કાળી અડદની દાળ સ્વાસ્થ્ય માટે છે હાનિકારક, જેમાં આ લોકોએ તો ભૂલથી પણ ના લેવી જોઇએ થાળી નહિં તો…
ભારતીય ઘરોમાં અડદની દાળ ના સેવન વધારે પ્રમાણમાં કરવામાં આવે છે. તેને ફોતરા વાળી દાળ પણ કહેવામાં આવે છે. તે સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે, આ સાથે જ તે આરોગ્યની દ્રષ્ટિએ પણ ખૂબ જ લાભદાયક હોય છે. એટલું જ નહીં આ દાળને આયુર્વેદિક દવાઓના સ્વરૂપમાં ઉપયોગ કરવામાં આવે છે.
કાળી છાલ વાળી અડદની દાળ જેટલી સ્વાદિષ્ટ છે, તેટલી જ તે ખાવા માટે પણ આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તેમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, ચરબી, વિટામિન બી6, આયર્ન, ફોલિક એસિડ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં છે. તે આપણા હૃદય તેમજ આપણા ચેતાતંત્ર માટે સારું માનવામાં આવે છે.
તેના ફાયદા શું છે
વાનમજી ના જણાવ્યા અનુસાર આ દાળનું તાસીર ઠંડું છે, અને અનેક રોગોમાં વરદાન નું કામ કરે છે. આયુર્વેદ માં તેનો ઉપયોગ માથા નો દુખાવો મટાડવા, હેમરેજ મટાડવા, યકૃતની બળતરા ઓછી કરવા, લકવો મટાડવા, સાંધાનો દુખાવો, અલ્સર, તાવ, સોજો વગેરે ને દુર કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. તેમા ફાઈબર, મેગ્નીશિયમ અને પોટેશિયમ વિપુલ પ્રમાણમાં હોય છે, જે આપણા હૃદયના આરોગ્ય માટે સારા છે. તે કોલેસ્ટ્રોલ લેવલને પણ યોગ્ય રાખે છે, આ સાતે જ એથેરોસ્ક્લેરોસિસને નિયંત્રિત કરે છે, માટે કાર્ડિયો વસ્કુલર સિસ્ટમ હેલ્થી કરે છે. પરંતુ બીજી તરફ કાળી અડદ ની દાળનું સેવન કરવા થી તમને અનેક પ્રકારના નુકસાન પણ થઈ શકે છે.
તેના ગેર ફાયદાઓ
યુરિક એસિડ વધી શકે છે
હેલ્થ્સાઇટ અનુસાર કાળી અડદ ની દાળનું વધુ પડતું સેવન કરવા થી લોહીમાં યુરિક એસિડ વધવાનું જોખમ વધી જાય છે, જેના કારણે તમારી કિડનીમાં કેલ્સિફિકેશન સ્ટોન થઈ શકે છે. કિડની કે કિડની સ્ટોનની સમસ્યા વાળા લોકોને અડદની દાળ ખાવા ની બિલકુલ મનાઈ હોય છે.
સંધિવાની સંભાવના
સંધિવા થી પીડાતા દર્દીઓ ને અડદની દાળનું સેવન કરવા પર પણ પ્રતિબંધ છે. તેનો વપરાશ ફક્ત તેમની સમસ્યાને વધારી શકે છે. વળી, જો કોઈ અડદની દાળનું વધુ સેવન કરે તો તેને પિત્તાશયની પથરી કે ગાઉટ ગ્રોથ ની સમસ્યા પણ થઈ શકે છે. જો તમે આવી દવાનો ઉપયોગ કરી રહ્યા છો, તો અડદ ની દાળનું સેવન બિલકુલ ન કરો.
અપચો સમસ્યા
તેના વધુ પડતા સેવન થી અપચો થઈ શકે છે. ઉપરાંત અડદ ની દાળના વધુ પડતા સેવન થી કબજિયાત પણ થઈ શકે છે. આવા કિસ્સાઓ માં જે લોકો ને ગેસની સમસ્યા, કબજિયાત કે અપચો જેવી સમસ્યા હોય તેમણે ડોક્ટર ની સલાહ લીધા પછી જ તેનું સેવન કરવું જોઈએ.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત