સડસડાટ વજન ઓછુ કરવુ છે? તો લીંબુના પાણી એડ કરો આ એક વસ્તુ, અને શરૂ કરો પીવાનુ

જો તમારે ફીટ અને સ્વસ્થ બોડી કરવાની ઇચ્છા હોય તો કસરતની સાથે સાથે સારો આહાર લેવો પણ જરૂરી છે. જો તમે ત્રણ વખત સારું ભોજન કરવાથી સંતુષ્ટ છો,તો તે શરીર ઘટાડવા માટે પૂરતું નથી.વજન ઓછું કરવા તમારે તમારી નાસ્તાની ટેવ,ભોજન કરવાનો સમય તેમજ શરીરને હાઇડ્રેટ કરવા પર પણ ધ્યાન આપવું જોઈએ. તમારા આહારમાં ફેરફાર કરવાથી માત્ર ચયાપચયમાં સુધારો થતો નથી પરંતુ પેટની ચરબી પણ ઓછી થાય છે.તે વજનને પણ નિયંત્રણમાં રાખે છે.વજન ઘટાડવા માટે ગોળ અને લીંબુનું પાણી એ એક આયુર્વેદિક પદ્ધતિ છે,રોજ તેને પીવાથી શરીરની ચરબી ઓછી થાય છે અને જાડાપણું પણ ઓછું થાય છે.

ગોળ કેમ ફાયદાકારક છે ?

IMAGE SOURCE

ખાંડ કરતાં ગોળ આરોગ્ય માટે વધુ ફાયદાકારક હોય છે.તેમાં કેલરી ઓછી માત્રામાં હોય છે.ગોળ એન્ટીઓકિસડન્ટો,જસત અને સેલેનિયમથી ભરપુર હોય છે જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે અને મુક્ત કણોથી કોશિકાઓને થતા નુકસાનને અટકાવે છે.આટલું જ નહીં,ગોળ શરીરમાંથી ઝેર દૂર કરે છે અને મેટાબોલિઝમ મજબૂત બનાવે છે.જમ્યા પછી તરત જ ગોળનો નાનો ટુકડો ખાવાથી ખોરાક સહેલાઇથી પચી જાય છે.આ સિવાય શ્વાસ અને પાચક શક્તિને સાફ કરવા માટે ગોળ ફાયદાકારક હોય છે.

લીંબુના ફાયદા

IMAGE SOURCE

લીંબુમાં વિટામિન સી પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે.લીંબુનો રસ શરીરને હાઇડ્રેટ રાખે છે અને મેટાબોલિઝમ વધારે છે.એક સંશોધન મુજબ લીંબુમાં મળતું પોલિફેનોલ એન્ટીઓકિસડન્ટ વજનને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.પોલિફેનોલ એલડીએલ કોલેસ્ટરોલ ઘટાડીને એચડીએલ કોલેસ્ટરોલનું સ્તર વધારે છે.જ્યારે લીંબુમાં હાજર એન્ટીઓક્સિડેન્ટ મુક્ત કણોથી કોશિકાઓને થતા નુકસાનથી બચાવે છે.

ગોળ અને લીંબુનું પાણી પીવાથી થતા ફાયદા ?

IMAGE SOURCE

લીંબુ અને ગોળ બંને પોષક તત્વોથી ભરપુર હોય છે.સદીઓથી તેઓને વજન ઘટાડવા માટે ફાયદાકારક માનવામાં છે.પરંતુ લીંબુ અને ગોળ સાથે ખાવું એ વધુ ફાયદાકારક હોય છે.એક ગ્લાસ નવશેકા પાણીમાં એક ચમચી લીંબુનો રસ અને ગોળનો એક નાનો ટુકડો નાખો,જ્યારે ગોળ સંપૂર્ણપણે પાણીમાં ઓગળી જાય,પછી તેને પીવું.વજન ઘટાડવા માટે આ એક સારો ઉપાય છે.

IMAGE SOURCE

વજન ઓછું કરવા માટે રોજ સવારે એક ગ્લાસ ગોળ અને લીંબુનું પાણી ખાલી પેટ પર પીવાથી ફાયદો થાય છે. સ્વાદ વધારવા માટે તમે તેમાં ફુદીનાના પાન પણ ઉમેરી શકો છો ધ્યાનમાં રાખો કે ગોળ ઓછી માત્રામાં નાખવો જોઈએ જેથી પાણીનો સ્વાદ વધારે મીઠો ના આવે.

લીંબુ પાણીમાં ગોળ નાખીને પીવાથી થતા ફાયદાઓ….

જો તમને કબજિયાતની સમસ્યા છે,તો લીંબુ પાણી અને ગોળ તમારા માટે ખૂબ ફાયદાકારક છે.દરરોજ સવારે ગરમ લીંબુના પાણીમાં ગોળ નાખીને પીવાથી કબજિયાતની સમસ્યા દૂર રહે છે.

લીંબુનું પાણી એ લેમોનેડ બાયોફ્લેવોનોઈડ્સ,વિટામિન સી અને ફાયટોન્યુટ્રિયન્ટ્સનો સારો સ્રોત છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવામાં મદદ કરે છે.તેમાં રહેલા આવશ્યક વિટામિન્સ અને ખનિજોને લીધે,તે શરીરના ઉર્જાના સ્તરને વધારવામાં મદદ કરે છે.

IMAGE SOURCE

ગરમ પાણીમાં લીંબુ અને ગોળ નાખીને પીવાથી ગાળાના દુખાવામાં રાહત મળે છે.

દરરોજ સવારે ગોળ સાથે ગરમ પાણીમાં લીંબુ નાખીને પીવાથી વજન સરળતાથી ઘટાડી શકાય છે.

IMAGE SOURCE

લીંબુના પાણીમાં ગોળ નાખીને પીવાથી પેઢાને લગતી સમસ્યાઓથી રાહત મળે છે.લીંબુના પાણીમાં ગોળ અને એક ચપટી મીઠું નાખીને પણ પી શકાય છે.

કેન્સરથી બચવા માટે લીંબુ પાણી ફાયદાકારક છે.સંશોધન અધ્યયન સૂચવે છે કે લીંબુ તેના એન્ટી-ટ્યુમર ગુણધર્મો દ્વારા કેન્સરના જોખમને ઘટાડી શકે છે.

લીંબુ પાણીમાં ગોળ નાખીને પીવાથી તેમાં બ્લડ પ્રેશર ઘટાડવાની સાથે તાણ,હતાશા ઘટાડવાના ગુણધર્મો હોય છે.

IMAGE SOURCE

લીંબુ પાણીમાં ગોળ નાખીને પીવાથી ત્વચાને લગતી સમસ્યાઓ દૂર થાય છે.લીંબુમાં એન્ટીઓકિસડન્ટ ભરપૂર માત્રામાં હોય છે.તેથી તે તમારી ત્વચામાં થતી ફોલ્લીઓ,મસા અથવા ખંજવાળ જેવી સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,