ગરમીમાં ડુંગળી ખાવાથી ફાયદા તો થાય છે, પણ સાથે-સાથે થાય છે આટલાં નુકસાન પણ, જાણો તમે પણ
મિત્રો, આજે કાળઝાળ ગરમીની મૌસમ શરુ થતા જ તમને તમારા શરીરમા અનેકવિધ પ્રકારના બદલાવ જોવા મળશે. આ બદલાવ તમારા શરીર માટે ઘણીવાર નુકશાનકારક સાબિત થઇ શકે છે. તમારી ઋતુ મુજબ તમારે તમારા ભોજનના સેવનમા ફેરફાર લાવવા જોઈએ, જો તમે તે ના કરો તો તમારુ સ્વાસ્થ્ય કથળી શકે છે.
હાલ, ઉનાળાની મોસમ પૂરજોશમા શરૂ થઈ ચુકી છે અને તાપમાનનુ પ્રમાણ પણ નિરંતર વધી રહ્યુ છે. આ ઋતુમા શરીરને ઠંડુ કરવા માટે ઠંડા પીણાનુ સેવન ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. શું તમને ખ્યાલ છે કે, ડુંગળીનો સમાવેશ આપણા ભોજનમા અવશ્યપણે થાય છે.
ગરમીની ઋતુમા તેના વિનાનુ ભોજન સાવ અધૂરુ રહે છે. શું તમને ખ્યાલ છે કે, ડુંગળીના સેવનથી તમને અઢળક ફાયદા પ્રાપ્ત થઇ શકે છે. તેના સેવન માત્રથી તમને હીટ સ્ટ્રોકની સમસ્યા સામે સારી એવી રાહત મળી શકે છે. તેનાથી તમારુ શરીર ઠંડુ એકદમ રહે છે.
પરંતુ, તમારે એ વાત અંગે પણ વિશેષ માહિતી રાખવી, જો તમે એક હદ કરતા વધુ આ વસ્તુનો વપરાશ કરો છો કે તેનુ સેવન કરો છો તો તમને નુકસાન થઇ શકે છે? હા, આજે અમે તમને જણાવી દઇએ કે, ગરમીની ઋતુને કારણે ડુંગળીનુ વધારે પડતુ સેવન ખુબ જ નુકસાનકારક સાબિત થઇ શકે છે.
આ વસ્તુમા પુષ્કળ માત્રામા ફ્રુક્ટોઝ સમાવિષ્ટ જોવા મળે છે. તેનાથી તમને ગેસ સાથે સંકળાયેલી સમસ્યા થાય છે અને પરસેવાનુ પ્રમાણ પણ વધારે રહે છે. આ સિવાય વધારે પડતી ડુંગળી ખાવાથી તમને પાચનમા પણ તકલીફ થઇ શકે છે. તેમા પોટેશિયમનુ પ્રમાણ ખુબ જ વધારે પડતુ રહે છે. તે તમારી કાર્ડિયો લિવર સિસ્ટમને ખુબ જ ભારે પ્રમાણમા નુકસાન પહોંચાડી શકે છે. તેના કારણે તમને હાર્ટબર્નની અનેકવિધ ફરિયાદો થઇ શકે છે.
ગર્ભવતી સ્ત્રીઓ માટે પણ ડુંગળીનુ સેવન ખુબ જ નુકશાનકારક સાબિત થઇ શકે છે. તેના સેવન માત્રથી તમને ખાટા ઓડકાર, હાર્ટબર્ન જેવી સમસ્યાઓ થવાની સંભાવનાઓ વધતી રહે છે. તમે ઘણીવાર જોયુ પણ હશે કે, મોટાભાગના લોકો ડુંગળી ખાવાનુ ટાળે છે.
તે સિવાય તે વધારે પડતી ડુંગળી ખાય છે તેમની પાસે જવાનુ પણ ટાળે છે કારણકે, તેમના મોઢામાથી નિરંતર ડુંગળીની ગંધ આવતી રહેતી હોય છે. ડુંગળી એ તમારા માટે જેટલી ફાયદાકારક સાબિત થાય છે તેટલી જ તમારા માટે હાનીકારક પણ સાબિત થાય છે. તો તેના સેવન કરતા સમયે ધ્યાન અવશ્યપણે રાખવુ.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત