જ્યારે આખું ગામ સળગતું હતું, ત્યારે પોલીસ વીડિયો બનાવી રહી હતી અને ગુંડાઓને માત્ર એટલું કહેતા રહ્યા કે ઘરે જાઓ…
કરૌલી રમખાણોને 6 દિવસ થઈ ગયા છે. લોકો પોતાના ઘરોમાં કેદ છે. તેઓ દૂધ અને શાકભાજી જેવી આવશ્યક વસ્તુઓ માટે પણ બહાર જય શકતા નથી. કરૌલીની સદાય વસ્તીવાળી ગલીઓમાં એક બિહામણું મૌન છે. આ વિસ્તારમાં ઈન્ટરનેટ પણ બંધ છે.
જ્યારે ગુંડાઓ પથ્થરમારો કરી રહ્યા હતા, દુકાનો સળગાવી રહ્યા હતા, લોકો પર લાકડીઓ અને સળિયા વડે હુમલો કરી રહ્યા હતા, ત્યારે પોલીસ દર્શક બનીને ઉભી હતી અને મોબાઈલમાં વીડિયો રેકોર્ડ કરી રહ્યા હતા. પોલીસે રમખાણોને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો નથી.
પથ્થરમારો બાદ લોકો પોતાના ઘરોમાંથી લાકડીઓ લઈને રસ્તા પર આવી ગયા હતા. પોલીસની હાજરીમાં તોફાનીઓએ લોકોને લાકડીઓ વડે માર માર્યો હતો. પોલીસકર્મીઓ તેમને એટલું જ કહેતા રહ્યા કે ઠીક છે, ગાડી તૂટી ગઈ છે, હવે ઘરે જાવ, નહીં તો હંગામો થશે. અરે થઈ ગયું, થઈ ગયું, હવે જાવ, જાઓ, આરામથી ઘરે જાઓ
પથ્થરમારો કર્યા પછી, તોફાનીઓએ પોલીસની સામે દુકાનોને આગ લગાવી, વાહનો સળગાવી દીધા. પોલીસ કડક કાર્યવાહી કરવાને બદલે માત્ર ઔપચારિક સલાહ જ આપતી જોવા મળી હતી. આ બેદરકારીના કારણે 1 મકાન, 35 દુકાનો અને 30થી વધુ બાઇક બળીને ખાખ થઈ ગયા હતા. 4 પોલીસકર્મીઓ સહિત 40થી વધુ લોકો ઘાયલ થયા છે. આ વિસ્તારમાં 6 દિવસ માટે કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. કેટલાક પોલીસવાળાઓ શેરીના એક ખૂણામાં બેઠા હતા. શેરી સાવ નિર્જન હતી.