારા, ઉલટી, પેટના રોગો, સાંધાના દુખાવા આ બધી જ સમસ્યાઓને દૂર કરનારી એક જડીબુટ્ટી જ છે.

image source

જો તમે મેદસ્વિતાથી પરેશાન થઈ ગયા છો તો તેવામાં, અજમાનુ સેવન કરો, તેનાથી મેદસ્વીતામાં ઘટાડો થાય છે. અજમાને મધ સાથે નિયમિત લેવાથી પથરીની સમસ્યા પણ દૂર થાય છે. હળદરની જેમજ અજમા પણ ડાયાબિટીસના દર્દીઓ માટે ખુબ જ લાભપ્રદ છે કારણ કે તે ફુગ સંક્રમણથી બચાવે છે. આ ઉપરાંત નીચે પણ અજમાના વિવિધ લાભો બાબતે મહિતી આપવામાં આવી છે જે જરૂર વાંચો.

અજમાનું પાણી પણ જો રોજ સવારે ઉઠીને ખાલી પેટે પીવામાં આવે તો તેનાથી સંપૂર્ણ શરીરને ફાયદો થાય છે.

ઉધરસ

અજમાના રસમાં 2 ચપટી સંચળ ભેળવી તેનું સેવન કરવું. ત્યાર બાદ ગરમ પાણી પીવું. તેનાથી ઉધરસ મટી જશે.

કાળી ઉધરસ

image source

જો તમે કાળી ઉધરસથી પરેશાન હોવ તો અજમાના રસમાં સરકો અને મધ મિક્સ કરો. પછી તેનું દિવસમાં બે વાર સેવન કરવું. તેનાથી રાહત મળશે.

શરદી

આ ઋતુમાં બંધ નાક અને શરદી થવી તે સામાન્ય છે. તેવામાં અજમાને વાટી કપડામાં બાંધી લો. પછી તેને સુંઘો તેનાથી ખુબ રાહત મળશે. આ ઉપરાંત થોડા અજમા બરાબર ચાવી લો અને પછી તેને પાણીથી ગળી જાઓ.

પેટમાં ગડબડ

image source

જો કોઈ કારણસર પેટમાં ગડબડ થઈ ગઈ હોય તો અજમા ચાવીને ખાઈ જવા અને પછી ગરમ પાણી પી લેવું. જો પેટમાં કૃમિ હોય તો અજમામાં સંચળ નાખીને પીવો.

મોઢાની બીમરીઓ

મોઢા સાથે જોડાયેલી બીમારીઓમાં પણ અજમો રાહત આપે છે. જો તમે રોજ સવારે તેનું પાણી પીશો તો દાંતની પીડા અને મોઢાની ગંધ દૂર થશે.

ગર્ભાવસ્થામાં લાભદાયક

ગર્ભાવસ્થ દરમિયાન સ્ત્રીઓને અજમા જરૂર ખાવા જોઈએ કારણ કે તેનાથી માત્ર લોહી શુદ્ધ નથી થતું પણ તે સમગ્ર શરીરમાં લોહીના પ્રવાહને સંચાલિત પણ કરે છે.

અજમાનું પાણી પીવાના ફાયદા

image source

સંધિવાના દર્દીને અજમાના ચૂરણની પોટલી બનાવી સેકવાથી પીડામાં રાહત મળે છે. અરધો કપ અજમાના રસમાં અરધી ચમચી પીસેલું સુકુ આદું અને પાણી મિક્સ કરી પીવું. તેનાથી સંધિવાનો રોગ ઠીક થાય છે.

અજમાના અન્ય લાભો

અજમાથી પાચનશક્તિ મજબુત થાય છે

અજમાથી ઉલટીમાં રાહત મળે છે

અજમા ગર્ભાવસ્થામાં ગુણકારી છે

અજમાનું તેલ કાનની પીડામાં રાહત આપે છે

અજમા ખરજવામાં પણ લાભપ્રદ છે.

image source

અજમાનું પાણી પીવાથી સંધિવામાં રાહત મળે છે

અજમાનું પાણી ઉધરસમાં રાહત આપે છે

અજમા ખીલને દૂર કરે છે

અજમા પેઢા માટે પણ લાભ પ્રદ છે

અજમા ખાટા ઓડકારમાં પણ રાહત આપે છે

અજમા કીડની માટે પણ ગુણકારી છે

અજમાનું પાણી પીવાથી શરદીમાં રાહત મળે છે.

અજમા અસ્થમાની બીમારીમાં પણ રાહત આપે છે.

માસિક ધર્મ વખતની પીડામાં અજમા રાહત આપે છે.

અજમાનું પાણી એસિડિટીમાં રાહત આપે છે.

image source

અજમાનું પાણી વજન ઘટાડે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત