લોકડાઉનમાં ઘરે બેઠા બેઠા વધી ગયેલા વજનને ઘટાડવા માટે સ્ટાર ડાયેટીશિયન ઋજુતા દિવેકર દ્વારા આપવામાં આવેલા ખાસ સૂચનો ફોલો કરો
લોકડાઉનમાં લોકો પાસે એટલો સમય છે કે, જો તેઓ ફીટનેસ લક્ષ્ય લે તો તે પૂર્ણ કરી શકે છે. આ માટે, ફક્ત કસરત પર જ નહીં, આહાર પર પણ ધ્યાન કેન્દ્રિત કરવું મહત્વપૂર્ણ છે.
લોકડાઉન લોકોના સ્વાસ્થ્યને પણ અસર કરી રહ્યું છે. સતત બેઠા રહેવાને કારણે લોકોમાં સ્થૂળતા ઝડપથી વધી રહી છે. ઘરે રહેતા સમયે, મોટાભાગના લોકો વારંવાર ખાવામાં ધ્યાન કેન્દ્રિત કરે છે. આવી સ્થિતિમાં લોકો સમજી શકતા નથી કે શું ખાવું અને કેટલી માત્રામાં.
ન્યુટ્રિશનિસ્ટ રૂજુતા દિવાકરે ઇન્સ્ટાગ્રામ પર ક્વોરન્ટાઇન ડાયેટ અને વર્કઆઉટ ટીપ્સ વિશે જણાવ્યું છે. આ સિવાય તેમણે જણાવ્યું હતું કે લોકોએ આ સમયે કેટલો આહાર લેવો જોઈએ કારણ કે ઘરે હોય ત્યારે કેલરી ઘટાડવી એ સરળ કામ નથી.
જો કે, રૂજુતા દિવાકર કહે છે કે કેલરીની માત્રાનું તમારા ફીટ, જાડા અથવા પાતળા હોવા સાથે કંઈ લેવા-દેવા નથી. આ માટે તમારે કાર્બોહાઇડ્રેટ અને ચરબીયુક્ત ખોરાક ખાવામાં નિયંત્રણ રાખવું પડશે.
આહારમાં મોસમી ફળો અને શાકભાજીનો સમાવેશ કરો. આ સિવાય, ખોરાકના સ્વાદ પર ધ્યાન આપવું પણ મહત્વપૂર્ણ છે. રૂજુતાએ આહારમાં ચોખા અને દાળનો સમાવેશ કરવાનું સૂચન કર્યું છે.
ડાયેટિશિયને લોકોને ખોરાક ખાતી વખતે ત્રણ સૂત્રો અપનાવવા કહ્યું છે, જેમાંથી પ્રથમ એ છે કે ખોરાક ખાતી વખતે માનસિક રીતે પણ સક્રિય રહેવું જોઈએ. તમે જે ખાઈ રહ્યા છો તે સારી રીતે જોઈને, તેને સુંઘીને અને સ્વાદ લઇને ખાઓ.
બીજું સૂત્ર એ છે કે શાંત જગ્યાએ ખોરાક લેવો. જમતી વખતે ફોન, લેપટોપ, ટીવી, બુક અથવા છાપા પર ધ્યાન ન આપો.
ત્રીજું સૂત્ર નીચે બેસીને ખોરાક ખાવાનું છે. પ્રયત્ન કરો કે દિવસ દરમ્યાન કોઈ પણ સમયે જમવાના ટેબલ પર બેસવાને બદલે, તમારે પલાંઠી મારીને ખોરાક લેવો જોઈએ.
ખોરાકની માત્રાને કેવી રીતે નિયંત્રિત કરવી તે માટે, રુજુતાએ મેન્ટલ મીલ નકશો આપ્યો છે, જે ઘણા તબક્કામાં સમજી શકાય છે.
પ્રથમ પગલું: તમે જેટલું જમવા માંગો છો તેની કલ્પના કરો.
બીજું પગલું: પ્રથમ તબક્કામાં, તમે જેટલું જમવાની કલ્પના કરી છે તેના અડધા ભાગનું જ તમારી પ્લેટમાં પીરસો.
ત્રીજું પગલું: બીજા તબક્કામાં, તમે જેટલું જમવાનું લીધું છે. તેનાથી બમણો સમય તેને ખાવા માટે લો.
ચોથું પગલું: જો તમે હજી પણ ભૂખ્યા છો, તો પ્રથમ પગલાથી ફરીથી તે જ પ્રક્રિયા શરૂ કરો.જમતી વખતે સંપૂર્ણ સમય લો. જલ્દી-જલ્દી ખાવાથી તમને ખોરાકથી સંતોષ નહીં થાય.
રૂજુતાએ કહ્યું કે અડધી પ્લેટ એટલે કે ૫૦ ટકા અનાજ અથવા બાજરી (ચોખા, રોટલી, જુવાર, બાજરી) થી ભરવી જોઈએ. પ્લેટના ૩૫ ટકા ભાગમાં દાળ (દાળ અને લીલીઓ) અને શાકભાજી ભરવા જોઈએ. જો તમે માંસાહારી છો, તો પ્લેટમાં ૩૫ ટકા નોન-વેજ હોવું જોઈએ.
બાકીની ૧૫ ટકા પ્લેટને ચટણી, અથાણું, પાપડ અને કચુંબરથી ભરો. ખીચડી, ઢોસા, પરોઠા પણ સંપૂર્ણ આહારનું કામ કરે છે કારણ કે તેમાં તમામ પ્રકારના આવશ્યક પોષક તત્વો જોવા મળે છે.