લગાવો આ ફેસ પેક, અને ચહેરા પર લાવો નેચરલ ગ્લો
ફેસ પેક
કેળા ખાધા પછી કેળાના છાલને આપણે ફેકી દઈએ છીએ, પરંતુ શું આપ જાણો છો કે, કેળાની છાલ આપના ચહેરાની કેટલીક સમસ્યાઓને દુર કરવામાં મદદગાર સાબિત થાય છે. કેળાની છાલ સ્કીન ટેનિંગ થી લઈને આપના ચહેરાને ગોરો બનાવવામાં મદદ કરે છે. હવે અમે આપને જણાવીશું કે, કેળાનો કેવી રીતે ઉપયોગ કરી શકાય છે.આ લેખમાં અમે આપને કેળાના ફેસપેક વિષે પણ પૂર્ણ માહિતી આપીશું.
સામગ્રી :
કેળા : ૧ નંગ.
બદામ : ૪ નંગ.
કિશમિશ : ૫ નંગ.
કેળાની છાલ.
મધ : ૧ ટે. સ્પુન.
કાચું દૂધ : ૨ ટે. સ્પુન.
કેળાનું ફેસ પેક બનાવવાની રીત.:
-કેળાના ટુકડાને કાપીને મિક્સરમાં પીસી લો.
-હવે એમાં બાકીની બધી જ વસ્તુઓ નાખીને મિક્સરમાં એક સ્મુધ પેસ્ટ તૈયાર કરી લેવી.
-આપ ઈચ્છો તો આ તૈયાર થયેલ પેસ્ટમાં હાથની મદદથી મધ મિક્સ કરી શકો છો.
-આ તૈયાર કરેલ પેસ્ટને આપ ૨ થી ૩ દિવસ સુધી ફ્રીઝમાં પણ સ્ટોર કરીને રાખી શકો છો અને આપ આપના ચહેરાની સાથે આખા શરીર પર પણ ઉપયોગ કરી શકો છો.
-આપના હાથ પર અને પગમાં તાપના કારણે થતા ટેનિંગને દુર કરવા માટે પણ આપ આ કેળાની પેસ્ટનો ઉપયોગ બોડી માસ્કની જેમ ઉપયોગ કરી શકો છો.
ફેસ પેક લગાવવાની રીત.:
-ચહેરા પર આ કેળાનો ફેસ પેક લગાવવા માટે ૧ ચમચી કેળાની પેસ્ટ લઈને, આપે આપના ચહેરા અને ગરદન પર સારી રીતે મસાજ કરી લેવી.
-૧૦ મિનીટ સુધી આપે કેળાના ફેસપેકને ચહેરા પર જ લગાવીને રહેવા દો.
-હવે આપે કેળાની છાલની મદદથી ચહેરાની મસાજ કરો.
-આપે આપની ઈચ્છા મુજબ આ પેસ્ટમાં ગુલાબ જળનો ઉપયોગ કરી શકો છો, જો આ કેળાનો ફેસ પેક સુકાઈ ગયો છે.
-૫ થી ૧૦ મિનીટ સુધી આપે આપના ચહેરા અને ગરદન પર મસાજ કરવી.
-ચેહરા અને ગરદન પર આપે જેમ કેળાના ફેસ પેકની મસાજ કરી છે તેવી રીતે જ આપે આપના હાથ અને પગ પર માસ્કની જેમ લગાવો, આપે ત્યાં પણ કેળાની છાલથી મસાજ કરવી.
-સ્કીન ટેનિંગ દુર કરવા હોય કે પછી આપે આપના ચહેરા પર શાઈન લાવવાની હોય, આપ આ કેળાના ફેસ પેક આપના માટે ખુબ જ વધારે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
-આપે આ કેળાના ફેસ પેકને સતત ૨ થી ૩ દિવસ સુધી લગાવી શકો છો.
-આપ આ કેળાના ફેસ પેકને મહિનામાં ૨ થી ૩ વાર માસ્કનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ.
-દાંતના પીળાપણું પણ દુર થાય છે…
-જે વ્યક્તિઓના દાંત પીળા હોય છે, તેવી વ્યક્તિઓએ અઠવાડિયામાં ૨ થી ૩ વાર કેળાની છાલથી દાંતની મસાજ કરવી જોઈએ.
-દાંત સાથે જોડાયેલ કોઇપણ સમસ્યા પાયરીયા, પેઢામાં સોજો કે પછી દાંતમાં ઠંડુ કે ગરમ વસ્તુનું સેવન કરવાથી ઝણઝણાટી થવાની સમસ્યાને આપ કેળાની છાલની મસાજ કરીને દુર કરી શકો છો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત