મચ્છર કરડે ત્યારે પડેલા લાલ ડાધને દૂર કરવા આ રીતે કરો કેળાની છાલનો ઉપયોગ

હવામાન બદલવાથી ઘણા ફ્લૂ અને ચેપનું જોખમ પણ વધે છે.ઉનાળો આવતાની સાથે જ મચ્છરોનો ત્રાસ વધુ વધવા લાગે છે,આ ઋતુમાં મચ્છર ખૂબ જ સક્રિય હોય છે.ઉનાળાની ઋતુમાં મચ્છરોનું જોખમ અનેકગણું વધી જાય છે.કેટલાક લોકોને મચ્છર અને જીવજંતુના કરડવાથી વધુ તકલીફો થાય છે.જેમાં ડાઘ,ખંજવાળ અને ત્વચા પરની લાલ ફોલ્લીઓ અત્યંત બળતરાકારક હોય છે.જો તમે પણ એવા લોકોમાંથી એક છો જે મચ્છર વધુ કરડે છે,અને તેમને ટાળવા માટે કોઈપણ રાસાયણિક શ્રેષ્ઠ ક્રીમનો ઉપયોગ કરવા માંગતા નથી,તો અમારી પાસે તમારા માટે એક કુદરતી ઉપાય છે અને એ છે કેળાની છાલ.હા,કેળાની છાલ મચ્છરોથી રાહત આપી શકે છે.તમે મચ્છરના કરડવા પર કેળાની છાલ વાપરી શકો છો.તો ચાલો અમે તમને અહીં જણાવીએ તેનો ઉપયોગ કરવાની 3 રીતો.

રીત 1: કેળાની છાલ,ગુલાબજળ અને બરફ

image source

કેળાની છાલમાં બળતરા વિરોધી ગુણધર્મો હોય છે,જે મચ્છરના કરડવાથી થતા લાલ ગાઢાને ઘટાડવામાં અને ખંજવાળને દૂર કરવામાં મદદ કરે છે.બીજી તરફ ગુલાબજળમાં ઉત્તમ ગુણધર્મો હોય છે જે ત્વચાને શાંત કરવામાં મદદ કરે છે.બરફ તમારો દુખાવો ઓછો કરવામાં ફાયદાકારક છે.

ઉપયોગ કરવાની રીત:

એક કેળાની છાલ લો,પછી તેના રેસા કાઢીને એક બાઉલમાં એકઠા કરો.

image source

છાલના રેસાને મેશ કરો.

હવે આ મિશ્રણમાં ગુલાબજળ ઉમેરો.

પછી તેને મેસ કરી એક જાડું પેસ્ટ બનાવો,પછી તેને માસ્ક જેવું બનાવવા માટે બ્લેન્ડર વડે મિક્સ કરી લો.

હવે,આ પેસ્ટને જ્યાં મચ્છરએ કરડ્યું છે ત્યાં લગાવો.

હવે એક ચોખ્ખા સુતરાઉ કાપડમાં બે બરફના ટુકડા મૂકો અને તેને બાંધી દો.

image source

હવે જ્યાં તમે પેસ્ટ લગાવી છે ત્યાં તેની ઉપર તેને હળવા હાથથી ઘસો.

જ્યાં સુધી એ ગાઢા બેસી ના જાય,ત્યાં સુધી દર 15 મિનિટમાં આ કરો.

હવે તે જગ્યા બરાબર રીતે સાફ કરી લો.

રીત 2: કેળાની છાલ અને ગ્લિસરિન

image source

અગાઉ જણાવ્યા મુજબ કેળાની છાલ તમારી ત્વચા માટે ઘણી ફાયદાકારક છે,પરંતુ તેની સાથે ગ્લિસરિનમાં અદભુત મોઇશ્ચરાઇઝિંગ ગુણધર્મો છે.આ બંને મિક્સ કરીને લગાવાથી તમારી ત્વચાને અદભુત ફાયદો મળશે.આ ફક્ત ગાઢા ઘટાડવામાં જ નહિ,પરંતુ ત્વચાને ઝડપથી રૂઝાવવામાં પણ મદદ કરે છે.
ઉપયોગ કરવાની રીત:

સૌ પ્રથમ,એક વાટકીમાં કેળાની છાલનાં રેસાઓ કાઢીને નાના બાઉલમાં ભેગા કરો.

છાલને સારી રીતે મેશ કરી બ્લેન્ડરની મદદથી એક જાડી પેસ્ટ બનાવો.

પછી આ મિક્ષણમાં ગ્લિસરિનનાં થોડા ટીપાં ઉમેરી ફરી તેને સારી રીતે મિક્સ કરો.

image source

હવે આ પેસ્ટને મચ્છરના કરડવાની જગ્યા પર લગાવો.

હવે,તેને 25-30 મિનિટ સુધી સૂકવવા દો.

પછી,તેને ઠંડા પાણીથી ધોઈ લો.

તે પછી નરમ કપડા અથવા ટુવાલથી ત્વચા સાફ કરો.

જો તમને દરરોજ મચ્છર કરડતા હોય,તો પછી તમે દરરોજ આ પેકનો ઉપયોગ કરી શકો છો.

રીત 3: કાકડી અને કેળાની છાલનું માસ્ક

image source

કેળાની છાલ અને કાકડી મચ્છરના કરડવાથી રાહત આપી શકે છે. કેળાની છાલમાં બળતરા વિરોધી ગુણધર્મો હોય છે,જે કાકડીઓની સાથે ત્વચાને શાંત કરવામાં મદદ કરે છે.આ માસ્ક તમારી ત્વચાની ખંજવાળ,ગાઢા ઘટાડવામાં મદદ કરે છે. કેળાની છાલ અને કાકડીનું પેક બનાવવાની રીત આ પ્રમાણે છે.

ઉપયોગ કરવાની રીત:

એક વાટકીમાં કેળાની છાલનાં રેસા કાઢીને એક નાના બાઉલમાં એકત્રિત કરો.

છાલને સારી રીતે મેશ કરો અને બ્લેન્ડરની મદદથી ભેળવી લો.

image source

હવે પેસ્ટમાં કાકડી ઉમેરો અને ફરીથી બ્લેન્ડરમાં મિક્સ કરી નરમ પેસ્ટ બનાવો.

આ પછી,તમે આ પેસ્ટને કરડવાની જગ્યા પર લગાવો અને તેને 25 થી 30 મિનિટ સુધી રહેવા દો,જ્યાં સુધી તે સુકાય ના જાય.

તે પછી તેને ઠંડા પાણીથી ધોઈ લો અને સ્વચ્છ ટુવાલની મદદથી ત્વચા સાફ કરો.ધ્યાન રાખો તમારે તેને ઘસવું નહીં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત