ફેફસાંને મજબૂત રાખવા કયારેય આ વસ્તુઓ ના ખાતા, નહીતર આવશે ગંભીર પરિણામ
આપણા શરીરને સારું રાખવા માટે આપણા ફેફસા પણ સારા રાખવા ખુબ જરૂરી બને છે. કેમ ફેફસામાં ફિલ્ટર થઈને આપણા આખા શરીરમાં તે ઓક્સિજન સારી રીતે પોહ્ચાડે છે. તેથી આપણે આપણા ફેફસાનું ધ્યાન ખુબ સારી રીતે રાખવું જોઈએ. તેથી કોઈ પણ જાતનું ફેફસામાં નુકશાન ન થવા દેવું. તે આપણા શરીરને ઓક્સીજન પોહ્ચાડવાનું કામ કરે છે.
આપણે આપણા ખાવા પીવાની વસ્તુથી લઈ રહેવાની કાળજી સારી રાખવી જોઈએ. તેનાથી લંગ્ઝ સંબંધિત કોઈ પણ સમસ્યા ન રહે. કોઈ પણ શારીરિક પરિશ્રમ ન કરવાથી આપણે થોડું ચાલીએ ત્યારે શ્વાસ ચડવા લાગે છે. જયારે આવું થાય ત્યારે સમજવું કે આપણા ફેફસા નબળા પાડવા લાગીયા છે. જો તમારે તમારા ફેફસાને મજબુત બનાવવા હોય તો ક્યારેય પણ ભૂલથી આ વસ્તુનું સેવન ન કરવું કેમ કે તે આપણા ફેફસાને નુકશાન પોહચાડી શકે છે.
પ્રોસેસ્ડ મિટ
એક રીપોર્ટમાં જણાવ્યા અનુસાર પ્રોસેસ્ડ મીટને લાંબા સમય સુધી રાખવા માટે નાઇટ્રાઇટ નામનું તત્વ ઉપયોગમાં લેવામાં છે. તે ફેફસામાં સોજો અને તણાવ ઉત્પન કરી શકે છે. આ પ્રોસેસ્ડ મીટમાં બેકન, હેમ, હેલી માંસ વગેરે જોવા મળે છે.
શુગર વાળું કોઈ પણ પીણું
એક રીસર્ચમાં જણાવ્યા મુજબ એક અઠવાડિયામાં પાંચથી વધુ વખત કોઈ પણ સુગર ડ્રીંક કરવાથી તેની અસર આપણા શરીરના લીવર પર ખુબ ખરાબ પડે છે. તેને લીધે અસ્થમાનો શિકાર પણ બની શકે છે. તે આપણા શરીરને નુકશાન પોહચાડી શકે છે.
તળેલી વસ્તુ
આપણે વધારે તેલ વાળું અને મસાલેદાર ચીજો ખાવાથી તે આપણા પેટના જમણા ભાગમાં બ્લોટિંગ કરે છે. જેને લીધે શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે. આ તેલ વાળી વસ્તુનું વધુ સેવન કરવાથી તે આપણા ફેફસા પર દબાણ વધારે છે. તેથી તળેલી અને મસાલેદાર વસ્તુનું સેવન વધુ ના કરવું.
બહારની ડેરીની કોઈ પણ વસ્તુનું વધારે સેવન કરવાથી
ડેરીની વસ્તુ જેવી કે દહીં, દૂધ, પનીર જેવી અનેક વસ્તુનું સેવન કરવું આપણા શરીર માટે ખુબ સારું છે. પણ જો તેનું વધુ પ્રમાણમાં સેવન કરીએ તો તે આપણા ફેફસાને નુકશાન પણ પોહચાડી શકે છે. તેથી તેનું વધુ સેવન ન કરવું જોઈએ.
ખાટા ફળો
જો કોઈ પણ વ્યક્તિને એસીડીટીની સમસ્યા વધુ રહેતી હોય તેને ખાટી વસ્તુઓનું સેવન કરવું ન જોઈએ. કેમ કે તે શરીરમાં એસીડ રિફ્લક્સ આપણા ફેફસાના રોગોને વધારે છે. તેથી ખાટી વસ્તુનું સેવન ન કરવું તેને લીધે શરીરમાં એસિડની માત્રા ઓછી થઈ જાય છે. ખાટી વસ્તુમાં એસિડની માત્રા વધુ જોવા મળે છે. માટે એસીડીટી સમસ્યા રહેતી હોય તે વ્યક્તિએ ખાટી વસ્તુનું સેવન કરવાનું ટાળવું જોઈએ.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત