દેશના આ શહેરોમાં ધનવાનોની લાઈન લાગી છે, તો વળી આ શહેરમાં ખુબ ઓછા, અમદાવાદમાં તો એકપણ નહીં બોલો
કોરોના મહામારી પછી પણ દુનિયાભરમાં અમીર લોકોની સંપત્તિમાં વધારો થયો છે. ભારતમાં પણ આ સમયગાળા દરમિયાન અબજોપતિઓની સંપત્તિમાં તો થયો જ છે, સાથે તેમની સંખ્યામાં પણ વધારો થયો છે. હુરુનના તાજેતરના અહેવાલ મુજબ, ગયા વર્ષે ભારતમાં 51 નવા અબજોપતિ બન્યા હતા. આ સાથે ભારતમાં અબજોપતિઓની સંખ્યા હવે 250ને વટાવી ગઈ છે. હવે માત્ર અમેરિકા અને ચીન જ અબજોપતિઓની બાબતમાં ભારતથી આગળ છે.
રિપોર્ટ અનુસાર, દેશની આર્થિક રાજધાની અબજોપતિઓ દ્વારા સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. એકલા મુંબઈમાં 31 અબજોપતિ અને 249 સેન્ટિમિલિયોનેર રહે છે. રિપોર્ટમાં જણાવાયું છે કે 2031 સુધીમાં મુંબઈમાં હાઈ નેટવર્થ વ્યક્તિઓની સંખ્યામાં 80 ટકાનો વધારો થવાનો અંદાજ છે.
ધનવાન લોકો કે જેમની પાસે $1 બિલિયન એટલે કે $1000 મિલિયનથી વધુની સંપત્તિ છે તેમને અબજોપતિ કહેવામાં આવે છે. બીજી તરફ, જેમની પાસે $100 મિલિયનથી $1000 મિલિયન સુધીની સંપત્તિ છે તેમને સેન્ટિમિલિયોનેર કહેવામાં આવે છે. દેશની રાજધાની નવી દિલ્હી ધનકુબેર્સની પસંદગીના મામલે બીજા ક્રમે છે. દિલ્હીમાં 15 અબજોપતિ, 122 સેન્ટિમિલિયોનેર, 2000થી વધુ કરોડપતિ અને 30,500 HNWIs રહે છે.
દિલ્હી પહેલા કોલકાતા ભારતની રાજધાની હતી. કેટલાક લોકો આ જૂના શહેરને ભારતની સાંસ્કૃતિક રાજધાની પણ કહે છે. આ શહેરમાં હાલમાં 6 અબજોપતિ અને 50 સેન્ટીમિલિયોનેર રહે છે. આ ઉપરાંત, 800 થી વધુ HNWIs પણ શહેરમાં રહે છે.
ભારતની સિલિકોન વેલી તરીકે જાણીતું આ શહેર અબજોપતિઓની ફેવરિટ યાદીમાં પણ સામેલ છે. બેંગ્લોરમાં હાલમાં 6 અબજોપતિ અને 46 સેન્ટિમિલિયોનેર રહે છે. આ ટેક સિટીમાં હાલમાં 11,700 HNWIs રહે છે અને આગામી 10 વર્ષમાં તેમની સંખ્યામાં 90 ટકાનો વધારો થઈ શકે છે. દક્ષિણ ભારતનું આ ઐતિહાસિક શહેર આ યાદીમાં પાંચમા સ્થાને છે. હૈદરાબાદમાં 5 અબજોપતિ, 46 સેન્ટીમિલિયોનેર અને લગભગ 740 કરોડપતિઓ રહે છે. તે પછી પૂણે આવે છે, જ્યાં 3 કરોડપતિ અને 28 સેન્ટિમિલિયોનેર રહે છે.