ગોરા થવુ હોય તો રાત્રે ઊંઘતા પહેલા ચહેરા પર લગાવો આ વસ્તુઓ
ત્વચાની સંભાળ રાખવામાં ખુબ જ ધ્યાન આપવાની જરૂરિયાત છે. પરંતુ સમય ના હોવાના કારણે કે પછી યોગ્ય રૂટીનના લીધે આપની ત્વચા ડ્રાઈ, શુષ્ક દેખાવા લાગે છે. આવામાં સમયમાં ત્વચાનો ગ્લો સમય કરતા પહેલા જ ખોવાઈ જાય છે. ચહેરા પર ઓઈલ જમા થવાની સાથે જ ફાઈન લાઈન્સ, ડાર્ક સ્પોર્ટ્સ પણ જોવા મળી જાય છે.
આવા સમયમાં આપે વધારે હેરાન થવાની જરૂરિયાત નથી. આજે અમે આપના માટે ૭ એવી સ્કીન કેર ટીપ્સ લાવ્યા છીએ જેને આપ રાતના સમયે સુતા પહેલા ફોલો કરી શકો છો. આવામાં જો મહિલાઓ પોતાની સ્કીન કેર માટે સમય કાઢીને તે રાતના સુતા પહેલા કેટલીક ટીપ્સને અપનાવી શકે છે. આ ઉપાયોની મદદથી આપની સ્કીન સાથે જોડાયેલ સમસ્યાઓ દુર થઈ જાય છે અને આપનો ચહેરો જવાન દેખાવા લાગે છે. તો ચાલો જાણીએ આ ટીપ્સ વિષે…
કાચું દૂધ.:
આપે રાતના સમયે સુતા પહેલા થોડાક પ્રમાણમાં કાચું દૂધ લઈને આપે આપના ચહેરાની મસાજ કરવી જોઈએ. દુધમાં ભરપુર પ્રમાણમાં લૈકટિક એસીડ મળી આવે છે. આ લૈક્ટિક એસીડ ત્વચાની ઉંડાઈમાં જઈને સફાઈ કરીને, આપની ત્વચામાં નિખાર લાવે છે અને આપનો ચહેરો દમકવા લાગે છે. એનાથી આપના ચહેરાનું શુષ્કતા દુર થઈને નમીને જાળવી રાખવામાં મદદ કરે છે.
એલોવેરા જેલ :
આપે આપની સ્કીનમાં નિખાર લાવવા માટે એલોવેરા જેલનો ઉપયોગ કરવો એક સારો વિકલ્પ છે. એલોવેરા જેલ સપૂર્ણ રીતે કુદરતી હોવાના લીધે એલોવેરા જેલથી ચહેરાની મસાજ કરવાથી સ્કીન સાથે જોડાયેલ કેટલીક સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો. આપે આપના ચહેરાને કુદરતી રીતે સાફ થઈને આપના ચહેરાની સ્કીન સોફ્ટ અને ગ્લોઇન્ગ થઈ જાય છે. આપે આપના ચહેરા પર એલોવેરા જેલ લગાવ્યા પછી ૧૫ થી ૨૦ મિનીટ સુધી રહેવા દઈને આપે આપનો ચહેરો ચોખ્ખા પાણીથી ધોઈ લેવો. તેમ છતાં જો આપ ઈચ્છો છો તો એલોવેરા જેલને આખી રાત માટે પણ ચહેરા પર લગાવીને રાખી શકો છો.
ગુલાબ જળ.:
ગુલાબ જળને કુદરતી રીતે સ્કીન ટોનરના રૂપમાં ઉપયોગ કરવામાં આવે છે. ગુલાબ જળ દરેક પ્રકારની સ્કીનને સરળતાથી અનુરૂપ થઈ જાય છે. આવામાં ગુલાબ જળનો ઉપયોગ કરવો આપણી નાઈટ સ્કીન કેર રૂટીન માટે એક સારો વિકલ્પ છે. ગુલાબ જળને લગાવવા માટે કોટન બોલ પર ગુલાબ જળના થોડાક ટીપાં નાખીને ત્યાર પછી કોટન બોલની મદદથી હળવા હાથે આખા ચહેરા પર લગાવવું.
બટાકાનો રસ.:
બટાકામાં ઘણા બધા પોષક તત્વોથી ભરપુર હોય છે. બટાકાના રસને ચહેરા પર ફક્ત ૧૦ મિનીટ સુધી લગાવવાથી આપના ચહેરા પરના દાગ- ધબ્બા, ઝુરિયો, આંખોની નીચે પડી ગયેલ ડાર્ક સર્કલ્સ દુર થાય છે. બટાકાનો રસ કુદરતી બ્લીચ તરીકે કામ કરે છે. બટાકાનો રસ ચહેરા પર લગાવવાથી આપના ચહેરા પર કુર્ડતી અને ગુલાબી નિખાર મેળવવા માટે ફાયદાકારક સાબિત થાય છે.
નારિયેળનું તેલ.:
નારિયેળના તેલમાં ભરપુર પ્રમાણમાં પોષક તત્વો મળી આવે છે. નારિયેળનું તેલ ત્વચાને સાફ કરે છે, સ્કીન ગ્લોઇન્ગ બનાવે છે અને આપના ચહેરાની સ્કીનને રીન્ક્લ્સ ફ્રી કરે છે. નારિયેળનું તેલ આપના ચહેરા પર જમા થયેલ વધારાના તેલને સાફ કરે છે. નારિયેળના તેલને લગાવવા માટે નારિયેળના તેલના કેટલાક ટીપાં હાથમાં લઈને ૨ થી ૩ મિનીટ સુધી મસાજ કરો. ત્યાર પછી નારિયેળના તેલને અંદાજીત ૧૦ મિનીટ સુધી એમ જ લગાવીને રહેવા દો. ત્યાર પછી આપે આપના ચહેરાને સાબુનો ઉપયોગ કર્યા વગર તાજા પાણીથી ધોઈ લેવો. આમ કરવાથી આપની સ્કીનના ખુલી ગયેલ પોર્સ બંધ થઈ જશે અને આપની ત્વચા પરથી વધારાનું ઓઈલ દુર થઈ જશે અને આપની સ્કીનની કોમળતા જળવાઈ રહેશે.
ગ્રીન ટી.:
ગ્રીન ટીમાં બધા પોષક તત્વોની સાથે એંટીઓક્સિડન્ટ ગુણ હોય છે. ગ્રીન ટીનું સેવન કરવાથી આપને વજન ઘટાડવામાં અને આપના શરીરની ઈમ્યુનીટી વધારવામાં મદદ મળે છે. ગ્રીન ટીને સ્કીન પર લગાવવાથી ગ્રીન ટી એંટીઓક્સિડન્ટ લોશનની જેમ કામ કરે છે. ગ્રીન ટીને ગુલાબ જળની જેમ ઉપયોગ કરી શકાય છે ગ્રીન ટીને રોજ રાતે સુતા પહેલા લગાવવાથી આપની સ્કીન સોફ્ટ અને ક્લીન થાય છે. આપના ચહેરા પર જમા થયેલ એક્સ્ટ્રા ઓઈલ દુર થઈ જાય છે જેનાથી આપની ત્વચા પીંપલ ફ્રી થઈ જાય છે.
કાકડીનું જ્યુસ.:
કાકડીના જ્યુસમાં ૨ થી ૩ ટીપાં લીંબુનો રસ ભેળવીને ચહેરા પર લગાવવો જોઈએ. કાકડીના રસનું આ મિશ્રણ આપની ત્વચાને ઠંડક પહોચાડવાની સાથે દાગ-ધબ્બા, ઝાઈયો વગેરે સમસ્યાઓમાં ફાયદાકારક સાબિત થાય છે. આ સાથે જ આપની સ્કીન ક્લીન થઈ જાય છે. ઉપરાંત આપની સ્કીનમાં નિખાર જોવા મળે છે. કાકડીના જ્યુસનું મિશ્રણનો રોજ ઉપયોગ કરવાથી સ્કીન ઇન્ફેકશનની સમસ્યા દુર થઈ જાય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત