શા માટે ફણગાવેલા બીજ વિટામિન્સથી ભરપુર હોય છે? માટે ભાવે કે ના ભાવે ખાવા જ જોઈએ…

ફણગાવવાની પ્રક્રિયા દરમિયાન બીજ અથવા અનાજમાંથી એન્ઝીમ્સ નીકળી દે છે જેથી તે પચવામાં ખુબ જ સરળ રહે છે. આની સાથે સાથે તેમાં કુદરતી રીતે પ્રોટીન, વિટામીન અને મિનરલ્સનું પ્રમાણ વધી જાય છે. અને આવી રીતે એક નાનકડું બીજ અથવા અનાજ ન્યુટ્રીશિયન્ટથી ભરપુર એવા પાવર હાઉસમાં પરિવર્તિત થઈ જાય છે.

image source

તેના ફાયદાઓ

કોઈ પણ પ્રકારના ફણગાવેલા બીજ ફાઈબરથી ભરપુર હોય છે જે કારણે સુગરની તકલીફ વાળા દર્દીઓ માટે આ ખુબ જ ફાયદાકારક છે. તેમાં ઊંચા પ્રમાણમાં પ્રોટીન, ફાઈબર, વિટામીન A, વિટામીન K, વિટામીન C, ફોલેટ, રીબોફ્લેવીન હોય છે તેમજ મેગ્નેશિયમ, કોપર, ઝીંક, કેલ્શિયમ, મેંગેનીઝ જેવા મિનરલ્સ પણ હોય છે.

તેના કેટલાક ફાયદાઓ નીચે પ્રમાણે છે.

૧. પેટની સમસ્યામાં રાહત આપે છે.

image source

ફણગાવેલા બીજ પાચનશક્તિ વધારે છે તેમજ કબજિયાતને લગતી સમસ્યા ઓછી કરે છે. આગળ કહ્યું એ પ્રમાણે તેમાં ફાઈબર ખુબ જ પ્રમાણમાં હોવાથી આ બીજ સવારમાં ખાલી પેટે ખાવાથી શરીરમાં ચરબીનું પ્રમાણ ઓછું કરે છે.

૨. હ્રદયને લગતી સમસ્યાથી દુર રાખે છે.

image source

ફણગાવેલા બીજ હ્રદય માટે જરૂરી લોહી પહોચાડી આપે છે. આમ તે, હ્રદયને જરૂરી એવા ન્યુરોન્સ પહોચાડી તેને દરેક સમસ્યાથી દુર રાખે છે અને આખા શરીરમાં રુધિર પરિભ્રમણ સારું રાખે છે.

૩. ફેફસાં માટે ફાયદાકારક છે.

image source

ફેફસામાં રહેલા નકામા કચરાને ફણગાવેલા બીજ દુર કરે છે તેમજ ફેફસાંને ઓબસ્ત્રકટીવ પલ્મોનરી જેવી બીમારીથી દુર રાખે છે.

૪. કોલેસ્ટ્રોલની સમસ્યા ઓછી કરે છે.

image source

દરરોજ સવારે ખાલી પેટે આ બીજ ખાવાથી ભૂખની સમસ્યા ઓછી થઈ જાય છે તેમજ શરીરમાંના ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઓછુ કરી શકે છે.

આ ઉપરાંત ફણગાવેલા બીજમાં હાજર થાયમીન, વિટામીન B 6, પન્તોથેનીક એસિડ, ફોસ્ફરસ, કોપર શરીરના અલગ અલગ ભાગો માટે ખુબ જ ફાયદાકારક છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત