બાળકને સ્તનપાન કરાવવાના છે આ અનેક લાભ, જાણો તમે પણ..
આ સમય દરમિયાન,જયારે એક તરફ આખું વિશ્વ કોરોના વાયરસ સામે લડી રહ્યું છે,ત્યાં બીજી તરફ ઘણી બિમારીઓ પણ વધી રહી છે.તે દરમિયાન,એક અધ્યયનમાં બહાર આવ્યું છે કે જે મહિલાઓ સ્તનપાન કરાવે છે તેમને અંડાશયના કેન્સરનું જોખમ ખૂબ ઓછું છે.તેમાં હાય-ગ્રેડના ટ્યુમરનો પણ સમાવેશ થાય છે.
કેટલાક અભ્યાસોએ સ્તનપાન અને અંડાશયના કેન્સરના જોખમ વચ્ચેની કડી બતાવી છે.આ સંશોધનમાંથી કેટલાકને જાણવા મળ્યું છે કે જે મહિલાઓ સ્તનપાન કરાવે છે તેમને અંડાશયના કેન્સરનું જોખમ ઓછું હોય છે,જ્યારે કેટલાક સંશોધન વચ્ચે એ જાણવા મળ્યું કે બંને વચ્ચે કોઈ સબંધ નથી.
13 અંડાશયના કેન્સર એસોસિએશન કન્સોર્ટિયમ અભ્યાસના ડેટાનો ઉપયોગ કરીને,સંશોધનકારોએ સ્તનપાન અને અંડાશયના કેન્સરના જોખમ વચ્ચેના જોડાણની તપાસ કરી.
આ સમગ્ર સંશોધનમા આશરે 24,000 સ્ત્રીઓ સામેલ છે,જેમાં 57.4 વર્ષની વયની 9,973 સ્ત્રીઓ અંડાશયના કેન્સરથી પીડિત હતી.તે જ સમયે,56.4 વર્ષની વયની 13,843 સ્ત્રીઓ નિયંત્રણ જૂથમાં હતી.
સ્તનપાનનો પ્રસાર કંટ્રોલ જૂથમાં 41% થી 93% જેટલો હતો અને સ્તનપાન માટે સરેરાશ સમયગાળો 3.4 થી 8.7 મહિના સુધીનો હતો.
કંટ્રોલ જૂથના કેહવા પ્રમાણે અંડાશયના કેન્સરવાળી સ્ત્રીઓ મોટી હતી,અને તેમાંના મોટાભાગના સ્ત્રીઓ મેનોપોઝના કારણે મૃત્યુ પામી હતી.આ સ્ત્રીઓ બાળક ધરાવતી હતી,અને ક્યારેય તેમણે કોઈ ગર્ભનિરોધક દવાઓનો ઉપયોગ કર્યો ન હતો અને તેમને એન્ડોમેટ્રિઓસિસ અથવા અંડાશયના કેન્સરની કોઈ તપાસ કરાવેલ ના હતી.
સંશોધનકારોએ શોધ્યું છે કે સ્તનપાન કરાવવાથી 24 ટકા અંડાશયના કેન્સર અને 28 ટકા બોર્ડરલાઇન પર રહેલા ટ્યુમરનું જોખમ ઓછું થાય છે.અંડાશયના કેન્સરનું જોખમ,ખાસ કરીને ઉચ્ચ ગ્રેડના એન્ડોમેટ્રાયલ કેન્સર,તેમના જીવનમાં કોઈક સમયે સ્તનપાન કરાવતી સ્ત્રીઓમાં ઓછું જોવા મળ્યું છે.
જે સ્ત્રીઓએ એકથી ત્રણ મહિના સુધી સ્તનપાન કરાવ્યું હતું તેમને અંડાશયના કેન્સરનું જોખમ 18% ઓછું હતું અને તાણથી વધુ સમય સ્તનપાન કરાવતી સ્ત્રીઓમાં 34% ઓછું હતું.
ડબ્લ્યુએચઓ તંદુરસ્ત આહાર સાથે, 6 મહિના સુધી સ્તનપાન અને બે વર્ષ કે તેથી વધુ સમયગાળા માટે દૂધ અને સારા ખોરાક ખાવા માટેની ભલામણ કરે છે.
સ્તનપાનના ફાયદા
માતાનું દૂધ બાળકને સંપૂર્ણ પોષણ પૂરું પાડે છે.
માતાના દૂધ એન્ટિબોડીઝથી ભરેલું હોય છે જે બાળકને વાયરસ અને બેક્ટેરિયાથી બચાવવામાં મદદ કરે છે.
સ્તનપાન શિશુઓને કાનના ચેપ,શ્વસન માર્ગના ચેપ,શરદી અને ચેપ,પેટમાં ચેપ અને તીવ્ર શિશુ મૃત્યુ સિંડ્રોમથી બચાવે છે.
કેટલાક અભ્યાસોએ બતાવ્યું છે કે જે બાળક માતાનું દૂધ પીતા હોય તેમના મગજના વિકાસમાં સાદું દૂધ પીતા બાળકો કરતા વધુ સારી હોય છે.
આ સિવાય માતા અને બાળકને સ્તનપાન કરવાના બીજા ઘણા ફાયદા છે,જેમાં અંડાશયના કેન્સરની રોકથામનો સમાવેશ થાય છે.
આપણે બધા જાણીએ છીએ કે સ્તનપાન માતા અને બાળકના સ્વાસ્થ્યને ઘણાં ફાયદા પ્રદાન કરે છે.માતાને તેના બાળકને સ્તનપાન કરાવવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તે અંડાશયના કેન્સરનું જોખમ ઘટાડે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,