કડવો લીમડો – ફક્ત ખીલ અને ચહેરા માટે નહિ આ બીમારીઓ પણ થશે દુર…
ડાયાબિટીસના દર્દીઓને લીમડાના પાનનું સેવન કરવાની વણમાંગી સલાહ સૌથી પહેલા મળતી હોય છે. પરંતુ શું ખરેખર લીમડાના પાન ડાયાબિટીસની સમસ્યાને દૂર કરવામાં ઉપયોગી છે… જો આ પ્રશ્ન તમને પણ થતો હોય તો આજે તેનું સમાધાન તમને મળી જશે.
લીમડાના અનેક લાભ થાય છે પરંતુ તેનો ઉપયોગ અનેક વસ્તુઓમાં કરી શકાય છે. માત્ર ડાયાબિટીસ માટે નહીં પરંતું માથાના વાળનો ખોડો દૂર કરવાથી માંડી શરીરની અનેક બીમારીને દૂર કરવાની ક્ષમતા લીમડામાં છે. તો ચાલો જાણી લો તમે આજે કે લીમડાના પાન કઈ કઈ બીમારીને દૂર કરી શકે છે.
લીમડાના પાનથી થતાં લાભ
લીમડાના પાનમાં ફંગસવિરોધી અને જીવાણુરોધી ગુણ હોય છે જે ત્વચા તેમજ વાળ માટે લાભદાયી છે. લીમડાના પાનને પાણીમાં ઉકાળી અને તેનો ઉપયોગ નહાવામાં કરવાથી વાળ અને ત્વચાનું સ્વાસ્થ્ય સુધરે છે.
પેઢાની સમસ્યા
પેઢામાં સમસ્યા હોય તો પણ લીમડાનો ઉપયોગ કરી શકાય છે. પેઢામાં સોજો હોય તો તેને દૂર કરવામાં તેમજ મોંમાંથી આવતી દુર્ગંધને દૂર કરવામાં પણ લીમડાના પાન ફાયદો કરે છે. લીમડાના પાનને વાટી તેને પેઢા પર લગાડી મસાજ કરવી અને 10 મિનિટ તેને રહેવા દેવું. પછી પાણીથી કોગળા કરી મોં સાફ કરી લેવું.
ડાયાબિટિસ માટે ઉપયોગી
લીમડાના પાન ડાયાબિટિસના રોગીઓ માટે પણ લાભકારક છે. તેનાથી સુગર નિયંત્રિત થાય છે. ડાયાબિટિસના દર્દીઓએ નિયમિત રીતે લીમડાનો રસ પીવો જોઈએ.
કૃમિ નાશક
લીમડો કૃમિ નાશક છે. પેટમાં થતી કૃમિનો નાશ લીમડો કરે છે. સવારના સમયે ખાલી પેટ લીમડાના પાનનો રસ બે ચમચી નિયમિત પીવાથી કૃમિ દૂર થાય છે. પેટની કૃમિના કારણે જેનું વજન વધતું ન હોય તેમને પણ લીમડાના પાનનો રસ પીવાથી લાભ થાય છે અને વજન વધવા લાગે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત