ગરમીમાં બહુ આવે છે માથામાં ખંજવાળ? તો આ ઘરેલું ઉપાયોથી મેળવો છૂટકારો, થઇ જશે તરત જ રાહત
ઉનાળામાં માથામાં ખંજવાળ આવવી એ એક સામાન્ય સમસ્યા છે. પરંતુ આ સમસ્યાના કારણે મહિલાઓ ઘણીવાર પરેશાન રહે છે. જાહેર જગ્યાએ પણ આના કારણે ઘણીવાર સ્ત્રીઓને શરમનો સામનો કરવો પડે છે. અમે તમને જણાવી દઈએ કે માથામાં ખંજવાળ આવવાના ઘણાં કારણોસર હોઈ શકે છે. ખંજવાળ ડેન્ડ્રફથી અથવા વાળના મૂળમાં પરસેવાને લીધે થઈ શકે છે, પરંતુ જ્યારે આપણે નખથી માથામાં ખંજવાળીએ ત્યારે વાળ પાતળા થવા લાગે છે, ડેન્ડ્રફની સમસ્યા વધતી જાય છે અને વાળ ખરવા લાગે છે. આવી સ્થિતિમાં માથામાં આ સિવાય પણ ઘણી સમસ્યાઓ થાય છે. જો તમે પણ માથામાં ખંજવાળની સમસ્યાથી પરેશાન છો, તો અહીં જણાવેલ ઉપાય અજમાવો. આજે, અમે તમને આ લેખ દ્વારા જણાવીશું કે જો તમને તમારા માથામાં ખંજવાળ આવે છે તો તમે ઘરેલું ઉપાયની મદદથી આ સમસ્યાને કેવી રીતે દૂર કરી શકો છો. તો ચાલો જાણીએ માથામાં આવતી તીવ્ર ખંજવાળની સમસ્યા દૂર કરવા માટેના સરળ ઉપાયો.
1 – બેબી શેમ્પૂ અને ટી ટ્રી ઓઇલ
અમે તમને જણાવી દઈએ કે માથામાં આવતી તીવ્ર ખંજવાળની સમસ્યા દૂર કરવા માટે તમે બેબી શેમ્પુ અને ટી ટ્રી ઓઈલનો ઉપયોગ કરી શકો છો. આ માટે બેબી શેમ્પુમાં ટી ટ્રી ઓઈલના થોડા ટીપા ઉમેરો. હવે મિશ્રણને સારી રીતે મિક્સ કરો. હવે તમારા માથા પર આ બનાવેલું મિશ્રણ લગાવો અને થોડા સમય પછી તમારા વાળ ધોઈ લો. આ કરવાથી તમારા માથામાં આવતી ખંજવાળ દૂર થશે. ટી ટ્રી ઓઇલમાં એન્ટીબેક્ટેરિયલ અથવા એન્ટિફંગલ ગુણધર્મો છે. આવી સ્થિતિમાં, તે સફેદ વાળની સમસ્યા સામે તો લડે જ છે સાથે તે વાળના મૂળને પણ મજબૂત બનાવે છે.
2 – વેજીટેબલ તેલ
તમને જણાવી દઈએ કે વેજીટેબલ તેલ વાળ માટે એક સારો વિકલ્પ છે. આ સમસ્યા દૂર કરવા માટે વેજીટેબલ તેલના થોડા ટીપાં ટી ટ્રી ઓઇલ સાથે મિક્સ કરો અને તેને મૂળમાં લગાડો. આમ કરવાથી, ઉનાળામાં ડેન્ડ્રફ અથવા પરસેવો થવાના કારણે માથામાં થતી ખંજવાળની સમસ્યા દૂર થઈ શકે છે. આ મિશ્રણ તમારા વાળને મજબૂત બનાવે છે અને વાળની દરેક સમસ્યા દૂર કરે છે.
3 – તલનું તેલ
વાળના મૂળિયા માટે પણ તલના તેલની માલિશ કરવી ખૂબ જ સારી છે. આવી સ્થિતિમાં તલનું તેલ ગરમ કરો અને તેને એક બોક્સમાં ભરો. હવે રોજ રાત્રે સુતા પહેલા આ તેલથી તમારા વાળની અને માથાની માલિશ કરો. આ ઉપાય દરરોજ અપનાવવાથી વાળની અનેક સમસ્યાઓ દૂર થઈ જશે. કેટલીકવાર માથામાં ખંજવાળ વાળના મૂળિયાઓની શુષ્ક્તાના કારણે પણ થાય છે. આ સમસ્યામાં, તલનું તેલ વાળના મૂળમાં ભેજ જાળવી રાખે છે અને સાથે શુષ્કતા પણ દૂર કરે છે.
4 – દહીંથી મસાજ કરો
માથામાં આવતી ખંજવાળને દૂર કરવા માટે તમે દહીંની મદદ પણ લઈ શકો છો. વાળની મૂળિયામાંથી શુષ્કતા દૂર કરવા માટે દહીં એક સારો વિકલ્પ છે. આવી સ્થિતિમાં નહાવાના લગભગ અડધો કલાક પેહલા તમારા વાળમાં દહીં લગાવો અને થોડા સમય પછી વાળને સાદા પાણીથી ધોઈ લો. આ કરવાથી, ડેન્ડ્રફની સમસ્યા તો દૂર થાય જ છે, સાથે વાળ મજબૂત બને છે અને વાળ કાળા લાગે છે.
5 – લીંબુનો ઉપયોગ કરો
લીંબુ ઘણા વર્ષોથી વાળમાં આવતી ખંજવાળની સમસ્યા દૂર કરવા માટે ફાયદાકારક ઉપાય છે. તમે પણ લીંબુનો ઉપયોગ કરીને ખંજવાળની સમસ્યાને દૂર કરી શકો છો. આ માટે એક કપ પાણીમાં લીંબુના થોડા ટીપાં ઉમેરો અને તેને બરાબર મિક્સ કરી લો. હવે આ મિક્ષણને તમારા વાળમાં ઓછામાં ઓછા 10 થી 15 મિનિટ સુધી લગાવો. ત્યારબાદ ઠંડા પાણીથી તમારા માથાને અને વાળને સારી રીતે સાફ કરો. આ ઉપાયથી ખંજવાળની સમસ્યા તો દૂર થાય જ છે, સાથે ડેન્ડ્રફ પણ મૂળમાંથી દૂર થાય છે. લીંબુમાં એન્ટિસેપ્ટિક ગુણધર્મો જોવા મળે છે, જે માથામાંથી સફેદ પડ દૂર કરે છે અને ખંજવાળની સમસ્યાથી રાહત આપે છે.
6 – નાળિયેર તેલ ડેન્ડ્રફ માટે ફાયદાકારક છે
નાળિયેર તેલનો ઉપયોગ ખંજવાળને દૂર કરવા માટે કરી શકાય છે. આ માટે લગભગ 15 મિનિટ સુધી નાળિયેર તેલથી તમારા વાળ અને માથાની માલિશ કર્યા પછી, તમે અનુભવશો કે માથામાં ખંજવાળ જાતે જ અદૃશ્ય થઈ રહી છે. નાળિયેર તેલ વાળ માટે ખૂબ ઉપયોગી છે. તે ડેન્ડ્રફની સમસ્યા તો દૂર કરે જ છે, સાથે ગરમીને કારણે માથામાં આવતી ખંજવાળમાંથી પણ રાહત આપે છે.
7 – બેકિંગ સોડા ઉપયોગી છે
બેકિંગ સોડા દરેક ઘરમાં જોવા મળે છે. શું તમે જાણો છો કે રસોડામાં વપરાતો બેકિંગ સોડા વાળ માટે પણ ખૂબ ઉપયોગી છે. જી હા, જો તમે ગરમીના કારણે થતી ખંજવાળની સમસ્યાથી પરેશાન છો, તો આ સમસ્યા દૂર કરવા માટે બેકિંગ સોડામાં થોડા ટીપાં પાણી ઉમેરીને આ મિક્ષણ તમારા વાળના મૂળમાં લગાવો. ત્યારબાદ આ મિક્ષણને થોડા સમય સુધી વાળના મૂળમાં રહેવા દો. પછી તમારા વાળને સાદા પાણીથી સાફ કરો. આ કરવાથી, માથામાં પીએચ સ્તર યોગ્ય રહે છે, સાથે ખંજવાળ પણ દૂર થાય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત