નાકની અંદરના વાળ કાપવા તમારા સ્વાસ્થ્ય માટે છે ખૂબ ખતરનાક, જાણો અને વાંચી લો પહેલા ‘આ’
આ દુનિયા ભગવાને બનાવી છે તેમાં પણ આખી દુનિયામાં ભગવાન દ્વારા બનાવવામાં આવેલ સૌથી સુંદર રચના એટલે કે, મનુષ્યની રચના કરી છે. મનુષ્ય શરીરની રચના એવી રીતે કરવામાં આવી છે જેમાં મનુષ્યને રોગોથી પોતાના શરીરને બચાવવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આપણા શરીર પર આવેલ વાળ આપણા શરીરની ત્વચાની સુરક્ષા કરવા માટે હોય છે.
તેમજ શરીર પર આવેલ વાળ આપણી ત્વચાને વાતાવરણમાં ફેલાયેલ પ્રદુષણના બેક્ટેરિયા, વિષાણુ અને ઘણા બધા વિષાક્ત પદાર્થોથી આપની ત્વચાને બચાવવામાં મદદ કરે છે. આજે અમે આપને નાકમાં ઉગી જતા વાળ વિષે જણાવીશું. નાકમાં વાળ હોવાના પણ કેટલાક કારણો હોય છે. ઘણી વ્યક્તિઓ પોતાના નાકના વાળને કાતર કે પછી અન્ય કોઈ ઉપાય કરીને પોતાના નાક માંથી વાળને દુર કરી દે છે. પરંતુ શું આપ જાણો છો કે નાક માંથી વાળ દુર કરવા આપના સ્વાસ્થ્ય માટે ખુબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. જે આજે અમે આપને જણાવીશું. એવા ક્યાં કારણો છે જેના લીધે આપે નાકમાં આવેલ વાળને કાપવા જોઈએ નહી.
આપણા શરીર પર કેટલીક જગ્યાઓ પર અનિચ્છિત વાળ ઉગવા લાગે છે અને લોકો હેર રીમુવ કરવા માટે ઘણા પ્રકાર પ્રકારના ઉપાયો અપનાવતા હોય છે.
આપણા ચહેરા પર પણ કેટલીક જગ્યાઓ પર અનિચ્છિત વાળ આવતા હોય છે આ વાત સારી પણ નથી લાગતી આ જ કારણે લોકો પોતાના ચહેરા પરના અનિચ્છિત વાળને કેટલાક પ્રકારથી દુર પણ કરી દેતા હોય છે.
પરંતુ આપે કેટલાક લોકોને જોયા હશે કે, તેઓ પોતાના નાકના વાળ પણ કાતરની મદદથી કાપી લેતા હોય છે.
પરંતુ આપે આવું બિલકુલ કરવું જોઈએ નહી કે પછી આમ કરવું આપના પોતાના સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનિકારક સાબિત થઈ શકે છે. જો આપણા નાકમાં વાળ નહી હોય તો આપની આસપાસ આવેલ વાતાવરણના પ્રદુષિત બેક્ટેરિયાના કારણે આપણને કોઈ ઇન્ફેકશનનો શિકાર થવાની સંભાવના વધી જાય છે કે પછી આપ બીમાર પણ પડી શકો છો.
આપે પોતાના નાકના વાળને બિલકુલ પણ કાપવા જોઈએ નહી કેમ કે, નાકમાં વાળ હોવાથી આ વાળ આપને કેટલાક પ્રકારની બીમારીઓથી આપનું રક્ષણ કરે છે.
આપણે સામાન્ય રીતે નાક દ્વારા શ્વાસ લેવામાં આવે છે શ્વાસ લેતા સમયે હવાની સાથે ધૂળ અને માટી પણ નાકમાં પ્રવેશ કરે છે. પરંતુ નાકમાં આવેલ વાળ હવા સાથે પ્રવેશતા ધૂળ અને માટીને અટકાવી દે છે જેનાથી આપણું શરીર સ્વસ્થ રહે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત