જો તમે મોં ધોવા માટે સાબુ કે ફેશ વોશનો ઉપયોગ કરો છો તો કરી દેજો બંધ, જાણો તેની પાછળ શું છે કારણ
ચહેરાને સાફ કરવા માટે આપણે સામાન્ય રીતે ફેસવોશ અથવા સાબુનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે સાબુ અને ફેસવોશમાં ત્વચાને નુકસાન પહોંચાડતા ઘણાં રસાયણો હોય છે. ઘણી વખત આપણે ચહેરો ખીલી ઉઠે તે માટે જાત જાતના ફેસવોશ અને સાબુનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ આપણે જાણતા નથી હોતા કે આ સાબુ કે ફેસવોશ આપના ચહેરાને થોડા સમય માટે સારા કરી શકે છે પણ લાંબા ગાળે આ વસ્તુમાં રહેલ રસાયણ ચહેરાની ત્વચાને ખુબજ નુકશાન પહોંચાડે છે.
આ ઉપરાંત આ રસાયનના પણ કેટલાક સાઈડ ઇફેક્ટ રહેલ હોય છે. જે ચહેરા પર ખીલ, ડાઘ, કે ત્વચાને કાળી અથવા તો ત્વચા પર તીવ્ર બળતરા પણ લાગી શકે છે. આ બધું આપણને ખ્યાલ હોતો નથી કે આ કેવા પ્રકારના રસાયણથી આપણને થાય છે. કેટલીક વાર આ બધી વસ્તુ આપણી ત્વચામાં લાંબા ગાળે કરચલી પણ વધારવા માટે જવાબદાર બને છે.
આ રસાયણ ત્વચાને શુષ્ક અને નિર્જીવ બનાવી શકે છે. ઉપરાંત, વધુ પડતા ઉપયોગથી કરચલીઓ પણ ઝડપથી થઈ શકે છે તમે ચહેરાના શુદ્ધિકરણ માટે સાબુની જગ્યાએ આ ઘરેલુ ઉત્પાદનનો ઉપયોગ કરી શકો છો.
આ બધી રસાયણથી આપણે દૂર રહેવું જોઈએ અને તેના માટે કેટલાક ઘરેલુ ઉપાય છે જેથી તમે તમારી ત્વચાને ખૂબ સારી રીતે સાફ કરી શકો છો. તે ઉપાય નીચે તમને જણાવ્યા છે.
ત્વચાની સફાઇ માટે કાચા દૂધનો ઉપયોગ કરવો ખૂબ જ સારું છે, તે ફક્ત મૃત ત્વચાને જ સાફ કરે છે અને ત્વચાની ભેજ પણ જાળવે છે, તે એક કુદરતી શુદ્ધિકરણનું કામ કરે છે.
તમે ખાંડના ઉપયોગથી સ્વચ્છ ત્વચા મેળવી શકો છો, ખાંડને બારીક પીસી લો અને તેનાથી ચહેરો સાફ કરો ખાંડ ડેડ ત્વચાને સાફ કરવામાં મદદગાર છે.
પપૈયામાં હાજર કેરોટીનોઈડ્સ અને વિટામિન્સ કુદરતી ક્લીંઝર તરીકે કામ કરે છે તે ત્વચાનો નિખાર વધારે છે, પપૈયાના ટુકડાઓ મધ સાથે મિક્સ કરી અને હળવા હાથે ચહેરાની મસાજ કરી શકો છો.
મધનો ઉપયોગ ત્વચાની અનેક પ્રકારની સમસ્યાઓ દૂર કરવા માટે કરવામાં આવે છે, તેનાથી ત્વચા કુદરતી ભેજ ગુમાવતી નથી અને ત્વચાને સાફ પણ કરે છે.
નાળિયેર તેલ માલિશ કરવા માટે ખૂબ ફાયદાકારક છે તે ત્વચાની ભેજને ટકાવી રાખે છે અને વાળના છિદ્રોને વ્યવસ્થિત સાફ કરે છે. જેનાથી ત્વચા ખૂબજ સારી રીતે સાફ થાય છે.
નોંધ.- અમે કોઈપણ પ્રકારની દવા કે વસ્તુનો પ્રચાર કરતા નથી. સાથે અમે કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટ માટે જણાવતા નથી. કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા તમે તમારા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ. જેથી તે તમને તમારી ત્વચા મુજબ ઉપાય કરી શકે. અમે કોઈપણ પ્રકારની ડોકટરી ઉપાય કરતા નથી. આ લેખ ફક્ત જાણકારી માટે જ છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત