ગુજરાતમાં AAPએ તેની નવી ટીમ બનાવી નાખી, ઇસુદાન ગઢવીને મળ્યું મોટું પદ, જાણો બીજા કોણ કોણ જાણીતા નામો છે
આ વર્ષના અંતમાં ગુજરાત અને હિમાચલમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે, જેને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી પોતાને મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહી છે. આ ક્રમમાં, રવિવારે AAP સુપ્રીમો અરવિંદ કેજરીવાલે એક મોટો નિર્ણય લીધો, જે અંતર્ગત ગુજરાતના નેતા ઇસુદાન ગઢવીને રાષ્ટ્રીય સંયુક્ત મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા, જ્યારે ઈન્દ્રનીલ રાજગુરુને રાષ્ટ્રીય સંયુક્ત સચિવની જવાબદારી સોંપવામાં આવી.
વાસ્તવમાં ભાજપના ગઢ ગુજરાત પર આમ આદમી પાર્ટીની સંપૂર્ણ નજર છે, જેના કારણે અરવિંદ કેજરીવાલ ત્યાં સતત મુલાકાત લઈ રહ્યા છે. તાજેતરમાં તેમણે સમગ્ર રાજ્ય કારોબારીનું વિસર્જન કર્યું હતું. રવિવારે AAP એ 850 થી વધુ હોદ્દેદારો સાથે ગુજરાત માટે નવા સંગઠન માળખાની જાહેરાત કરી. આ ઉપરાંત ઈસુદાન ગઢવી અને ઈન્દ્રનીલ રાજગુરુને મોટી જવાબદારી સોંપવામાં આવી હતી. સીએમ કેજરીવાલે વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેમની પાર્ટી આગામી ચૂંટણીમાં સારો દેખાવ કરશે.
લોકોને 5 વર્ષ માટે પૂછો :
સાથે જ હિમાચલમાં પણ કેજરીવાલે પોતાની સક્રિયતા વધારી દીધી છે. શનિવારે તેમણે હમીરપુરના શિક્ષણ સંવાદ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે બહેતર શિક્ષણ અને સ્વાસ્થ્ય સેવાઓના નામે જનતા પાસેથી તક માંગી હતી. સીએમ કેજરીવાલે કહ્યું કે લોકો એકવાર દિલ્હી આવે અને ત્યાંનું મોડલ જોવે. જો તેઓ આમ આદમી પાર્ટીને 5 વર્ષ આપશે તો દિલ્હી જેવો વિકાસ પહાડી રાજ્યમાં પણ થશે.