ખરજવા, સંધિવાથી લઇને કોરોનામાં પણ રાહત આપે છે આ દવા, જાણો તમે પણ
તીવ્ર ખંજવાળ ખરજવાથી પીડાતા દર્દીઓને ટૂંક સમયમાં રાહત મળી શકે છે. આ સંધિવાની દવાથી શક્ય બન્યું છે જેનો ઉપયોગ કોવિડ -19 ની સારવારમાં પણ થાય છે. ગયા અઠવાડિયે, એક નેશનલ હેલ્થ સર્વિસે માધ્યમથી ગંભીર ખરજવાની સારવાર માટે બારસિટીનીબને મંજૂરી આપી હતી જે એક મિલિયનથી વધુ લોકોને અસર કરે છે.
– બાર્કિટિનીબનો ઉપયોગ પહેલાથી જ સંધિવાના લક્ષણો ઘટાડવા માટે કરવામાં આવ્યો છે, પરંતુ તાજેતરના સંશોધન દર્શાવે છે કે તે ગંભીર, જીવલેણ કોવિડ -19 સામે લડવામાં પણ મદદ કરી શકે છે કારણ કે તે ‘સાયટોકાઇન સ્ટાર્મ’ શાંત કરવામાં સફળ રહ્યું હતું. પરીક્ષણમાં બહાર આવ્યું છે કે આ ઉપરાંત, ખરજવાના ખરાબ લક્ષણો ઘટાડવા માટે આ દવા અત્યંત અસરકારક છે અને હાલમાં એક સૂચિમાં શામેલ દવાની ખૂબ જ ઓછી આડઅસરનું કારણ બની હતી.
એક સંશોધનકારે આ વિશે કહ્યું કે, “ખરજવું એ ખરેખર ભયંકર સ્થિતિ છે. તે ખુબ જ ક્રૂર સ્થિતિ છે અને તેની ખંજવાળ અસહ્ય છે. આ સમસ્યા દૂર કરવા માટે આ દવા એક ફાયદાકારક ઉપાય છે કારણ કે સંધિવાની દવા સોજો અને ખંજવાળને રોકી શકે છે. અનિંદ્રાની સમસ્યા દૂર છે અને તમારી ત્વચાને સ્વસ્થ બનાવી શકે છે.” ” નાના બાળકોમાં ખરજવાની સમસ્યા સામાન્ય છે.
વૈજ્ઞાનિકો હજી પણ આના કારણો વિશે અસ્પષ્ટ છે, કારણ કે તે જાણવું ખુબ મુશ્કેલ છે કે તેના લક્ષણો કઈ એલર્જી સાથે જોડાયેલા છે આ લક્ષણો સાબુમાંથી અથવા ખોરાકમાંથી આવી શકો છે. ઓછામાં ઓછા 10 બાળકોમાંથી એક બાળકને ખરજવું થાય છે. નિષ્ણાતોને વિશ્વાસ છે કે બારસિટીનીબ ટેબ્લેટ દર્દીઓ માટે વધુ અસરકારક વિકલ્પ છે. માનવ પરીક્ષણમાં બહાર આવ્યું છે કે એક તૃતીયાંશથી વધુ સ્વયંસેવકોને પીડા, ખંજવાળ અને લાલ ત્વચામાં ઓછી રાહત મળી છે, જ્યારે એક તૃતીયાંશ સ્વયંસેવકોને આ સમસ્યા મૂળમાંથી દૂર થઈ છે.
કોઈપણ એક માર્ગદર્શિકામાં ગંભીર ખરજવા અને દવા વિશે લખવામાં આવશે. સંશોધનકારો કહે છે કે આનો અર્થ એ કે 80 હજાર લોકોને દવાથી ફાયદો થઈ શકે છે. જો કે, તેમણે એમ પણ માહિતી આપી હતી કે દર્દીઓ માટે નિયમિત ચેકઅપ અને ડોક્ટરની સલાહ લેવી જરૂરી રહેશે. પ્રોફેસરએ કહ્યું કે “ખરજવાના ઉપાયની શોધ લોકોને અસહ્ય પીડા અને અગવડતાથી થોડી રાહત મેળવવા માટેના દરવાજા ખોલે છે.”
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત