ઓછી મહેનતે વધારે વજન ઉતારવા માટે કોબીજ છે એકદમ બેસ્ટ, આ રીતે કરો ઉપયોગ અને થઇ જાવો સ્લિમ
કોબીજ આરોગ્ય માટે ખૂબ લાભકારી હોય છે, અને સામાન્ય રીતે દરેક ઘરમાં સહેલાઈ થી મળી જાય છે. ચાઈનીઝ ડિશીશમાં કોબીજનો ખૂબ ઉપયોગ થાય છે. કોબીજ થી અનેક બીમારીઓ દૂર થાય છે. સાથે જ ત્વચા પણ નિખરે છે. તો આવો જાણીએ કોબીજના ફાયદા વિશે..
લોકો વજન ઘટાડવા માટે વિવિધ વસ્તુઓનો સહારો લે છે. તમારા ડાયેટ ચાર્ટ માંથી તમેઘણી વસ્તુઓ દૂર કરો છો, તેથી આહારમાં ઘણી વસ્તુઓ શામેલ કરો. જો તમે ઇચ્છો છો, તો તમે વજન ઘટાડવા માટે તમારા આહારમાં બીજી વસ્તુ શામેલ કરી શકો છો, અને તે છે કોબીજ. તે તમને વજન ઘટાડવામાં મદદ કરશે એટલું જ નહીં પરંતુ પોષક તત્વો સાથે તમારા સ્વાસ્થ્યને વિવિધ લાભો પણ પ્રદાન કરશે. તો ચાલો જાણીએ વજન ઘટાડવા માટે કોબીજનો ઉપયોગ કેવી રીતે કરી શકાય.
કોબીજમાં આ પોષક તત્વો હોય છે
કોબીજમાં વિટામિન કે, વિટામિન સી, વિટામિન ઇ, વિટામિન બી 6, ફોલેટ સાથે પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, ફોસ્ફરસ, ઝિંક, સોડિયમ, કોલિન, નિયાસિન, રિબોફ્લેવિન, થાઇમાઇન અને મેંગેનીઝ જેવા તત્વો હોય છે. તેમાં એન્ટી ઓક્સિડન્ટ્સ ભરપૂર માત્રામાં હોય છે.
આ રીતે ઉપયોગ કરો
વજન ઘટાડવા માટે કોબીજ નો સૂપ તરીકે પણ ઉપયોગ કરવો વધુ સારો છે. તેનું સેવન ઝડપ થી પેટ ભરે છે, અને વારંવાર ભૂખ પણ લાગતી નથી અને આપણું વજન ઝડપથી ઓછુ થવા લાગે છે.
આ વસ્તુઓની જરૂર પડશે
સ્વાદ અનુસાર એક કોબીજ, બે મોટી ડુંગળી, બે કે ત્રણ લીલા મરચાં, એક મોટું ટામેટા, કોથમીર, મીઠું અને મરી લો. કોબીજ ને છીણીને ધોઈ લો. ડુંગળી, ટામેટાં, લીલા મરચાં અને લીલા ધાણાને ઝીણા સમારી લો.
આ રીતે સૂપ તૈયાર કરો
એક કઢાઈ માં એક ચમચી તેલ ઉમેરી ગરમ કરો. તેલ ગરમ થયા પછી તેમાં સમારેલી ડુંગળી ઉમેરો. તેમને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. ત્યાર બાદ કઢાઈમાં છીણેલી કોબીજ ઉમેરી મીઠું ઉમેરો. ત્યારબાદ તેમાં ચાર થી પાંચ કપ પાણી ઉમેરી ને કઢાઈને ઢાંકણ કે પ્લેટ થી ઢાંકી દો. તેને મધ્યમ આંચ પર લગભગ દસ મિનિટ સુધી રાંધવા દો.
ત્યારબાદ તેમાં ટામેટાં અને મરી ઉમેરો. પછી તેને બીજી પાંચ મિનિટ સુધી રાંધવા દો. ત્યારબાદ તેને ગાળીને લીલા ધાણાના પાન ઉમેરી તેનું સેવન કરો. જો તમે ઇચ્છો તો ટામેટાં પણ છોડી શકો છો, અને સૂપનો સ્વાદ વધારવા માટે રાંધ્યા પછી લીંબુના થોડા ટીપાં પણ તેમાં ઉમેરી શકો છો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત