જાણો રોજ સવારમાં ઉઠીને મેથીનુ પાણી પીવાથી સ્વાસ્થ્યને થતા આ અનેક ફાયદાઓ વિશે તમે પણ
જો આપણે દરરોજ સવારે એક ગ્લાસ મેથીનું પાણી પીએ તો તે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે.
તો ચાલો આપણે જાણીએ કે મેથીમાં એવું શું છે કે જેનું પાણી પીવાથી આપણું શરીર રોગોથી મુક્ત રહે છે.
મેથી સ્વાદમાં કડવી હોઈ શકે છે,પરંતુ તે દરેક ઘરે સરળતાથી જોવા મળે છે કારણ કે તેનો ઉપયોગ રસોઈ બનાવતી વખતે વઘાર માટે કરવામાં આવે છે,જે ખોરાકને વધુ સ્વાદિષ્ટ બનાવે છે.મોટાભાગના લોકોને મેથીના અન્ય ગુણધર્મો વિશે ખ્યાલ હોતો નથી,જ્યારે મેથીનું પાણી સૌથી વધુ ફાયદાકારક છે.
મેથીમાં ગેલેક્ટોમાનન નામનો પુષ્કળ ફાઇબર હોય છે, સાથે સાથે એન્ટીઓક્સિડન્ટનો ગન પણ જોવા મળે છે.જો આપણે રાત્રે એક થી દોઢ ચમચી મેથી એક ગ્લાસ પાણીમાં પલાળી રાખીએ અને સવારે ઉઠતા જ પાણી પી જઈએ તો તે આપણને ઘણી બીમારીઓથી દૂર રાખે છે.
મેથીનું પાણી પીવાથી ઘણા ફાયદાઓ થાય છે,જે આ પ્રમાણે છે….
એન્ટીઓક્સિડન્ટના ગુણના લીધે,મેથીનું પાણી પીવાથી આપણને શરદી અને ઉધરસના વાયરલથી બચવામાં મદદ મળે છે.
આ પાણી પીવાથી પેટમાં બળતરા અને ગેસની સમસ્યામાં રાહત મળે છે.
રોજ સવારે આ પાણી પીવાથી જાડાપણું પણ ઓછું થાય છે કારણ કે તેમાં પુષ્કળ પ્રમાણમાં ફાઇબર હોય છે,જેથી આપણને થોડી-થોડી વારમાં ભૂખ નથી લાગતી.
રોજ સવારે મેથીનું પાણી પીવાથી બ્લડ શુગર પણ નિયત્રંણમાં રહે છે,જે ડાયાબિટીઝના દર્દીઓ માટે ફાયદાકારક છે.
મેથીનું પાણી નિયમિત પીવાથી,તે કિડનીમાં રહેલી પથરીને અમુક હદ સુધી દૂર કરવામાં પણ મદદ કરે છે.
મેથીનું પાણી પીવાથી સાંધાનો દુખાવો પણ ઓછો થાય છે.
મેથીનું પાણી ત્વચા માટે પણ ખૂબ ફાયદાકારક છે.
મેથીનું પાણી લેવાથી તે હૃદય અને કિડનીને પણ સ્વસ્થ રાખે છે.
આપણે નિયમિત રીતે મેથીનુંપાણી પીવું જોઈએ કારણ કે તે આપણને અનેક રોગોથી બચાવવામાં મદદ કરે છે.
ડાયાબિટીઝના દર્દીઓ માટે મેથી એ એક ઉપચાર છે
જેમને ડાયાબિટીઝની તકલીફ છે,તે માટે મેથી એ રામબાણ ઈલાજ છે.તેમાં ઉચ્ચ ફાઇબરનું પ્રમાણ છે અને તે ટાઈપ 1 અને ટાઇપ 2 ડાયાબિટીઝના બંને દર્દીઓ માટે ફાયદાકારક છે.મેથી લોહીમાં હાજર ગ્લુકોઝનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે.આ ઉપરાંત મેથીમાં એમિનો એસિડ પણ હોય છે જેને ડાયાબિટીકનું વિરોધી ગુણધર્મ માનવામાં આવે છે,જે ઇન્સ્યુલિનની સંવેદનશીલતા વધારે છે અને લોહીમાં હાજર ખાંડને તોડવામાં મદદ કરે છે.
કોલેસ્ટરોલનું સ્તર ઘટાડવામાં મદદરૂપ છે
મેથી શરીરમાં હાજર ખરાબ કોલેસ્ટરોલને ઘટાડીને સારા કોલેસ્ટ્રોલને વધારવાનું કામ કરે છે.તે જ સમયે મેથી ટ્રાઇગ્લાઇસેરાઇડનું સ્તર ઘટાડે છે અને ચરબીને શરીરમાં થીજેલાથી બચાવે છે.જો દરરોજ 2-3 મહિના સુધી મેથીનું પાણી પીવામાં આવે,તો પછી નિશ્ચિતરૂપે એચડીએલ એટલે કે સારા કોલેસ્ટ્રોલ શરીરમાં વધવાનું શરૂ થાય છે અને ખરાબ કોલેસ્ટરોલનું સ્તર પણ નોંધપાત્ર રીતે ઘટતું જાય છે.
જો તાવ આવતો હોય અને ગળામાં તકલીફ થતી હોય,તો મેથીનો ઉપયોગ કરો
લીંબુ અને મધ સાથે મેથી ખાવામાં આવે તો તેનાથી તાવમાં રાહત મળે છે.તે જ સમયે,મ્યુસિલેજ નામનું તત્વ મેથીમાં જોવા મળે છે,જેના લીધે,જો શરદી-ખાંસીને કારણે ગળામાં બળતરા અથવા ગાળામાં દુખાવો થતો હોય,તો મેથીનું પાણી પણ તમને ખૂબ મદદ કરી શકે છે.
મેથી પાચક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે
દરરોજ સવારે ખાલી પેટે મેથીનું પાણી પીવાથી છાતીમાં બળતરા,અપચો,એસિડિટી,કબજિયાત અને પેટની ઘણી સમસ્યાઓ દૂર થાય છે.મેથી ફાઈબર અને એન્ટીઓક્સિડન્ટથી ભરપુર હોવાથી,તે શરીરમાં હાજર ઝેરને બહાર કાઢવામાં મદદ કરે છે અને પાચક શક્તિને મજબૂત બનાવે છે તેથી શરીરમાં પાચન સાથે સંકળાયેલી કોઈ સમસ્યા રહેતી નથી.એટલા માટે,પાચનશક્તિ માટે દરરોજ સવારે ખાલી પેટ પર મેથીનું પાણી પીવું ફાયદાકારક છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત