દવાઓ ના ખાવી હોય તો ડાયટમાં સામેલ કરો આ આહાર, શરીરને મળી રહેશે પૂરતું પોષણ અને રહેશો એકદમ હેલ્ધી

કોરોના ચેપ દરમિયાન આપણને આ ચેપથી બચાવવા માટે સૌથી અગત્યનું છે કે તમે તમારા શરીરમાં પૂરતું પોષણ પૂરું પાડો.આ માટે તમારે સૌથી પેહલા તમારા આહારમાં થોડા ફેરફારો કરવાની જરૂર છે,જેથી તમે સ્વસ્થ રહી શકો અને તમારા શરીરમાં કોરોના શું કોઈપણ ચેપ ન આવી શકે.શરીરને સ્વસ્થ રાખવા માટે તમારા આહારમાં પોષક તત્વોનો સમાવેશ કરવો જરૂરી છે તે પોષક તત્વો આપણા શરીરને જરૂરી પોષણ આપે છે જે આપણા શરીરને અનેક પ્રકારના રોગોથી દૂર રાખે છે તમારા શરીરને સ્વસ્થ રાખવા માટે પ્રોટીનયુક્ત આહાર લો.તો ચાલો અમે તમને જણાવીએ કે પોષણયુક્ત આહારમાં ક્યાં આહારનો સમાવેશ થાય છે.

પ્રોટીન સમૃદ્ધ ફળ

image soucre

ફળો આપણા શરીરને પૂરતા પોષક તત્ત્વો આપે છે,ફળોના રસના સેવનથી આપણા શરીરનું વજન અને જાડાપણું નિયંત્રણમાં રહે છે,જે આપણા શરીરને અનેક પ્રકારના રોગોથી દૂર રાખે છે ફળોમાં આવશ્યક વિટામિન,ફાઈબર અને કાર્બોહાઇડ્રેટ શામેલ છે.ફળોમાં અન્ય મહત્વપૂર્ણ પોષક તત્વો વધારે હોય છે પ્રોટીન આપણા શરીરને દુર્બળ,હાડકાના રોગો અને સ્નાયુબદ્ધ રોગોથી દૂર રાખવામાં મદદ કરે છે.શરીરમાં પ્રોટીન ઓછું હોવાના કારણે વાળની સમસ્યા વધી શકે છે.તેથી તમારા આહારમાં ફળોનો સમાવેશ જરૂરથી કરો.

કિસમિસ:

image soucre

ડ્રાયફ્રૂટમાં સમાયેલ કિસમિસને પૌષ્ટિક સુકા ફળો તરીકે ઓળખવામાં આવે છે.સોનેરી રંગની કિસમિસ એ ડી-હાઇડ્રેટેડ અને સૂકી દ્રાક્ષ સિવાય બીજું કશું નથી.તેમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન હોય છે,જે આપણા શરીર માટે ખુબ જરૂરી છે.

જામફળ

image soucre

જામફળમાં વિટામિન-સી,ફાઈબર અને પ્રોટીન પૂરતા પ્રમાણમાં મળી આવે છે.જામફળમાં હાજર પ્રોટીન આપણા શરીરને પોષણ આપે છે અને પોષણની ઉણપને પૂર્ણ કરે છે.

ખજુર

image source

ખજૂર વિવિધ પ્રકારના પદાર્થોથી ભરેલી હોય છે અને ખજૂરનો ઉપયોગ મિલ્કશેક્સમાં પણ કરવામાં આવે છે.ખજૂરમાં ફાઇબર અને પ્રોટીન પૂરતા પ્રમાણમાં મળી આવે છે.જે આપણા શરીરમાં પોષણ પૂરું પડે છે.

ચણા

image source

ચણાનું સેવન કરવાથી આપણા શરીરમાં પ્રોટીનની ઉણપ પૂરી થાય છે તમારા આહારમાં બાફેલા ચણાનું સેવન કરવાથી તમે પ્રોટીન,ફાઈબર, ચરબી,આયર્ન અને મેગ્નેશિયમ જેવા પૂરતા પોષક તત્વો મેળવી શકો છો.

અળસીના દાણા

અળસીના દાણામાં પુષ્કળ ફાઇબર અને ઓમેગા -3 ફેટી એસિડ હોય છે જે શરીરને પોષણ આપે છે.આ માટે તમે એક ચમચી અળસીને સેકો અને તેને ગ્રાઈન્ડ કરી તેનો પાવડર તૈયાર કરો.હવે આ પાવડરનો કોઈપણ ખોરાક ઉપર છંટકાવ કરવાથી તમારા ભોજન સમાયેલા ફાયબરમાં બે થી ત્રણ ગ્રામ વધારો થાય છે.તાજેતરના એક સર્વેમાં જાણવા મળ્યું છે કે જે લોકો નિયમિતપણે તેમના આહારમાં અળસીના દાણાનો ઉપયોગ કરે છે તેમને અન્ય,સ્તન,પ્રોસ્ટેટ અને કોલોન જેવા કોઈ પણ પ્રકારના કેન્સર થવાની સંભાવના નથી.આ સિવાય અળસીના દાણાનો નિયમિત ઉપયોગ કરવાથી ત્વચા અને વાળ સ્વસ્થ બને છે,જાડાપણું ઓછું થાય છે, કોલેસ્ટરોલનું પ્રમાણ ઓછું થાય છે અને પાચન સિસ્ટમ યોગ્ય રીતે કામ કરે છે.અળસીમાં હાજર એન્ટી ઓક્સિડેન્ટ્સ શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરીને કોઈપણ રોગનું જોખમ ઘટાડે છે.તમારા શરીરમાં પોષણની ઉણપ દૂર કરવા માટે દરરોજ તમારા આહારમાં એક કે બે ચમચી શેકેલા અળસીના દાણાનો સમાવેશ કરો.તમે શેકેલા અળસીના દાણાનો પાવડર બનાવી અને તેમાં થોડું મીઠું ઉમેરીને તેનો ઉપયોગ ચટણીની જેમ પણ કરી શકો છો.

દહીં

image soucre

દહીંમાં મળતું કેલ્શિયમ હાડકાં માટે ખૂબ ફાયદાકારક છે.દહીંમાં રહેલા પ્રોબાયોટિક્સ શરીરને પોષણ આપવા તેમજ રોગો સામે લડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.તમારા આહારમાં એક વાટકી ઓછી ચરબીવાળી દહીંનો નિયમિત ઉપયોગ કરો.તમે દહીંનો ઉપયોગ સવારે નાસ્તામાં અથવા બપોરના જમવામાં પણ કરી શકો છો.ઓછી ચરબીવાળા દહીંમાં કિવિ,સ્ટ્રોબેરી,બ્લૂબેરી,સફરજન,બદામ મિક્સ કરીને તમે તેના પોષક અને અનેકગણા ફાયદાઓ વધારી શકો છો.દહીં ખાવાથી યુરિનમાં ચેપ અને યોનિમાર્ગના ચેપથી છુટકારો મળે છે. તમે દહીંનો ઉપયોગ કોઈપણ રીતે કરી શકો છો.તમે દહીંનું સેવન રાયતું બનાવીને પણ કરી શકો છો.

ઓલિવ તેલ

image soucre

ઓલિવ તેલ ચરબી દૂર કરે છે.ઓલિવ તેલમાં કોલેસ્ટરોલનું પ્રમાણ નહિવત્ છે.તેમાં એન્ટીઓકિસડન્ટો પણ પુષ્કળ હોય છે.તમે ભોજન બનાવવામાં ઓલિવ તેલનો ઉપયોગ કરી શકો છો.ઓલિવ તેલનું સેવન કરવાથી તમારું હૃદય સ્વસ્થ રહેશે અને તમારા શરીરમાં ચરબી વધશે નહીં.તમારા શરીરને પોષણ આપવા માટે તમારે દરરોજ તમારા આહારમાં એક ચમચી ઓલિવ તેલનો સમાવેશ કરવો જોઈએ.તમે તેનો ઉપયોગ સલાડ અને શાકભાજી બનાવવા માટે પણ કરી શકો છો.

ગ્રીન ટી

image source

ગ્રીન ટી એન્ટીઓકિસડન્ટ તત્વોનો ઉત્તમ સ્રોત છે.ગ્રીન ટીમાં રહેલા એન્ટીઓકિસડન્ટોનું પ્રમાણ અન્ય કોઈ પદાર્થમાં નથી.ગ્રીન ટીનું નિયમિત સેવન કરવાથી શરીરનો પ્રતિકાર વધે છે સાથે જ શરીરમાં હાજર કોલેસ્ટ્રોલની માત્રામાં ઘટાડો થાય છે.તે શરીરમાં રક્ત પરિભ્રમણને સુધારવામાં પણ ફાયદાકારક છે.ગ્રીન ટી આપણા શરીરની ચરબી દૂર કરે છે અને શરીરમાં અન્ય પોષણ પુરા પડે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત