અત્યારના સમયમાં તણાવના કારણે માથામાં દુખાવો થવો સામાન્ય છે, આ સમસ્યા આ રીતે દૂર કરો
આજની ઝડપી ગતિશીલ જીવન અને વ્યસ્ત જીવનશૈલીમાં તણાવ અને માથાનો દુખાવો એક સામાન્ય બીમારી બની ગઈ છે. માથાનો દુખાવો થવાનાં ઘણાં કારણો છે. માથામાં રુધિરવાહિનીઓનું સંકુચિત થવું, સ્નાયુ તંત્રની અસામાન્ય પ્રવૃત્તિ, વધુ ધૂમ્રપાન કરવું, વધુ આલ્કોહોલનું સેવન કરવું, શરીરમાં પાણીનો અભાવ, લાંબા સમય સુધી બિનજરૂરી રીતે સૂવું, શરદી, ઉધરસ, તાવ સહિત અતિશય પેઇનકિલરનું સેવન કરવું આવા ઘણા કારણો છે, જેના કારણે માથાનો દુખાવો થાય છે. કોઈ પણ પ્રકારનો માથાનો દુખાવો થતા શરૂઆતમાં એલોપેથિક પેઇનકિલર ખાવાનું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે,
કારણ કે વધારે પેન કિલર ખાવાથી કિડની અને લીવરને નુકસાન થાય છે. માથામાં થતો દુખાવો દૂર કરવા માટે સૌથી પેહલા ઘરેલુ ઉપાય જ અપનાવવા જોઈએ. અહીં જાણો માથાનો દુખાવો દૂર કરવા માટેના સરળ ઉપાયો.
વારંવાર માથાનો દુખાવો એટલા માટે થાય છે જયારે તમારા શરીરને પૂરતું પાણી મળતું નથી. તેથી સૌ પ્રથમ, તમારે પાણીનું સેવન વધારવું જોઈએ. જો તમે ઈચ્છો છો, તો પ્રવાહીનું સેવન વધારવા માટે તમે નાળિયેર પાણી, લીંબુનાં પાણી, છાશ વગેરેનું સેવન પણ કરી શકો છો.
આ સિવાય તજની મદદથી માથાનો દુખાવો સરળતાથી દૂર કરી શકાય છે. માથાનો દુખાવો દૂર કરવા માટે તજ અને પાણીને મિક્સ કરીને એક પેસ્ટ બનાવો અને એ પેસ્ટ તમારા માથા પર લગાવો. અડધા કલાક પછી તમે જોશો કે તમારા માથાનો દુખાવો અદૃશ્ય થઈ ગયો છે.
શિયાળાની ઋતુમાં જ્યારે ફુદીનો ખૂબ જ સસ્તો હોય છે, ત્યારે તેનો ઉપયોગ તમારા માથાનો દુખાવો દૂર કરવામાં પણ મદદરૂપ થઈ શકે છે. આ માટે ફુદીનાના પાંદડાને ઉકાળો અને તેની ચા બનાવો, સાથે એક બાબતની કાળજી રાખો કે તમારે આ ચામાં દૂધના બદલે મધ ઉમેરવું પડશે.
સરસવનું તેલ માથાનો દુખાવો દૂર કરવા માટે ખૂબ અસરકારક છે. કપાળની જે બાજુ પર દુખાવો થાય છે એ બાજુના નાક પર સરસવના થોડા ટીપા નાખો અને ઊંડો શ્વાસ લો. આ ઉપાય માથાના દુખાવાથી મોટી રાહત આપશે. ધ્યાનમાં રાખો કે બેડ પર સૂઈને નીચેની બાજુ માથું રાખીને તેલના ટીપા નાકમાં નાખવા જોઈએ.
મુલેઠી માથાનો દુખાવો દૂર કરવામાં ઘણી ફાયદાકારક છે. આ માટે મુલેઠીને પીસીને પાવડર બનાવો. આ પાવડરને નાકની પાસે લઇને સુગંધ લો. તેનાથી માથાનો દુખાવો દૂર કરવામાં ઘણી રાહત મળશે.
એકદમ સૂકા પીપળાના પાંદડા, મુલેઠી અને વરિયાળી મિકસ કરીને પાવડર બનાવો. આ પછી આ પાવડરમાં થોડું પાણી ઉમેરીને જાડી પેસ્ટ બનાવો. આ પેસ્ટ કપાળ પર લગાવો, જયારે આ પેસ્ટ સુકાય જાય ત્યારે તમારું કપાળ પાણીથી ધોઈ લો. આ ઉપાય અજમાવવાથી માથાનો દુખાવો દૂર થશે.
માથાનો દુખાવો દૂર કરવા માટે તેલની માલિશ કરવી ખૂબ અસરકારક છે. માલિશ કરવાથી માથાની લોહીની ધમનીઓમાં લોહીનો પ્રવાહ યોગ્ય રીતે શરૂ થાય છે અને માથાનો દુખાવો તરત જ દૂર થાય છે. ધ્યાનમાં રાખો, ફક્ત હર્બલ તેલથી માથાની ચામડીની માલિશ કરો. માથામાં થતો તીવ્ર દુખાવો દૂર કરવા માટે તેલ થોડું ગરમ કરો. ગરમ તેલ ઝડપથી અસર કરશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત