આ રીતે ઘરે લસણમાંથી બનાવો સ્પ્રે, તમારી આસાપાસ 10 કલાક સુધી નહિં ફરકે એક પણ મચ્છર, બીમારીઓથી પણ રહેશો દૂર
દરેક વ્યક્તિ લસણના ફાયદાથી વાકેફ હોય છે, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે તેના રસનો છંટકાવ મચ્છરોથી રાહત આપી શકે છે. લસણમાં એટલી શક્તિ હોય છે કે એકવાર તેનો ઉપયોગ કર્યા પછી, મચ્છર 10 કલાક સુધી તમારી નજીક નહિ આવે. લસણની કળી અને એપલ સાઇડર વિનેગારથી બનેલા આ મિક્ષણનો છંટકાવ કરવાથી મચ્છર આપણા ઘરથી દૂર રહેશે. આ હર્બલ પ્રોડક્ટને માર્કેટમાં સરળતાથી લાઇસન્સ મળશે. તેને એક થી બે મહિનામાં લોકો સુધી પહોંચાડવાનું આયોજન છે.
ઉનાળામાં મચ્છરોનો પ્રકોપ વધે છે
સામાન્ય રીતે ઉનાળામાં મચ્છરોનો રોગ વધુ ફેલાય છે. તેને ધ્યાનમાં રાખીને, આ પરીક્ષણ કરવામાં આવ્યું છે, પરીક્ષણ કર્યા પછી, જ્યાં પણ મિશ્રણ છાંટવામાં આવ્યું ત્યાંથી મચ્છર ગાયબ થઈ ગયા.
આ રીતે લસણના સ્પ્રે તૈયાર કરવામાં આવે છે
200 મિલી મિશ્રણ તૈયાર કરવામાં 250 મિલી પાણી લેવાનું. ત્યારબાદ લસણની બે કળીઓમાંથી રાસાયણિક પદાર્થ (એસિડ) કાઢો. હવે તેને પાણીમાં મિક્સ કરો અને તેમાં એક ચમચી એપલ સાઇડર વિનેગર મિક્સ કરો. હવે આ પાણીને 10 મિનિટ માટે 120 ડિગ્રી સેન્ટીગ્રેડ પર ગરમ કરો, ત્યારે મિશ્રણ તૈયાર છે. શ્રેષ્ઠ ભાગ એ છે કે આ મિશ્રણથી આરોગ્યને કોઈ નુકસાન થતું નથી. એકવાર છાંટવામાં આવ્યા પછી, મચ્છર 10 કલાક સુધી આસપાસ આવતા નથી. વૃક્ષ -છોડ જ્યાં જ્યાં મચ્છરો વધુ છે, ત્યાં આ મિક્ષણ છાંટવાથી ફાયદો થાય છે.
આ સિવાય પણ મચ્છરને દૂર ભગાડવા માટે આ રીતે લસણનો ઉપયોગ કરો –
– લસણમાં હાજર એલિસિન મચ્છરોને દૂર કરવામાં મદદ કરે છે. લસણના સ્પ્રે બનાવવા માટે, 1 ચમચી ખનિજ તેલમાં 5-6 લસણની કળીઓ મિક્સ કરો અને તેને આખી રાત રાખો. હવે આ તેલમાં 1 ચમચી લીંબુનો રસ અને 2 કપ પાણી ઉમેરો. તેને સારી રીતે મિક્સ કર્યા પછી, આ મિક્ષણને સ્પ્રે બોટલમાં ભરો અને તેને ઘરમાં અને છોડમાં છાંટો.
– નાની બોટલમાં 4 થી 5 લસણના કળીને બારીક કાપો. હવે આ બોટલમાં એપલ સાઇડર વિનેગર અને 4 થી 5 ટીપાં લીંબુનો રસ મિક્સ કરી સારી રીતે હલાવો. હવે આ મિક્ષણનો છંટકાવ જીવ-જંતુ પર અથવા મચ્છર પર કરો. થોડા સમયમાં જ મચ્છરો અદ્રશ્ય થશે.
– તમારા બગીચામાં રહેતા જીવજંતુઓ અને મચ્છરો લસણની સુગંધને નફરત કરે છે. એટલા માટે જ તેનાથી બનેલા જંતુનાશકો તમારા ઘરને જીવજંતુઓથી દૂર રાખી શકે છે. તેને બનાવવા માટે, અડધા કપ લિક્વિડ સાબુ, લસણનું તેલ અથવા પ્રથમ પેસ્ટ અને ખનિજ તેલને એક કપ પાણીમાં નાંખીને મિક્સ કરો. આ જંતુનાશકને તમારા બગીચામાં સાંજે અથવા રાત્રે છંટકાવ કરો. આ ઉપાયથી મચ્છરો અને જીવ-જંતુઓ દૂર થશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત