સ્વાથ્ય માટે રામબાણથી ઓછું નથી કારેલા નું જ્યુસ, મોટામાંમોટી બિમારીઓ થઈ જાય છે દૂર…
કારેલા નો સ્વાદ ભલે કડવો હોય પરંતુ તે સ્વાસ્થ્ય માટે રામબાણથી ઓછું નથી. કારેલા માં રહેલા તત્વો આપના માટે ખૂબ ફાયદાકારક છે. કારેલા ખાવાથી કે તેનું જ્યુસ પીવાથી ઘણી બીમારીઓની સંભાવના ખતમ થઈ જાય છે. કારેલા ને ઘણી બધી દવા બનાવવામાં ઉપયોગ કરાય છે.
કારેલા ખાવાના ફાયદાઓ:
ડાયાબિટીસ ના રોગીઓ માટે:
ટાઈપ ૪ ના ડાયાબિટીસના દર્દીઓ માટે કારેલા નું જ્યુસ પીવું ખૂબ ફાયદેમંદ રહે છે. ઇન્સ્યુલિનની યોગ્ય માત્રા હોવાથી લોહીમાં સુગરનું પ્રમાણ વધી જાય છે. જે ટાઈપ ૨ ડાયાબિટીસ માટે જવાબદાર છે. કારેલાનું જ્યુસ બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરે છે.
ડાયાબિટીસના દર્દીએ પા કપ કારેલા ના રસમાં એટલો જ ગાજરનો રસ ભેળવીને પીવો જોઈએ. આનાથી બ્લડ સુગરનું લેવલ ધીરે ધીરે ઓછું થાય છે. સવારના સમયે કારેલાનું જ્યુસ પીવાથી ખૂબ ફાયદા થાય છે. કારેલા માં મોમસિર્ડિંન અને કેરાટીન જેવા એન્ટી-હાઇપર ગલેસેમિક તત્વ મળી આવે છે.
લોહીની ઉણપ દૂર કરે છે.:
મહિલાઓમાં હિમોગ્લોબિનની સમસ્યા બહુ સામાન્ય વાત છે પરંતુ આયર્ન થી ભરપૂર શાકભાજી ખાવાથી સૌથી વધારે ફાયદા થાય છે. દિવસમાં એકવાર કારેલા નું શાક ખાવા થી અથવા જ્યુસ પીવાથી હિમોગ્લોબિનની ઉણપ દૂર કરી શકાય છે સાથે જ લોહી પણ શુદ્ધ થાય છે.
કેન્સરથી બચાવે છે.:
કેન્સર જેવી બીમારીઓ સામે લડવામાં પણ કારેલા નું જ્યુસ મદદરૂપ થાય છે. કારેલા નું જ્યુસ પી ને અને તેના વધેલા માવા ને પાણીમાં ઉકાળીને પીવાથી કેન્સર જેવી ભયાનક બીમારીની સાંભાવના ઘણી ખરી ઘટાડી દે છે.
પથરીના દર્દીઓ માટે.:
પથરીના દર્દીએ ૨ કારેલા નો રસ પીવો અને કારેલાનું શાક ખાવાથી આરામ મળે છે. આનાથી પથરી ધીરે ધીરે ઓગળી ને બહાર નીકળી જાય છે. ૨૦ ગ્રામ કારેલાના રસમાં મધ ભેળવીને પીવાથી પથરી ઓગળીને પેશાબ વાટે બહાર નીકળી જાય છે.
તો હવે ભલે કરેલા ના ભાવે તો પણ આંખ બંધ કરીને ખાઈ જ લેજો. જેટલું તમારું સ્વાસ્થ્ય સારું રહેશે એટલું તમે વધારે કમાઈ શકશો અને એ કમાણીથી તમે તમારી અને તમારા પરિવારની બધી જ ઈચ્છાઓ પૂરી કરી શકશો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત